જયશંકર સુંદરી નાટ્ય ગૃહ : 2014 થી બંધ, સરકાર સમારકામ માટે થિયેટર હોલ AMCને સોંપવાની પ્રક્રિયામાં

Jayshankar Sundari Natya Gruh ahmedabad : જયશંકર સુંદરી નાટ્ય ગૃહ બિસ્માર હાલતમાં થયા બાદ 2014માં બંધ કરવામાં આવ્યો, જેને પુન: કાર્યરત કરવા ગુજરાત સરકાર (Gujarat Goverment) તેના રિનોવેશનની જવાબદારી એએમસી (AMC) ને સોંપવાની તરફેણમાં.

Jayshankar Sundari Natya Gruh ahmedabad : જયશંકર સુંદરી નાટ્ય ગૃહ બિસ્માર હાલતમાં થયા બાદ 2014માં બંધ કરવામાં આવ્યો, જેને પુન: કાર્યરત કરવા ગુજરાત સરકાર (Gujarat Goverment) તેના રિનોવેશનની જવાબદારી એએમસી (AMC) ને સોંપવાની તરફેણમાં.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Jaishankar Sundari Natya Gruh - Ahmedabad

જયશંકર સુંદરી નાટ્ય ગૃહ - અમદાવાદ (Express Photo by Nirmal Harindran)

પરિમલ ડાભી : અમદાવાદમાં જયશંકર સુંદરી નાટ્ય ગૃહને કાર્યરત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને આઇકોનિક થિયેટર હોલ સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Advertisment

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિભાગને તેના માટે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે અને તે હોલના નવીનીકરણ, જાળવણી અને સંચાલન માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવાની પ્રક્રિયામાં છે.

ઑક્ટોબર 1976 માં રાયખડ ખાતે બાંધવામાં આવેલ, થિયેટર હોલ - વિભાગની માલિકીનો - અમદાવાદના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનો એક હતો. તેનું નામ પ્રસિદ્ધ થિયેટર વ્યક્તિત્વ જયશંકર ભોજકના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેમણે ગુજરાતી રંગભૂમિમાં સ્ત્રી અવતરણકાર તરીકેની ભૂમિકાઓને કારણે જયશંકર 'સુંદરી' તરીકે ખ્યાતિ મેળવી હતી.

વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હોલમાં 700 લોકોની બેઠક ક્ષમતા છે. જો કે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 2014 થી, બિલ્ડિંગની જર્જરિત સ્થિતિને કારણે હોલમાં કોઈ થિયેટર કાર્યક્રમ કરવામાં આવ્યો નથી.

Advertisment

હોલને પુન: શરૂ કરવા વિવિધ વિસ્તારોમાંથી માંગ ઉઠી છે. ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટ સત્રમાં, જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય, ઈમરાન ખેડાવાલા, જેમના મતવિસ્તારમાં આ હોલ આવે છે, તેમણે માંગણી કરી હતી કે, તે અવ્યવસ્થિત પડયો હોવાથી તેને સ્થાનિક રહેવાસીઓ માટે કોમ્યુનિટી હોલમાં રૂપાંતરિત કરવામાં આવે કારણ કે આ વિસ્તારમાં હોલની અછત છે.

ખેડાવાલાએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં, દિવાલવાળા શહેર વિસ્તારમાં હોલના સ્થાનને કારણે, થિયેટર સેન્ટર તરીકે તેની લોકપ્રિયતા ઘટી ગઈ હતી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “2014માં હોલ બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે, ઈમારત જર્જરિત હાલતમાં હતી. બજેટમાં સરકારે હોલ માટે એક કરોડ રૂપિયાની ટોકન જોગવાઈ કરી છે. આ સાથે, અમે હોલને તેના નવીનીકરણ, જાળવણી અને સંચાલન માટે કોઈપણ ફેરફાર વિના AMCને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે.

“અમે આ સંદર્ભે AMC કમિશનરને એકવાર પત્ર લખ્યો છે. કેબિનેટ મંત્રી મુલુભાઈ બેરા અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ પ્રસ્તાવને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. જેથી હવે હોલનો વિધિવત કબજો લેવા કમિશનરને આખરી પત્ર લખવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું કે, "અમદાવાદમાં દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ અથવા ટાગોર હોલ જેવા અન્ય હોલની જેમ થિયેટર હોલ જેવી મિલકતની જાળવણી અને સંચાલન સંબંધિત સ્થાનિક સંસ્થા દ્વારા કરવામાં આવે તે હંમેશા સારું છે."

આ પણ વાંચો - ગુજરાત : ‘દાઢી હોય કે ન હોય, ચૌધરી યુવાનો સમાજના નિર્ણયને તોડશે નહીં’

કેટલાક પ્રયાસ છતા AMC કમિશનર એમ થેનારસનનો ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે, AMC સરકારની દરખાસ્ત પ્રત્યે તેના અભિગમમાં સકારાત્મક છે.

એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાત Express Exclusive ભાજપ