‘મુસ્લિમ વેપારીઓ હિન્દુ વિસ્તારોમાં દુકાનો ખોલી શકે તેની ખાતરી કરો’, જાણો હાઈકોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું

High Court To Gujarat Govt: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થાની યાદ અપાવતા કહ્યું કે તેને જાળવી રાખવું એ તેની ફરજ છે.

High Court To Gujarat Govt: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થાની યાદ અપાવતા કહ્યું કે તેને જાળવી રાખવું એ તેની ફરજ છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat High Court, Muslim trader

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થાની યાદ અપાવતા કહ્યું કે તેને જાળવી રાખવું એ તેની ફરજ છે. (Express File Photo)

High Court To Gujarat Govt: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થાની યાદ અપાવતા કહ્યું કે તેને જાળવી રાખવું એ તેની ફરજ છે. સાથે જ હાઈકોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ વડોદરાના એક હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં એક મુસ્લિમ વેપારીને કાયદેસરની માલિકીની દુકાનમાંથી વ્યવસાય કરવામાં આવતી સમસ્યાનું નિરાકરણ લાવે.

Advertisment

જસ્ટિસ એચડી સુથારની બેન્ચના આ આદેશથી અરજદાર ઓનાલી ઢોલકાવાળાને રાહત મળી છે. ઢોલકાવાળાએ આરોપ લગાવ્યો હતો કે તેમને સતત પોતાની દુકાન ખોલતા અટકાવવામાં આવી રહ્યા છે, કારણ કે કેટલાક સ્થાનિક લોકો મુસ્લિમ વેપારીને આ વિસ્તારમાં વ્યવસાય કરવા દેવા માંગતા ન હતા.

શું છે આખો મામલો?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઢોલકાવાળાએ 2016 માં ચંપાનેર ગેટ નજીક બે હિન્દુ ભાઈઓ પાસેથી કાયદેસર રીતે દુકાન ખરીદી હતી, પરંતુ આ વિસ્તાર 'ગુજરાત ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, 1991' હેઠળ આવે છે, જે મિલકતના વ્યવહારોનું નિયમન કરે છે અને કોઈપણ જમીન કે મિલકત ખરીદવા માટે કલેક્ટરની પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત છે. તેમણે હાઈકોર્ટની મદદથી 2020 માં વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યો હતો.

આમ છતાં વિસ્તારના કેટલાક લોકોએ મુસ્લિમને મિલકત વેચવાનો વિરોધ કરીને અને તેને રદ કરવાની માંગણી કરીને કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે દાવો કર્યો હતો કે મુસ્લિમને મિલકત આપવાથી વિસ્તારમાં વસ્તી સંતુલન ખલેલ પહોંચશે અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ શકે છે.

Advertisment

હાઈકોર્ટે શું કહ્યું?

જોકે, ફેબ્રુઆરી 2023 માં હાઈકોર્ટે આ વાંધાઓને ફગાવી દીધા અને બંને અરજદારો પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો, એમ કહીને કે તેઓ 'મિલકતના કાનૂની માલિકને તેના હકથી વંચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે'. આ પછી પણ સ્થાનિક રહેવાસીઓએ ઢોલકાવાળાને દુકાન ખોલવા દીધી ન હતી અને કાટમાળ ફેંકીને દુકાનના દરવાજાને અવરોધિત કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ; સુરતમાં શાળાઓ બંધ, આ જિલ્લાઓમાં 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી?

આના પર ઢોલકાવાળાને ફરી એકવાર હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો. અરજીમાં તેમણે દુકાનનું સમારકામ કરાવવા અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પોલીસ સુરક્ષાની માંગ કરી. તેમણે એમ પણ કહ્યું કે તેમણે ઘણી વખત સ્થાનિક પોલીસની મદદ માંગી હતી પરંતુ તેમને કોઈ સહયોગ મળ્યો ન હતો.

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ વ્યક્તિને તેની કાયદેસર રીતે ખરીદેલી મિલકતનો ઉપયોગ કરતા અટકાવવા એ બંધારણ અને કાયદાનું ઉલ્લંઘન છે. રાજ્ય સરકારની જવાબદારી છે કે તે દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરે અને તેને તેના કાયદેસર અધિકારો અપાવે.

ગુજરાત હાઇકોર્ટ વડોદરા ગુજરાત