scorecardresearch

ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધશે, ‘વિભાજનકારી શક્તિઓ’નો સામનો પણ કરશે: PM મોદી

saurashtra tamil sangamam : સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ભારતના 2047ના લક્ષ્યાંક (India 2047 target) ની વાત કરી, વિભાજનકારી તાકાતો પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, આ શક્તિઓ વિકાસમાં અવરોધ ઉભા કરતી રહેશે પરંતુ ભારત આગળ વધતુ રહેશે.

saurashtra tamil sangamam pm modi speech
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ – પીએમ નરેન્દ્ર મોદી સ્પીચ

બુધવારે ગુજરાતમાં ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “વિભાજનકારી શક્તિઓ” તેના 2047 (વિકસિત રાષ્ટ્ર બનવાના) ધ્યેય તરફ ભારતની પ્રગતિમાં અવરોધ ઉભી કરવાનું કામ કરતી રહેશે.

“પીએમ મોદીએ તમિલોના એક જૂથને સંબોધિત કરતી વખતે કહ્યું, જેમના મૂળ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. “અમે વિવિધતાની ઉજવણી કરીએ છીએ. અમે વિવિધ ભાષાઓ અને કૌશલ્યના સેટની ઉજવણી કરીએ છીએ. અમારી માન્યતાઓમાં વિવિધતા છે. આ વિવિધતા આપણને વિભાજિત કરતી નથી, પરંતુ તે આપણા બંધન અને સંબંધોને મજબૂત બનાવે છે કારણ કે, જ્યારે વિવિધ પ્રવાહો એક સાથે આવે છે, જો ‘સંગમ’ હોય.

પીએમ મોદીએ યાદ કર્યું કે, કેવી રીતે તેમણે 2010માં મદુરાઈમાં આવો જ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે એ પણ ધ્યાન દોર્યું, કે કેવી રીતે થોડા મહિના પહેલા વારાણસીમાં કાશી-તમિલ સંગમ નામની સમાન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોદીએ સોમનાથ ખાતે પ્રેક્ષકોને સંબોધતા હિન્દીમાં કહ્યું હતું કે, “આજે, આપણી પાસે 2047 સુધીમાં ભારત (એક વિકસિત રાષ્ટ્ર તરીકે)નું લક્ષ્ય છે. અમારી પાસે પડકારો છે, જે ગુલામી (સ્વતંત્રતા પહેલાના દિવસો) અને ગુલામીમાંથી મુક્ત થયાના સાત દાયકા પછીના છે. આપણે દેશને આગળ લઈ જવાનો છે, પરંતુ રસ્તામાં આપણે વિભાજનકારી શક્તિઓ અને ગુમરાહ કરતા લોકોનો સામનો કરવો પડશે. પરંતુ ભારત મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે.”

તેમણે એ પણ ધ્યાન દોર્યું કે, ભારતના ઈતિહાસના કેટલાક ભાગોને ઘણા વર્ષો સુધી “છુપાયેલા” રાખવામાં આવ્યા હતા. “આપણ આપણા વારસા પર વધુ ગર્વ ત્યારે જ અનુભવીશું જ્યારે આપણે તેના વિશે શીખીશું અને ગુલામ માનસિકતામાંથી મુક્ત થઈશું અને આપણી જાતને શોધીશું. કાશી-તમિલ સંગમ હોય કે, સૌરાષ્ટ્ર-તમિલ સંગમ, આ કાર્યક્રમો આ માટે પ્રોત્સાહક ઝુંબેશ બની રહ્યા છે. ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના ઘણા ઐતિહાસિક લંબંધો જાણી જોઈને આપણી જાણકારીથી છુપાવવામાં આવ્યા હતા. વિદેશી આક્રમણ દરમિયાન સૌરાષ્ટ્રીયનોનું તમિલનાડુમાં સ્થળાંતર થોડા ઈતિહાસકારો પૂરતું મર્યાદિત હતું. પરંતુ, અગાઉ પણ આ બંને રાજ્યો પ્રાચીન સમયથી જોડાયેલા હતા.

પીએમ મોદીએ પૂછ્યું, “જ્યારે ભારત પર વિદેશી આક્રમણ શરૂ થયું, ત્યારે દેશની સંસ્કૃતિ અને સન્માન પર હુમલો સોમનાથ (મંદિર) પરના હુમલાના સ્વરૂપમાં આવ્યો. એ જમાનામાં આધુનિક સુવિધાઓ નહોતી. એ જમાનો ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો નહોતો. ત્યાં કોઈ હાઇ સ્પીડ ટ્રેન કે પ્લેન નહોતા. પરંતુ, આપણા વડવાઓ જાણતા હતા કે, આપણો દેશ હિમાલયથી હિંદ મહાસાગર સુધી વિસ્તરેલો છે. તેથી, તેઓ (સ્થળાંતરિત સૌરાષ્ટ્રીયનો) નવા વાતાવરણ, ભાષાઓ અને લોકો સાથે કેવી રીતે એડજસ્ટ થશે તેની ચિંતા નહોતી. તેઓ પોતાની આસ્થા અને ઓળખ બચાવવા માટે સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં મોટી સંખ્યામાં સ્થળાંતર કરી ગયા. તમિલનાડુના લોકોએ તેમનું સ્વાગત કર્યું અને નવું જીવન શરૂ કરવા માટે તેમને ટેકો આપ્યો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું આનાથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે?”

આ પણ વાંચોસૌરાષ્ટ્ર તમિલ સંગમમ : સૌરાષ્ટ્રથી તમિલ સ્થળાંતર પર જવાબો શોધી રહ્યા સૌરાષ્ટ્રીયન તમિલો, કેટલાક પ્રથમ વખત કરી ગુજરાત યાત્રા

આ કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “આ ઈવેન્ટ એક ઐતિહાસિક ઘટના છે, જે પશ્ચિમ અને દક્ષિણ ભારતને એકસાથે લાવે છે. તેનો હેતુ ગુજરાત અને તમિલનાડુની ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરવાનો છે. આક્રમણકારો આપણા દેશની એકતાને તોડવાનો અને તેની સંસ્કૃતિને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો.

ડિસ્ક્લેઈમર : આ આર્ટિકલ ધ ઈન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Saurashtra tamil sangamam pm narendra modi speech india 2047 target confront divisive forces

Best of Express