/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Banaskantha-Crime-News.jpg)
બનાસકાંઠા પોલીસે કારમાંથી મળી આવેલા મૃતદેહના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા ત્યારે સત્ય સામે આવી ગયું હતું. (તસવીર: X)
Banaskantha Crime News: બનાસકાંઠા જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. દેવામાં ડૂબેલા વેપારીએ વીમાના પૈસા મેળવવા માટે હિન્દી ફિલ્મ જેવી કહાણી ગોઠવી નાંખી હતી. આ વ્યક્તિએ પોલીસને પોતાનું મોત થયાનું ષડયંત્ર રચીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બનાસકાંઠા પોલીસની સામે તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો. ખરેખરમાં પોલીસને વડગામ વિસ્તારમાં એક કાર સળગાવવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે કાર અને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા વ્યક્તિનું શરીર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું.
પ્રથમ દૃષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે ડ્રાઇવર પણ કારમાં આગની ઝપેટમાં આવી ગયો હતો અને તે જીવતો સળગી ગયો હતો. પોલીસે વાહનના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં લાશ દલપતસિંહ પરમારની હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોએ પણ મૃતદેહ દલપતનો હોવાની પુષ્ટિ કરી હતી. પરંતુ પોલીસને ઘટના સ્થળેથી જે કડીઓ મળી તે અલગ જ વાર્તા રજૂ કરી હતી. આથી પોલીસે કારમાંથી મળી આવેલા મૃતદેહના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા ત્યારે સત્ય સામે આવી ગયું હતું.
આ પણ વાંચો: જાણો કેવી રીતે કાઇટ સ્ટ્રિંગ ગાર્ડ બાઇકર્સને જીવલેણ દોરાની ઇજાઓથી બચાવી શકે છે?
તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લાશ અન્ય કોઈની છે. પરિવારના સભ્યો પાસેથી લેવામાં આવેલા નમૂનાઓ લાશ સાથે મેળ ખાતા નહોતા. જે પછી સવાલ ઉઠી રહ્યો હતો કે લાશ દલપતની નથી તો કોની હતી? ગુજરાત પોલીસે આ કેસમાં મદદ કરનાર દલપતસિંહ પરમારના ત્રણ સાથીઓની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે સમગ્ર રહસ્ય બહાર આવ્યું હતું. પોલીસને ખબર પડી કે દલપત હોટેલીયર છે. તેણે હોટલ બનાવવા માટે મોટી લોન લીધી હતી. તેણે માત્ર દેવું ચૂકવવા માટે આ આખો ખેલ રચ્યો હતો.
કાવતરામાં ભાઈ અને સંબંધીઓ સામેલ હતા
વીમા તરીકે 1 કરોડ 23 લાખ રૂપિયા મેળવવા માટે તેના મોતની ખોટી કહાની બનાવી હતી. કાવતરાના ભાગરૂપે પરમારે જ્યાં સુધી તેના પરિવારને વીમાના પૈસા ન મળે ત્યાં સુધી છુપાઈ જવાનું આયોજન કર્યું હતું. તેના ભાઈ સહિત કેટલાક સંબંધીઓ આ કાવતરામાં સામેલ હતા.
એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે દલપતે ચાર મહિના પહેલા મૃત્યુ પામેલા એક વ્યક્તિના મૃતદેહને કબરમાંથી બહાર કાઢ્યો હતો, તેને કારની ડ્રાઇવિંગ સીટ પર મૂકીને આગ લગાવી હતી. હાલમાં આરોપી ફરાર છે તેની શોધ ચાલુ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us