/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/isudan-gadhvi-interview.jpg)
AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે ઇસુદાન ગઢવી. (નિર્મલ હરીન્દ્રન દ્વારા એક્સપ્રેસ તસવીર/ફાઇલ)
રાશિ મિશ્રા : ઇસુદાન ગઢવીએ સોમવારે અમદાવાદમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે ઔપચારિક રીતે પદભાર સંભાળ્યો હતો.
ઇસુદાન ગઢવી, જેઓ તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હતા, જેમાં પક્ષને કુલ 182 બેઠકોમાંથી માત્ર 5 બેઠકો મળી હતી. પદ સંભાળ્યા પછીના તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસ (Isudan Gadhvi interview the Indian Express) સાથેની વાતચીતમાં, AAPની ખામીઓ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. સાથે આપ પાર્ટી ભાવિનો માર્ગ નકશો અને આગામી ચૂંટણી વિશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન તમે AAPમાં કઈ ખામીઓ જોઈ, ખાસ કરીને તમારી બેઠક ખંભાળિયામાંથી, જેમાં તમે હારી ગયા?
વાતાવરણ સારું હતું. પરંતુ બૂથ સ્તરે અમારી પાર્ટીમાં એક-બે ખામીઓ હતી, જે સુધારવા અમને સમય મળ્યો ન હતો. અમારી પાસરે થોડો સમય હતો, પરંતુ તેના અમલીકરણમાં સમસ્યા હતી. બીજું, અમે ખરેખર સારું કર્યું છે: ઐતિહાસિક રીતે, ગુજરાતમાં કોઈ ત્રીજા મોરચાને પાંચ બેઠકો અને 41 લાખ મત મળ્યા નથી. પરંતુ અમારી પાસે સમય ઓછો હતો, અને લોકોને અંત સુધી શંકા હતી કે AAP સરકાર બનાવી શકશે કે નહીં. અને આ AAPનો ઈતિહાસ રહ્યો છે. દિલ્હીમાં પણ લોકોએ પહેલી ચૂંટણીમાં વિશ્વાસ નહોતો કર્યો, તેથી જ AAPની સરકાર બની શકી ન હતી, અને ગઠબંધન કરવું પડ્યું. પરંતુ બીજી વખત, તે એકતરફી હતું (આપએ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી). પંજાબમાં પણ (બીજી વખત આવું જ થયું) જોકે પહેલી ચૂંટણીમાં પક્ષને 100 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, જે થયું નહીં. હવે ગુજરાતમાં લોકો વિચારી રહ્યા છે કે જો તેઓ (આપ) આટલી બેઠકો (પાંચ) લઈને આવી તો, હવે પછી અમે તેને મત આપી શકીએ.
તો તમે એમ કહો છો કે ગુજરાતની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી લોકો મૂંઝવણમાં હતા, તેથી જ તેમણે પ્રચંડ જીત માટે ભાજપને મત આપ્યો?
હા, અમારા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એવું બહાર આવ્યું હતુ કે, AAP અને BJPને અનુક્રમે 36% અને 37% વોટ શેર મળશે. પરંતુ, અમને જે 15-20% વોટ શેર મળી રહ્યા હતા તે છેલ્લી ક્ષણે ભાજપને મળી ગયા. બીજું, લોકોને કોંગ્રેસ પર હવે ભરોસો નથી, તેથી છેલ્લી ઘડીએ મૂંઝવણમાં મૂકાયેલા 15-20% લોકોએ ભાજપને મત આપ્યો.
શું તમે 2024ની લોકસભાની ચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પગથિયાં તરીકે જુઓ છો? કે પછી પાર્ટી રાષ્ટ્રીય સ્તરે ઉભરવા માટે લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો?
દરેક ચૂંટણી અમારા માટે પડકાર છે. નગરપાલિકા, તાલુકા, જિલ્લા (જિલ્લા) પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. 2024 માટે હવે અમે જે નવી વ્યૂહરચના બનાવી રહ્યા છીએ તે છે સંગઠન - અમે બૂથ, ગામ અને શહેર સ્તરે મત સમિતિઓ અને સમિતિઓની રચના કરીશું. લોકસભાની ચૂંટણીમાં છ મહિના બાકી છે ત્યારે અમે રાજ્યની 26 લોકસભા મતવિસ્તારોમાં પ્રભારીઓની નિમણૂક કરીશું. અમે બૂથ સ્તરથી જોડાયેલા સારા ઉમેદવારો શોધવાનો પ્રયાસ કરીશું. અને અમે જીતી શકીએ તેવી થોડી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. 2025માં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં અમે બહુમતીથી જીતીશું. લોકો હવે જાણે છે કે, કોંગ્રેસ હવે ચિત્રમાં નથી. તેથી, મને લાગે છે કે, અમે 2024 માં સારું પ્રદર્શન કરીશું, (પરંતુ) અમારું મુખ્ય લક્ષ્ય 2027 છે.
2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાત AAPનું લક્ષ્ય શું છે?
અમે તમામ 26 સંસદીય બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા કરીશું. અમારું ધ્યાન સંપૂર્ણ શક્તિ સાથે 2024ની ચૂંટણીઓ લડવા પર રહેશે - ત્યાં સુધી (વર્તમાન) સંગઠનાત્મક સેટઅપ બરાબર ચાલશે. જોકે, 2027ની ચૂંટણી સુધીમાં અમારું સંગઠન સંપૂર્ણ રીતે રચાઈ જશે. અમારું લક્ષ્ય (જીતવાનું) 2027 છે.
રાજ્યની ચૂંટણીમાં AAP ના ઉમેદવારો વિશે શું છે જેમણે છેલ્લી ક્ષણે ઉમેદવારી ખેંચી લીધી હતી, જેમ કે અબડાસા અને સુરત પૂર્વમાંથી? કે પછી પક્ષના પાંચ ધારાસભ્યો ચૂંટાયા પછી તરત જ ભાજપમાં જવાની વાત?
જે લોકો રાજકારણમાં આવે છે તેઓ કેટલીક મહત્વાકાંક્ષા સાથે આવે છે. પરંતુ 2025 થી વાતાવરણ બનવાનું શરૂ થશે, હવે 2027 માં અમારા સિવાય કોઈ નથી. તેથી ક્યાંય જવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. (પરંતુ 2025 સુધીમાં વાતાવરણ AAPની તરફેણમાં રહેશે. 2027 સુધીમાં AAP સિવાય કોઈ વિરોધી પક્ષ નહીં હોય. તેથી કોઈએ પક્ષ છોડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી). બીજું, અમારી પાસે ઉમેદવારો શોધવા, સંગઠન બનાવવાનો સમય છે… તેથી મને લાગે છે કે, અમે તેને સારી રીતે મેનેજ કરીશું.
આ પણ વાંચો - ઈસુદાન ગઢવી કોણ છે? કેવી રીતે આવ્યા રાજકારણમાં? પત્રકારથી આપ નેતા સુધીની રાજકીય સફર
શું તમે ચૂંટણી પ્રચાર દરમિયાન મફત વીજળી, સારું શિક્ષણ, મફત તબીબી સારવાર વગેરે જેવા તમારા મેનિફેસ્ટોના વચનો સિવાય અન્ય કોઈ મુદ્દો જોયો છે?
હા, અમે અનુમાન લગાવીએ છીએ કે અમે 2025 સુધીમાં તે કરી લઈશું. અમે અહીં લોકોની સેવા કરવા આવ્યા છીએ, તેથી અમારે તેમને સુવિધાઓ પૂરી પાડવાની છે. અમે તેમને કહીએ છીએ કે અમે અહીં આ આપવા આવ્યા છીએ, તમે ઇચ્છો તો લો, નહીં તો ભાજપ છે. અમે લોકોને ધમકાવીને વોટ મેળવવા માંગતા નથી. અમને એવી સરકાર નથી જોઈતી. સરકાર બનાવીશું, મુદ્દાઓથી બનાવીશું. પણ એ સાચું છે કે, જનતાને એક અપીલ કરીએ છીએ કે અમે તમારી સાથે છીએ, અમે બધાની સાથે છીએ. અમે તમારા છીએ… તે અપીલ ચોક્કસપણે જશે. (અમે લોકો પર દબાણ કરીને કે ડરાવી-ધમકાવીને મત મેળવવા માંગતા નથી. અમને આવી સરકાર જોઈતી નથી. અમે મુદ્દાઓને આધારે સરકાર બનાવીશું. પણ હા, લોકોને એવું લાગવું જોઈએ કે અમે તેમની સાથે છીએ. આ અપીલ તેમની પાસે જશે.
(ભાષાંતર - કિરણ મહેતા)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us