PM Modi Gujarat Visit: 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલો અને 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાત આવે તેવી શક્યતા છે. પીએમ મોદી કચ્છના ભૂજની મુલાકાત લે તેવી અપેક્ષા છે અને ત્યારબાદ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપનું ઉદ્ઘાટન કરવા દાહોદ જશે.
દાહોદ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે પ્રધાનમંત્રીની 26 મેના રોજ યોજાનારી મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે. તેઓ ભૂજ અને દાહોદ બંને જગ્યાએ જાહેર સભાઓને સંબોધિત કરશે.
દાહોદ જિલ્લા વહીવટીતંત્રે રેલવે સાથે સંકલનમાં પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારી માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, કારણ કે વર્કશોપનું ઉદ્ઘાટન – જે 9,000-હોર્સપાવર હાઇ-સ્પીડ ફ્રેઇટ એન્જિનનું ઉત્પાદન કરશે – એક મહત્વપૂર્ણ ઘટના છે.
20,000 કરોડ રૂપિયાના વર્કશોપનો શિલાન્યાસ પીએમ મોદી દ્વારા એપ્રિલ 2022માં કરવામાં આવ્યો હતો.
આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વર્કશોપમાં સિમ્યુલેટર તેમજ 9,000 HP WAG લોકોમોટિવના નવા વિકસિત પ્રોટોટાઇપનું નિરીક્ષણ કર્યું હતું. વૈષ્ણવે કહ્યું હતું કે પ્રોટોટાઇપ લોકોમોટિવ તૈયાર છે અને તેના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “આ લોકોમોટિવ 89% મેક-ઇન-ઇન્ડિયા પ્રોજેક્ટ છે અને તે KAVACH ટેકનોલોજી સહિત અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આગામી ત્રણ વર્ષમાં લોકોમોટિવ નિકાસ થવાનું શરૂ થશે અને તે દાહોદને વિશ્વભરમાં વૈશ્વિક નામ બનાવશે.”
આ પણ વાંચો: ‘ભારત કોઈ ધરમશાળા નથી, અમે પોતે 140 કરોડ છીએ’, સુપ્રીમ કોર્ટે કહ્યું- કોઈ બીજા દેશમાં જતા રહો
પીએમની ભુજ મુલાકાતની વિગતો હજુ સુધી પુષ્ટિ થઈ નથી પરંતુ તેઓ દેવી આશાપુરા અને માતા નો મઢના મંદિરની મુલાકાત લે તેવી આશા છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર બાદ તેમને ભુજ એરફોર્સ બેઝની વડાપ્રધાનની સંભવિત મુલાકાત માટે વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી.
સોમવારે, સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, જેઓ કચ્છ જિલ્લાના પ્રભારી છે, તેમણે તે સ્થળની મુલાકાત લીધી જ્યાં જાહેર સભા માટે ગુંબજ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીઓનો ખ્યાલ લેતી વખતે પાનશેરિયા સાથે કચ્છ ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ હતા. તેમણે જણાવ્યું હતું કે, પાનશેરિયાએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેથી તેમને વ્યવસ્થાની જાણકારી મળી શકે.