/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Navsari-crossfire.jpg)
SMC એ જણાવ્યું કે તેમણે આરોપીઓ પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. (Express Photo)
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં કથિત ગુંડાઓ અને ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) વચ્ચે ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિને ગોળી વાગવાથી ઈજા થઈ હતી. આરોપીઓ અને પોલીસ વચ્ચે બે-બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
મંગળવારે સવારે SMCના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) નિર્લિપ્ત રાયે ગોળીબારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “11 નવેમ્બરની સવારે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે આરોપીઓ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ટીમ વચ્ચે ક્રોસ ફાયરિંગની ઘટના બની હતી.”
અથડામણ દરમિયાન એક આરોપીને ઈજા થઈ હતી અને SMC ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં હરિયાણાના યશસિંહ સુંદરસિંહ, મધ્યપ્રદેશના ઋષભ અશોક શર્મા અને રાજસ્થાનના રહેવાસી મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવતનો સમાવેશ થાય છે.
With Gujarat Police on high alert, major success to State Monitoring Cell was achieved today. Four accused, with a cache of arms and ammunition, were intercepted amidst cross firing in which one of the accused was injured. My compliments to the brave team members of SMC. Gujarat… pic.twitter.com/BA7L1Zyrjz
— DGP Gujarat (@dgpgujarat) November 11, 2025
SMC એ જણાવ્યું કે તેમણે આરોપીઓ પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને સત્યાવીસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ત્યારબાદ પરિસ્થિતિ કાબુમાં આવી અને આરોપીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં ગાંધીનગરના એસએમસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે . સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓ પર હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓએ દિલ્હીના આઝાદપુર મંડી અને અનેક બજારોની રેકી કરી, ગુજરાત ATSનો ખુલાસો
એસએમસી એસપી મયુર ચાવડાના નિવેદન અનુસાર, "ઇન્સ્પેક્ટર સીએચ પનારાને માહિતી મળી હતી કે પડોશી રાજ્યોના ખતરનાક વ્યક્તિઓ ગેરકાયદેસર હથિયારો સાથે ગુજરાતમાં ઘૂસી આવ્યા છે, અને તેથી એસએમસી ટીમ ગણદેવીના મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં તેમને ચારેય માણસોને જોવા મળ્યા હતા."
પોલીસ કર્મચારીઓને જોતા જ ચારમાંથી એક વ્યક્તિએ કથિત રીતે SMC વાહન પર બે વખત ગોળીબાર કર્યો, ત્યારબાદ પીઆઈ સીએચ પનારાએ તેમની સરકારી પિસ્તોલ દ્વારા બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ઇન્સ્પેક્ટર પનારાની એક ગોળી કથિત રીતે યશસિંહ સુંદરસિંહના પગમાં વાગી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us