/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Kalupur-Railway-Station-Development.jpg)
Ahmedabad Railway Station Redevelopment: કાલુપુર રેલ્વે સ્ટેશન પર પાર્સલ મોકલવા માટે એક અલગ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. (તસવીર: IndexofGujarat/X)
Ahmedabad Railway Station Redevelopment Project: ગુજરાતના વિકાસ માટે સતત બ્યુટીફિકેશન પર ખાસ કામો થઈ રહ્યા છે. આ અંતર્ગત અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. નવીનીકરણ બાદ મુસાફરોને કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઘણી આધુનિક સુવિધાઓ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે કાલુપુર રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ અંગે તાજેતરમાં ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના કાઉન્સિલરો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા.
એડવાન્સ રીતે રેનોવેટ કરાશે રેલ્વે સ્ટેશન
બેઠકમાં લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે રેલ્વે સ્ટેશનનું અદ્યતન રીતે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે સ્ટેશનની કામગીરી હાલમાં કયા સ્તરે પહોંચી છે? આ અંગે જાણવા માટે સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલર દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે એક બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કાઉન્સિલરો અને આગેવાનોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કંપનીના અધિકારીઓ તેમજ રેલ્વેના અધિકારીઓના વિઝનની સમીક્ષા કરવામાં આવી હતી કે રેલ્વે સ્ટેશન કેવી રીતે બનાવવું જોઈએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Kalupur-Railway-Station-Renovation.jpg)
આ બેઠક દરમિયાન ધારાસભ્ય દિનેશ કુશવાહાએ સૂચન કર્યું હતું કે હાલમાં 4 લેન રોડનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને 6 લેન બનાવવાની યોજના બનાવવી જોઈએ. આ રૂટને ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતર કરવામાં આવતા અવરોધોની પણ ચર્ચા કરવામાં આવશે. આ પ્રસ્તાવ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર સમક્ષ રજૂ કરવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Ahmedabad-Kalupur-Railway-Station.jpg)
એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે
તમને જણાવી દઈએ કે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પાર્સલ મોકલવા માટે એક અલગ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જેની એન્ટ્રી પણ અલગથી રાખવામાં આવશે. હાલના તમામ પ્લેટફોર્મમાં લિફ્ટ સિસ્ટમ છે. હવે તેની જગ્યાએ 8 લિફ્ટ અને 8 એસ્કેલેટર બનાવવામાં આવશે. કાલુપુર રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ, એએમટીએસ સહિતની તમામ વાહન પરિવહન વ્યવસ્થા પણ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. કાલુપુર, સરસપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાંથી અવર-જવર કરતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગામી 15 વર્ષ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us