જાપાન-ઈઝરાયલ માફક અમદાવાદ સહિત ગુજરાતના 5 શહેરોમાં બનશે Sponge Park, હવે નહીં આવે પૂર!

Ahmedabad Sponge Park: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં સ્પંજ પાર્ક બનાવવાની યોજના બનાવી છે. આ યોજના પર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવશે. આ અંતર્ગત શહેરના વાસણા, વેજલપુર, બોડકદેવ સહિત પાંચ વિસ્તારોમાં સ્પંજ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Sponge Park: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં સ્પંજ પાર્ક બનાવવાની યોજના બનાવી છે. આ યોજના પર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવશે. આ અંતર્ગત શહેરના વાસણા, વેજલપુર, બોડકદેવ સહિત પાંચ વિસ્તારોમાં સ્પંજ પાર્ક બનાવવામાં આવશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
rain water harvesting, Ahmedabad Sponge park,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં સ્પંજ પાર્ક બનાવવાની યોજના બનાવી છે. (Express File Photo)

Ahmedabad Sponge Park: ગુજરાતમાં આ વર્ષે ખુબ જ વરસાદ પડ્યો છે. આ વખતે મેઘરાજાએ એવી ધડબડાટી બોલાવી હતી કે રાજ્યના વિકાસ મોડલ પર સવાલો પણ ઉભા થયા હતા. કારણ કે ચોમાસા દરમિયાન અમદાવાદથી લઈ વડોદરા અને સુરત સુધીના તમામ શહેરોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. આ પૂરના કારણે હજારો લોકોને પોતાનું ઘર છોડીને જવાનો વારો આવ્યો હતો અને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. આવામાં અમદાવાદ મહાનગરપાલિકા એ શહેરમાં વરસાદી પાણીને રોકવા માટે એક પ્લાન બનાવ્યો છે.

Advertisment

સ્પંજ પાર્ક બનાવવાની યોજના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં સ્પંજ પાર્ક બનાવવાની યોજના બનાવી છે. આ યોજના પર પાયલ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવશે. આ અંતર્ગત શહેરના વાસણા, વેજલપુર, બોડકદેવ સહિત પાંચ વિસ્તારોમાં સ્પંજ પાર્ક બનાવવામાં આવશે. સ્પંજ પાર્કને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ડિઝાઈન કરવામાં આવશે. આ પ્રકારના સ્પંજ પાર્ક ચીન, જાપાન, ઈઝરાયેલ સહિત ઘણા દેશોમાં જોવા મળે છે. ભારતના ચેન્નાઈમાં પણ આવા સ્પંજ પાર્ક છે. અમદાવાદમાં પાંચ સ્થાનો પર સ્પંજ પાર્ક પર 6.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને મળશે એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ

આ પાર્કથી ભૂજળ રિચાર્જ થશે

સ્પંજ પાર્ક વિશેની જાણકારી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં પાણીની લાઈન લગાવીને વરસાદી પાણીને સ્પંજ પાર્કમાં લાવવામાં આવશે. જે જમીનની અંદર પહોંચીને ભૂજળને રિચાર્જ કરશે. ચોમાસામાં જનતા માટે સ્પંજ પાર્ક બંધ રહેશે. જ્યારે સ્પંજ પાર્ક શિયાળા અને ઉનાળાની ઋતુમાં ખુલ્લુ રહેશે.

Advertisment

સ્પંજ પાર્ક વિશે કેટલીક મહત્ત્વની વાતો:

  • નીચાણવાળા વિસ્તારોમાં સ્પંજ પાર્ક ફાયદાકારક હોય છે.
  • આ પાર્કમાં તળાવો અને ખાડાઓ બનાવવામાં આવે છે, જે સ્પંજની જેમ કામ કરે છે.
  • આ પાર્કમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે રસ્તાઓ પાર્ક તરફ સહેજ ઢાળ પર મૂકવામાં આવે છે.
  • આ પાર્કમાં પાણીને ઢાળની બાજુમાં પંપ માટે નિર્દેશિત કરવામાં આવે છે.
  • વધારાનું પાણી સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં મોકલવામાં આવે છે.
  • સ્પંજ પાર્ક શુષ્ક હવામાનમાં પણ મદદ કરે છે.
  • આ પાર્ક માનવસર્જિત મોટા-મોટા સમાધાનોની તુલનામાં સસ્તા અને વધુ અસરકારક છે.
ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત