મોંઘા વિદેશી સફરજન કે કાશ્મીરી સફરજન? કયા વધુ સ્વાસ્થ્યપ્રદ છે? એક્સપર્ટે જણાવ્યું

લાઇફ સ્ટાઇલ | હૈદરાબાદના પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર આનો સ્પષ્ટ જવાબ આપે છે કે  ભારતમાં ઉગાડવામાં આવતા સફરજન કે વિદેશથી આયાત કરાયેલા સફરજન ક્યાં હેલ્ધી માટે વધુ ગુણકારી માનવામાં આવે છે? 

લાઇફ સ્ટાઇલ | હૈદરાબાદના પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર આનો સ્પષ્ટ જવાબ આપે છે કે  ભારતમાં ઉગાડવામાં આવતા સફરજન કે વિદેશથી આયાત કરાયેલા સફરજન ક્યાં હેલ્ધી માટે વધુ ગુણકારી માનવામાં આવે છે? 

author-image
shivani chauhan
New Update
Apples grown in India or apples imported from abroad which is better for health

ભારતમાં ઉગાડવામાં આવતા સફરજન કે વિદેશથી આયાત કરાયેલા સફરજન સ્વાસ્થ્ય માટે ક્યાં સારા એક્સપર્ટ ટિપ્સ । Apples grown in India or apples imported from abroad which is better for health Expert tips in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | સફરજન (apples) એક હેલ્ધી ફ્રૂટ ફળ છે જે આપણે બધા જાણીએ છીએ કે પરંતુ જ્યારે આપણે દુકાનમાં જઈએ છીએ, ત્યારે આપણે ઘણીવાર મૂંઝવણમાં પડી જઈએ છીએ કે શું આપણે વધુ કિંમત ચૂકવીને મોંઘા વિદેશી સફરજન ખરીદવા જોઈએ, કે પછી આપણા પોતાના દેશમાં (હિમાચલ અને કાશ્મીર) ઉગાડવામાં આવતા સફરજન ખરીદવા જોઈએ?

Advertisment

હૈદરાબાદના પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર આનો સ્પષ્ટ જવાબ આપે છે કે  ભારતમાં ઉગાડવામાં આવતા સફરજન કે વિદેશથી આયાત કરાયેલા સફરજન ક્યાં હેલ્ધી માટે વધુ ગુણકારી માનવામાં આવે છે? 

ભારતના કે વિદેશી કયા સફરજન વધુ સારા?

જ્યારે ટેકનોલોજી સફરજનને મહિનાઓ સુધી 'તાજા' રાખી શકે છે, ત્યારે તેનું પોષણ મૂલ્ય કંઈક અલગ જ વાર્તા કહે છે, ડૉ. કુમારે સમજાવ્યું કે "સંશોધન સૂચવે છે કે વિટામિન સી ખૂબ જ નાશવંત પોષક તત્વો છે. નિયંત્રિત વાતાવરણમાં સંગ્રહિત સફરજન પાંચથી નવ મહિનામાં તેમના વિટામિન સીના 40 થી 85 ટકા ગુમાવી શકે છે."

હૈદરાબાદના પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર આનો સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ઉગાડવામાં આવતા સફરજન વિદેશથી આયાત કરાયેલા સફરજન કરતાં સ્વાસ્થ્ય માટે વધુ સારા છે.

Advertisment

તેમણે હિમાલયના સફરજન સ્થાનિક બજારોમાં કેટલી ઝડપથી પહોંચે છે અને ગરમી અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ પોષક તત્વો કેવી રીતે સાચવે છે તે વિશે ઉમેર્યું કે  "આયાતી સફરજન અઠવાડિયા સુધી મુસાફરી કરે છે અને ભારતમાં પહોંચવા માટે 10,000 કિમીથી વધુ અંતર કાપે છે. પરંતુ હિમાલયના ભારતીય સફરજન તમારી પ્લેટમાં ખૂબ ઝડપથી પહોંચે છે, જે તેને તેના પોષક તત્વોને વધુ સારી રીતે જાળવી રાખવામાં મદદ કરે છે."

દૂર દૂરથી આવતા સફરજનને ઘણીવાર મીણથી ભેળવવામાં આવે છે જેથી તે અકબંધ રહે. જોકે, ભારતમાં ઉગાડવામાં આવતા સફરજનમાં આવા રસાયણોનું પ્રમાણ પ્રમાણમાં ઓછું હોય છે. આપણા દેશી સફરજનમાં વધુ કુદરતી ઘટકો હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરે છે. હાઈ ટ્રાન્સપોર્ટેશન ના ખર્ચને કારણે આયાતી સફરજનની ઊંચી કિંમત ચૂકવવી પડે છે. જોકે ક્વોલિટી  ભારતીય સફરજન ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

જ્યારે આપણે ચળકતા, મોટા વિદેશી સફરજન જોઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે તે સારી ગુણવત્તાના છે. પરંતુ ખરેખર તો આપણી પોતાની જમીનમાં ઉગાડેલા સફરજન ખાવા એ લાંબા અંતરની મુસાફરી કરીને આવેલા ફળો કરતાં વધુ સ્વાસ્થ્યપ્રદ છે.

જીવનશૈલી