વડોદરાના જુનીગઢી વિસ્તારમાં નવરાત્રી પંડાલ પર હુમલો, પથ્થરમારા બાદ 50 લોકોની અટકાયત

વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર, પથ્થરમારાની ઘટના બાદ ઓછામાં ઓછા 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ફેલાયેલી તણાવને કારણે બની હતી.

Written by Rakesh Parmar
September 21, 2025 15:49 IST
વડોદરાના જુનીગઢી વિસ્તારમાં નવરાત્રી પંડાલ પર હુમલો, પથ્થરમારા બાદ 50 લોકોની અટકાયત
પથ્થરમારાની ઘટના બાદ ઓછામાં ઓછા 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

વડોદરાના જુનીગઢી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે મોટી બબાલ થઈ ગઈ. વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર, પથ્થરમારાની ઘટના બાદ ઓછામાં ઓછા 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ફેલાયેલી તણાવને કારણે બની હતી. ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ભીડ એકઠી થઈ હતી. પાછા ફરતી વખતે ભીડના એક જૂથે કથિત રીતે નવરાત્રી પંડાલ પર હુમલો કર્યો હતો. બદમાશોએ પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે વડોદરાના જુનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તણાવ વધ્યો હતો. ફરિયાદ નોંધાવવા માટે ભીડ પોલીસ સ્ટેશનમાં એકઠી થઈ હતી. પાછા ફરતી વખતે બદમાશોએ કથિત રીતે નવરાત્રી પંડાલ પર હુમલો કર્યો હતો. બદમાશોએ નજીકના પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો. પોલીસને આ વાતની જાણ થતાં જ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, નવી કિંમતો આ તારીખથી લાગુ થશે

વડોદરાના ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું કે, “અમે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે. 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી થાય તે માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.” ગયા અઠવાડિયે કર્ણાટકના મદ્દુરમાં પણ પથ્થરમારાનો બનાવ બન્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ ગણપતિ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયા બાદ મદ્દુરમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ત્યારબાદ પોલીસે 21 લોકોની ધરપકડ કરી હતી.

તાજેતરમાં ગુજરાતના ખેડા જિલ્લામાં એક મસ્જિદ, મદરેસા અને દરગાહ પાસે જાહેર સ્થળે ગરબા પર પ્રતિબંધ મૂકતો નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા બાદ વિવાદ થયો હતો. ખેડા જિલ્લાના માતર શહેરમાં એક મસ્જિદ, મદરેસા અને દરગાહ પાસે ગરબા પર પ્રતિબંધ મૂકતો પોસ્ટર લગાવવા બદલ પોલીસે બે મુસ્લિમ નેતાઓ સામે કેસ દાખલ કર્યો હતો. સ્થાનિક બજરંગ દળના નેતાઓની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ