/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Anandiben-Patel-Video-goes-viral.jpg)
આનંદીબેન પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. (તસવીર: X)
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રવિવારે મહિલાઓની સુરક્ષાનો હવાલો આપતા ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાનો વિરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મહિલાઓ આજે પણ મુક્તપણે બહાર નીકળી શકતી નથી.
તેમના જીવન પરના પુસ્તક "ચુનૌતિયાં મુઝે પસંદ હૈ" ના ગુજરાતી સંસ્કરણના વિમોચન પ્રસંગે બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તુલના ચાણક્ય સાથે કરી અને ઉમેર્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સલાહ આપશે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આનંદીબેન પટેલ અને અમિત શાહ કેબિનેટ મંત્રી હતા.
શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાષણ આપ્યા પછી તરત જ નીકળી ગયા હતા કારણ કે તેમને બીજા કાર્યક્રમમાં હાજરી આપવાની હતી, ત્યારબાદ આનંદીબેને કહ્યું: "ગૃહમંત્રી હમણાં જ બીજા કાર્યક્રમ માટે ગયા છે. આપણે બધા તેમને ચાણક્યના નામથી ઓળખીએ છીએ. અને તેઓ ખરેખર ચાણકય છે. (તેઓ જાણે છે) કોને પ્રોત્સાહન આપવું અને કોને નહીં…".
આ પણ વાંચો: કંડલામાં બુલડોઝર કાર્યવાહી: આશરે ₹250 કરોડની 62 એકર જમીન ખાલી કરાવાઈ
કહ્યું, "તેઓ (શાહ) નરેન્દ્રભાઈને પણ કહેતા…આ જ કરવું જોઈએ. કારણ કે અમે કેબિનેટમાં સાથે બેસતા હતા. આ બાબતો તેમને અનુકૂળ આવે છે, મને નહીં. મારી પાસે શિક્ષકનો આત્મા છે…હું શિક્ષણ સિવાય બીજું કંઈ કરી શકતી નથી. આ બધું તેમના (શાહ) માટે છે."
ગુજરાતમાં દારૂબંધી અંગે તેમણે કહ્યું: "મેં સાંભળ્યું છે કે તમે ગુજરાતમાં દારૂબંધી ખોલવાની વાત કરી રહ્યા છો. મેં તે અખબારોમાં વાંચ્યું છે. આપણા ગુજરાતમાં મહિલાઓ રાત્રે ચાર વાગ્યા સુધી ગરબા રમી શકે છે અને તે દારૂબંધીને કારણે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ સ્થિતિ એવી છે કે મહિલાઓ આજે પણ બહાર નીકળી શકતી નથી. આપણે બધું કરતા પહેલા ઘણું વિચારવું જોઈએ. તેના શું પરિણામો આવશે… જુઓ કે અહીં જે લોકો ACS (અતિરિક્ત મુખ્ય સચિવ) અને CS (મુખ્ય સચિવ) રહ્યા છે તેમના પરિવારો (નિવૃત્તિ પછી) ક્યાં સ્થાયી થયા છે? શું તેઓ (પોતાના વતન રાજ્યોમાં) પાછા ગયા કે ગુજરાતમાં સ્થાયી થયા? તેઓ ગુજરાતમાં કેમ સ્થાયી થયા? (તેમની) પુત્રીઓ માટે, મહિલાઓ માટે શાંતિ. અને તે શાંતિનો ભંગ થવા દેવો ના જોઈએ."
અગાઉના કાર્યક્રમમાં અમિત શાહે આનંદીબેન પટેલની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે "ધીરજપૂર્વક આંદોલનોને સંભાળ્યા", જે 2015 ના પાટીદાર આંદોલનનો ઉલ્લેખ હોઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us