સુરત ભાજપ કાર્યાલયમાં મારામારી અને ખુરશીઓ ફેંકાઈ, હવે પાર્ટીએ નોટિસ ફટકારી માંગ્યો જવાબ

આ મામલે સુરત ભાજપ દ્વારા એક નોટીસ જારી કરવામાં આવી છે. જેમાં સુરત મહાનગરના કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા પાસે આ ઘટના અંગે ત્રણ દિવસની અંદર ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ મામલે સુરત ભાજપ દ્વારા એક નોટીસ જારી કરવામાં આવી છે. જેમાં સુરત મહાનગરના કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા પાસે આ ઘટના અંગે ત્રણ દિવસની અંદર ખુલાસો માંગવામાં આવ્યો છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Fight at Surat BJP office

સુરત ભાજપ કાર્યાલયમાં મારામારીનો વીડિયો વાયરલ. (તસવીર: સોશિયલ મીડિયા)

દેશની સૌથી મોટી અને શિસ્તબદ્ધ પાર્ટી ભાજપની સુરત ઓફિસમાં ઉગ્ર બોલાચાલી સાથે મારામારીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર્યકર્તા અને પાર્ટીના ખજાનચી વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો એ હદે વણસી ગયો કે બંને વચ્ચે લાફાવાળી થઈ ગઈ અને ખુરશીઓ ફેંકવામાં આવી. કેટલાક લોકોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ દરમિયાન કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisment

હવે આ મામલે સુરત ભાજપ દ્વારા એક નોટીસ જારી કરવામાં આવી છે. જેમાં સુરત મહાનગરના કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા પાસે આ ઘટના અંગે ત્રણ દિવસની અંદર ખુલાસો માંગવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સુરતના ઉધના સ્થિત ભાજપ ઓફિસમાં શારીરિક ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે. એક કાર્યકર અને પાર્ટીના ખજાનચી વચ્ચે બોલાચાલી થઈ અને તે શારીરિક ઝપાઝપીમાં પરિણમી. ત્યારબાદ કાર્યકરે ખજાનચીને થપ્પડ મારી અને પછી ખુરશીઓ ફેંકી. આખી ઘટનાનો 9 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, ભાજપ ઓફિસમાં પાર્ટી કાર્યકર દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઓફિસમાં હાજર અન્ય કાર્યકરોએ તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો.

Advertisment

આ પણ વાંચો: "ધર્મ પરિવર્તનનો ભોગ બનેલા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે જો તેઓ…" ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન

કેમ થયો હંગામો?

એવું જાણવા મળ્યું છે કે પાર્ટી કાર્યકર દિનેશ સાવલિયા અને પટાવાળા વચ્ચે ચા અને નાસ્તાને લઈને ઝપાઝપી થઈ હતી. પટાવાળાએ આ અંગે ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. ત્યારબાદ દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલ વચ્ચે બોલાચાલી વધી ગઈ. ઝઘડા દરમિયાન પાર્ટી કાર્યકર દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને થપ્પડ મારી અને પછી ખુરશીથી મારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન હાજર અન્ય પક્ષ કાર્યકર્તાઓ દરમિયાનગીરી કરવા દોડી આવ્યા અને બંનેને અલગ કર્યા.

પાર્ટીએ કાર્યવાહી કરી નોટિસ જારી

ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું, "હું ખજાનચી છું, મારે બધું જ સંભાળવું પડશે; વધુ ભટકવાની જરૂર નથી." આ દરમિયાન શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને ધક્કો માર્યો અને અપશબ્દો બોલ્યા. આનાથી દિનેશ ગુસ્સે ભરાયો, જેના કારણે બંને વચ્ચે ઝપાઝપી થઈ. પાર્ટી પ્રમુખ પરેશ પટેલે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પાર્ટી પ્રમુખે આ ગંભીર કૃત્ય બદલ બંનેને નોટિસ જારી કરી છે અને 3 દિવસમાં આ મામલે લેખિત જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતી ન્યૂઝ Surat ગુજરાત ભાજપ