/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Violence-at-AAP-rally-in-Gujarat.jpg)
AAP એ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે તેના કેટલાક નેતાઓને રેલીમાં હાજરી આપતા અટકાવવા માટે નજરકેદ કરવામાં આવ્યા હતા. (તસવીર: X)
ગુજરાતના બોટાદમાં ગઈકાલે રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હિંસા ફાટી નીકળી. આ દરમિયાન પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા. જેથી પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસને ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા. આ ઘટના બાદ લગભગ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતો પર દમનનો સિલસિલો ચાલી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે, ગુજરાતના બોટાદ જિલ્લામાં AAP દ્વારા ખેડૂતો માટે આયોજિત મહાપંચાયત પર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ટીયરગેસના શેલ છોડવા પડ્યા. તેમણે કહ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે દાવો કર્યો હતો કે તે સાંજે હડદડ ગામમાં મહાપંચાયત યોજવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.
SP ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે મહાપંચાયત ગેરકાયદેસર રીતે યોજાઈ હતી. લોકો બજારમાં નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ગામમાં ભેગા થયા હતા. જ્યારે પોલીસે તેમને વિખેરાઈ જવા કહ્યું, ત્યારે તેઓએ તેમના પર પથ્થરમારો કર્યો. પથ્થરમારામાં પોલીસ વાહનને નુકસાન થયું હતું.
ખેડૂતોની બોટાદ માર્કેટિંગ યાર્ડ પાસે મહત્વપૂર્ણ માગણીઓ હતી જે લેખિતમાં યાર્ડ ચેરમેને માની નહીં.
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કિસાન મહાપંચાયતની મંજૂરી ના મળતા હડદડ ગ્રામ વાસીઓ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો કે મહાપંચાયત અમારા ગામમાં કરી દો ત્યારે ત્યાં ભેગા થયેલા ખેડૂતો અને આખા ગામ પર… pic.twitter.com/4HRJmZNRaC— AAP Gujarat (@AAPGujarat) October 13, 2025
તેમણે કહ્યું કે પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો અને ટીયરગેસના શેલ છોડ્યા. તેમણે કહ્યું કે ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. લગભગ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
દરમિયાન, આમ આદમી પાર્ટીએ કહ્યું કે કથિત ભ્રષ્ટાચાર સામે કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા માટે સ્થાનિક માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. પાર્ટીએ દાવો કર્યો હતો કે ગુજરાત AAP પ્રમુખ ઇસુદાન ગઢવી અને અન્ય લોકોને સ્થળ પર પહોંચે તે પહેલાં જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/AAP-farmers-rally-in-Gujarat.jpg)
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ કાર્યવાહી ભાજપ સરકારના ઇશારે કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે AAP નેતા રાજુભાઈ કરપડાએ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લૂંટવાની ભાજપ સાથીઓની પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો. ભાજપ અને પોલીસે જાણી જોઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં વિક્ષેપ પાડ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળાની દસ્તક, અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો
AAP એ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે તેના કેટલાક નેતાઓને રેલીમાં હાજરી આપતા અટકાવવા માટે નજરકેદ કરવામાં આવ્યા હતા. AAP ના ગુજરાત ખેડૂત સેલના નેતા રાજુભાઈ કરપડા એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે પોલીસ પહોંચી. પાર્ટીએ કહ્યું કે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા.
આ દરમિયાન AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, "ગુજરાતમાં શું થઈ રહ્યું છે? આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ખેડૂતોની રેલીમાં હાજરી આપવા જઈ રહ્યા હતા અને રસ્તામાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી. ગુજરાતમાં ખેડૂતો પર દમનનું સંપૂર્ણ ચક્ર ચાલી રહ્યું છે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us