Gujarat Election 2022 Rajkot : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, તમામ રાજકીય પક્ષોએ રાજ્યમાં તેમના પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધા છે. આ બધાની વચ્ચે રાજકોટમાં એક એવું ગામ છે જ્યાં કોઈ પક્ષને પ્રચાર કરવાની છૂટ નથી. રાજકોટના રાજ સમઢીયાળા ગામમાં રાજકીય પક્ષોને પ્રચાર કરવા દેવામાં આવતો નથી, પરંતુ અહીં મતદાન ન કરનારને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
ગામમાં કોઈ પણ પક્ષને પ્રચાર કરવા દેવામાં આવતો નથી: રાજ સમઢીયાળા ગામના સરપંચે જણાવ્યું હતું કે, 1983થી અહીં રાજકીય પક્ષોને પ્રચાર ન કરવા દેવાનો નિયમ છે, પરંતુ મતદાન બધા માટે ફરજિયાત છે. મતદાન ન કરનાર પર 51 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
રાજકોટના આ ગામના લોકોએ કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરોના પ્રવેશ અને પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ સમઢીયાળા ગામના લોકો માને છે કે, ઉમેદવારોને પ્રચાર કરવા દેવાથી વિસ્તારમાં નુકસાન થાય છે. તેથી જ ગામમાં કોઈપણ પક્ષને પ્રવેશવા અને પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ગામમાં પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
મતદાન ન કરી શકવા માટે કારણ આપવું પડે છે : રાજકોટથી 20 કિમી દૂર આવેલા રાજ સમઢીયાળા ગામની ગ્રામ વિકાસ સમિતિ (VDC) એ ઘણા ગામોના લોકો માટે ઘણા નિયમો બનાવ્યા છે, જેનું પાલન કરવું પડે છે. આમાંના કોઈપણ નિયમોનો ભંગ કરવા બદલ સમિતિ દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે. 1700ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. એક સ્થાનિકે જણાવ્યું કે, ગામમાં લગભગ 995 મતદારો છે અને અહીંના લોકો પોતાની મરજીથી મતદાન કરે છે. મતદાનના થોડા દિવસો પહેલા સમિતિના સભ્યો ગ્રામજનોની બેઠક બોલાવે છે અને જો કોઈ મતદાન ન કરી શકે તો સમિતિએ તેનું કારણ જણાવવાનું હોય છે.
આ પણ વાંચો – માણસાના ભાજપા ઉમેદવાર જયંતિ પટેલ એક સમયે મજૂરી કરતા, નસીબ પલટાયું, અત્યારે 661 કરોડના માલિક
મળતી માહિતી મુજબ, અત્યાર સુધી ગામના લોકો લગભગ 100 ટકા મતદાન કરે છે અને જે મતદાનથી દૂર રહે છે તેને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગામના સરપંચ કહે છે કે, અહીં લગભગ 100 ટકા મતદાન થાય છે. રાજ સમઢીયાળા ગામમાં Wi-Fi દ્વારા ઇન્ટરનેટ કનેક્શન, CCTV કેમેરા, પાવાનું શ્રેષ્ઠ પાણી માટે RO પ્લાન્ટ જેવી લગભગ દરેક આધુનિક સુવિધા આ ગામમાં છે.