અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયો એક વ્યક્તિ, આ કોઈ ચમત્કારથી ઓછું નથી, જુઓ વીડિયો

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં એક ચમત્કાર જોવા મળ્યો છે જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે.

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં એક ચમત્કાર જોવા મળ્યો છે જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad plane crash video

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, "પોલીસને સીટ નંબર 11A પર એક વ્યક્તિ જીવતો મળ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું. આ અકસ્માતના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેને જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈના બચવાની કોઈ આશા નથી. જોકે અમદાવાદમાં એક ચમત્કાર જોવા મળ્યો છે જ્યારે વિમાન દુર્ઘટનાના ઘણા કલાકો પછી એક વ્યક્તિના જીવિત હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે.

Advertisment

પ્લેન ક્રેશમાં જીવિત બચનારો વ્યક્તિ કોણ?

આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિ સીટ નંબર 11A પર હતો. આ સીટ બિઝનેસ ક્લાસ સીટ પછી ઇકોનોમી ક્લાસ સીટની પહેલી હરોળમાં હતી. આ ઉપરાંત આ સીટ એક્ઝિટ લાઇનની ખૂબ નજીક હતી. ફ્લાઇટમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ 40 વર્ષીય રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. ત્યાં જ 242 લોકોથી ભરેલી ફ્લાઇટમાં એક વ્યક્તિનો બચી જવાને પણ ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. હાલમાં રમેશ વિશ્વાસ કુમાર ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. રમેશ વિશ્વાસ કુમારનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે, જેમાં સીટ નંબર 11A લખેલું છે.

જીવંત મળી આવેલ વ્યક્તિની સારવાર ચાલી રહી છે

ફોન પર ANI સાથે વાત કરતા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, "પોલીસને સીટ નંબર 11A પર એક વ્યક્તિ જીવતો મળ્યો છે. વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે." અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક મુસાફર જીવતો મળી આવ્યો છે. આ ઉપરાંત ઘણા વધુ મુસાફરો જીવતા હોઈ શકે છે.

Advertisment

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 મુસાફરોના મોત

અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું છે. ત્યાં જ અમદાવાદની બીજે મેડિકલ કેમ્પસના જૂનિયર ડોક્ટરો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે.

અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશ ગુજરાત ગુજરાતી ન્યૂઝ પ્લેન ક્રેશ