/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/crane-collapses-at-Okha-port.jpg)
આ ઘટના બાદ ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડ, પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. (તસવીર: સોશિયલ મીડિયા)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. બુધવારે અહીં ઓખા બંદર પર જેટી બાંધકામ સાઇટ પર ક્રેન પડતાં ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં હતાં. જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડ્યાએ આ બાબતે જણાવ્યું હતું કે ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેન દ્વારા કચડાઈ જવાથી બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડ, પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડ્યું હતું. એ તૂટવાને કારણે એની નીચે શ્રમિકો દબાઈ ગયા હતા. મૃત શ્રમિકોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર GMB કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ તથા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
મૃતકોનાં નામ
જિતેન્દ્ર ગોબરિયા ખરાડી (ઉં.વર્ષ 30)
નિશાંતસિંહ રામસિંહ (ઉં.વર્ષ 25, રહે. રતનપુર, ફુરખાબાદ, યુપી.)
અરવિંદકુમાર મુરારિલાલ નગલા (ગંજડુડવાલા, યુપી.)
ભાવનગરમાં માર્ગ અકસ્માત સર્જાયો છે
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ગુજરાતના ભાવનગરમાં પણ એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી હતી. ખરેખરમાં સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ પાસે પાર્ક કરેલી રેતી ભરેલી ટ્રકની પાછળ એક ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ઘટના બાદ અલંગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. અકસ્માતમાં ઘાયલોની સારવાર ચાલુ છે. મળતી માહિતી મુજબ, સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામની આગળ ઉભેલી ટ્રક અચાનક લકઝરી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: ભરૂચમાં વધુ એક બળાત્કારની ઘટના, જેલમાંથી જામીન પર બહાર આવેલા નરાધમે 70 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું
ઘણા લોકો મૃત્યુ પામ્યા, ઘણા લોકો ઘાયલ થયા
માહિતી મળતાની સાથે જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તળાજા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અલંગ પીએસઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ત્રાપજ ગામ નજીક બાયપાસ રોડ પાસે પાર્ક કરેલી ટ્રક અને બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. આમાં કેટલાક લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. તળાજા સીએચસીના અધિક્ષક એમ.બી. સાકિયાએ ટેલિફોન પર જણાવ્યું કે આ અકસ્માતમાં છ મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને 7થી 8 ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સોમનાથ નેશનલ હાઈવે પર ફોર લેન બનાવવામાં આવ્યા છે અને દરેક ગામની નજીક બાયપાસ રોડ બનાવવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us