રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં નદીને પ્રણામ કર્યા, લોકોએ યમુનાની ગંદકીને લઈ ઉડાવી મજાક

રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) એ તસવીર (Photo) શેર કરીને લખ્યું કે, તેમણે શ્રી સોમનાથ મહાદેવ મંદિર (Somnath temple) ની નજીક સ્થિત ત્રણ નદીઓ (Rivers) - સરસ્વતી, કપિલા અને હરણના અદ્ભુત ત્રિવેણી મહાસંગમની મુલાકાત લીધી, લોકોએ સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક.

Written by Kiran Mehta
Updated : October 15, 2022 16:16 IST
રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં નદીને પ્રણામ કર્યા, લોકોએ યમુનાની ગંદકીને લઈ ઉડાવી મજાક
રાઘવ ચઢ્ઢા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly elections) ને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અનેક આક્ષેપો થઈ રહ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ (AAP MP) રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સતત ગુજરાત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે નદીને નમન કરતી તસવીર શેર કરી છે. રાઘવ ચઢ્ઢાના આ ટ્વિટ પર લોકો યમુના નદીને લઈ મજાક ઉડાવી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાએ તસવીર શેર કરી છે

રાઘવ ચઢ્ઢાએ તસવીર શેર કરીને લખ્યું કે, તેમણે શ્રી સોમનાથ મહાદેવ મંદિરની નજીક સ્થિત ત્રણ નદીઓ – સરસ્વતી, કપિલા અને હરણના અદ્ભુત ત્રિવેણી મહાસંગમની મુલાકાત લીધી. રાઘવ ચઢ્ઢાના આ ટ્વીટ પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને લોકો યમુના નદીની ગંદકીને લઈને મેણા-ટોણો મારી રહ્યા છે.

લોકોની પ્રતિક્રિયાઓ

દિલ્હી ભાજપના પ્રવક્તા અજય શેરાવતે લખ્યું કે, આટલી સ્વચ્છ તો માત્ર દિલ્હીની યમુના નદી જ હોઈ શકે છે, મોદીજીએ ગુજરાતમાં કર્યું જ શું છે. @DineshS58628688 યુઝરે લખ્યું કે, દિલ્હીમાં યમુના નદીની 7 વર્ષથી સાફ થઈ શકી નથી. સારું છે, ગુજરાતમાં મોદીજીની જ સ્વચ્છ નદીઓની મુલાકાત લો. @harshdcyadav યુઝરે લખ્યું કે, પાછા આવો અને યમુનાજીને આ રીતે સ્વચ્છ બનાવી દો, પછી પ્રચાર કરવાની જરૂર નહીં પડે, લોકો આપોઆપ વોટ કરશે. જેમ આજે બધા મોદીજીને આપે છે.

@bharatmaru8 યુઝરે લખ્યું કે, દિલ્હીની યમુના અને ગુજરાતની નદીઓમાં થોડો તફાવત છે? @arpispeaks યુઝરે લખ્યું કે, સારું જુઓ, અમદાવાદના રિવરફ્રન્ટ અને સુરતમાં જઈને તાપીનો રિવરફ્રન્ટ જુઓ અને પછી દિલ્હી જઈને યમુના કિનારે આવી ફોટો પોસ્ટ કરો, જો હિંમત હોય તો. @Rajeshk36797493 યુઝરે લખ્યું કે, ક્યારેક માતા યમુનાજીના પણ દર્શન કરો મહારાજ. મેં સાંભળ્યું છે કે, દિલ્હીમાં ખૂબ જ સ્વચ્છ અને શુદ્ધ પાણી વહી રહ્યું છે. આમ આદમી પાર્ટીના મોટાભાગના સામાન્ય લોકો યમુનાજીમાં સ્નાન કરે છે.

આ પણ વાંચોકોણ છે AAP ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયા? કોન્સ્ટેબલથી બન્યા કારકુન, મંત્રી પર જૂતું ફેંક્યું અને…’

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, અનેક નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત પહોંચી રહ્યા છે. આમ આદમી પાર્ટી વતી ભગવંત માન, અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા સતત ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન જ્યારે તેમણે નદીના કિનારે ઉભેલી તસવીર શેર કરી તો લોકો તેમને ખેંચવા લાગ્યા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ