એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાએ રાજીનામું કેમ આપ્યું? સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગયા હતા જેલ

Abhay Chudasama Resignation: અભય ચુડાસમા 1999 બેચના આઈપીએસ અધિકારી છે અને સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ તપાસ દરમિયાન તેમનું નામ સમાચારોમાં આવ્યું હતું.

Written by Rakesh Parmar
February 04, 2025 20:01 IST
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાએ રાજીનામું કેમ આપ્યું? સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગયા હતા જેલ
અભય ચુડાસમાએ 8 મહિના વહેલા રાજીનામું કેમ આપ્યું તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Abhay Chudasama Resignation: ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અભય ચુડાસમાની નિવૃત્તિ ઓક્ટોબર 2025 માં હતી, પરંતુ તેમણે 8 મહિના વહેલા રાજીનામું કેમ આપ્યું તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અભય ચુડાસમા ગાંધીનગરમાં કરાઈ પોલીસ તાલીમ એકેડેમીના પ્રિન્સિપાલ હતા અને અધિક પોલીસ મહાનિર્દેશકનો હોદ્દો ધરાવતા હતા.

અભય ચુડાસમા 1999 બેચના આઈપીએસ અધિકારી છે અને સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ તપાસ દરમિયાન તેમનું નામ સમાચારોમાં આવ્યું હતું.

ચુડાસમાની 2010 માં સીબીઆઈ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી અને 4 વર્ષ સુધી ચાલેલી લાંબી તપાસ બાદ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી રાજ્ય સરકારે તેમને નોકરીમાં પુનઃસ્થાપિત પણ કર્યા હતા.

અમિત શાહ પણ જેલમાં ગયા

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જેલમાં જવું પડ્યું હતું અને તેમને થોડો સમય ગુજરાતની બહાર પણ રહેવું પડ્યું હતું. ગુજરાત પોલીસના તત્કાલીન ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડીજી વણઝારાએ સોહરાબુદ્દીનના મૃત્યુને એન્કાઉન્ટર ગણાવ્યું હતું. આના થોડા મહિના પછી સોહરાબુદ્દીનના સાથી તુલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું.

ચુડાસમા સામે કયા આરોપો હતા?

સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે ચુડાસમાએ સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરના કાવતરામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એવો આરોપ હતો કે તેમણે કેસના મહત્વપૂર્ણ સાક્ષીઓને પણ ધમકી આપી હતી. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બીના પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો હતા.

આ પણ વાંચો: શિકાર કરવાની બાબતે ઝઘડો થતા એક મિત્રએ બીજા મિત્રને ગોળી મારી દીધી!

વર્ષ 2023 માં અભય ચુડાસમાને કરાઈ પોલીસ એકેડેમીમાં મોકલવામાં આવ્યા હતા. ગયા વર્ષે જ તેમને ADGPના પદ પર બઢતી આપવામાં આવી હતી. ગયા વર્ષે અભય ચુડાસમાએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ હવે રાજકારણમાં પ્રવેશ કરશે. જોકે તેમણે રાજકારણમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.

અભયે નિવૃત્તિ પહેલાં રાજીનામું કેમ આપ્યું તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. અભય ચુડાસમા ગુજરાત પોલીસના શક્તિશાળી પોલીસ અધિકારીઓમાં ગણાય છે. તેમણે 2008 માં અમદાવાદમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટની તપાસ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ