/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/ieg-ft-img.jpeg)
મોરબી દુર્ઘટના મામલો
સોમવારે મોરબી બ્રિજ તૂટી પડવાના કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓએ તેમની જામીન અરજીઓ પાછી ખેંચી લીધી હતી કારણ કે ગુજરાત હાઈકોર્ટે પહેલા જ સંકેત આપ્યો હતો કે, ચાર્જશીટ દાખલ કરતા પહેલા આરોપીઓની તરફેણમાં તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા માટે તે વલણ ધરાવતા નથી.
ધરપકડ કરાયેલા નવમાંથી આઠ આરોપીઓએ ડિસેમ્બરમાં જામીન માટે અરજી કરી હતી. ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ, બે ટિકિટ ક્લાર્ક માધાભાઈ સોલંકી અને મનસુખભાઈ ટોપિયા, ત્રણ સુરક્ષા ગાર્ડ અલ્પેશભાઈ ગોહિલ, દિલીપભાઈ ગોહિલ અને મુકેશભાઈ ચૌહાણ, ઓરેવા દ્વારા જેને કામ સોંપવામાં આવ્યું હતુ તે સુરેન્દ્રનગર સ્થિત દેવ પ્રકાશ ફેબ્રિકેશન પેઢીના માલિક પ્રકાશ પરમાર અને તેમના પુત્ર દેવાંગ પરમાર આરોપી છે.
23 નવેમ્બરના રોજ મોરબી સેશન્સ કોર્ટે તમામ 9 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી
જસ્ટિસ સમીર દવેએ સોમવારે હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરી હતી. ઓરેવાના મેનેજરોએ રજૂઆત કરી હતી કે, તેઓ પગારદાર વ્યક્તિઓ છે, "દર મહિને રૂ. 30,000-40,000 થી વધુ નહીં, અને સૂચવવા માટે કે તેઓ સમગ્ર પતન માટે જવાબદાર છે. આ અમારા કાર્યના અવકાશમાં બિલકુલ ન હતુ".
ત્રણ સિક્યોરિટી ગાર્ડ્સનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે કોર્ટ સમક્ષ તેમના પગારના ઉતારા પણ કોર્ટના રેકોર્ડ પર રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે, "તેઓ વાસ્તવમાં સુરક્ષા ગાર્ડ નથી". એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ તો મજૂરીના કામો લોડિંગ અને અનલોડ કરવાના મજૂરો છે. એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, એક આરોપી - દિલીપભાઈ ગોહિલ - ઘટના સમયે ધરાશાયી થવાના સ્થળે હતા, અને પોતે પણ બ્રિજ પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.
કોર્ટે મૌખિક રીતે કહ્યું હતું કે, ચાર્જશીટ દાખલ કરતા પહેલા જ તે જામીન અરજીને ફગાવી દેવા માટેનું વલણ ધરાવે છે, જેના પગલે આરોપીઓના વકીલે કહ્યું કે, તેઓ તેમની અરજી પાછી ખેંચી લેશે. જ્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ત્યારે આરોપીઓને જામીન માટે સંપર્ક કરવાની આ સ્વતંત્રતા સાથે મંજૂરી આપવામાં આવી હતી.
30 ઓક્ટોબરે મોરબીમાં બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us