Asthma care in Diwali: અસ્થમાના દર્દી દિવાળી પર રાખે ખાસ ધ્યાન, ફટાકડાનો ધુમાડો બની શકે છે મોટી સમસ્યા

Asthma Care on Diwali: જેમ-જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ-તેમ પ્રદૂષણ વધવા લાગે છે અને દિવાળી નજીક આવતાં જ તેમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Asthma Care on Diwali: જેમ-જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ-તેમ પ્રદૂષણ વધવા લાગે છે અને દિવાળી નજીક આવતાં જ તેમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Asthma care in Diwali, Asthma Patients, Diwali 2024, Firecracker smoke,

દિવાળી દરમિયાન અને પછી ફટાકડાનો ધુમાડો ફેફસામાં બળતરા અને અસ્થમાના હુમલાનું કારણ બની શકે છે. (તસવીર: CANVA)

Asthma Care on Diwali: જેમ-જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ-તેમ પ્રદૂષણ વધવા લાગે છે અને દિવાળી નજીક આવતાં જ તેમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમય દરમિયાન ફટાકડામાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષણ હવાને બગાડે છે, જે અસ્થમાના દર્દીઓ માટે શ્વાસની તકલીફમાં વધુ વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં અહીં જાણો કેવી રીતે તમે તમારી જાતનું ખાસ ધ્યાન રાખી શકો છો.

Advertisment

ઇન્હેલરને સાથે રાખો

અસ્થમાના દર્દીઓને માત્ર ઇન્હેલર જ તેમનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. તેથી તમારે હંમેશા તમારું ઇન્હેલર તમારી સાથે રાખવું જોઈએ અને તેનો નિયમિત ઉપયોગ કરતા રહેવું જોઈએ. આ સિવાય તમારી સાથે રેસ્ક્યૂ ઇન્હેલર પણ રાખો, જેથી તમને ઈમરજન્સીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ફટાકડાથી દૂર રહો

ફટાકડામાંથી નીકળતો ધુમાડો અસ્થમાના દર્દીઓ માટે સમસ્યાનું કારણ બની શકે છે. તેથી ફટાકડાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. જો તમે દિવાળી પર પરિવાર કે મિત્રો સાથે સમય પસાર કરવા માંગતા હોવ તો એવી જગ્યાએ રહેવાનો પ્રયાસ કરો જ્યાં પ્રદૂષણ ઓછું હોય.

આ પણ વાંચો: કોઈ પણ પ્રકારની ઝંઝટ વિના મલાઈમાંથી નીકાળો ઘી, કુકરમાં 2 સીટી લગાવીને ફોલો કરો આ રીત

Advertisment

પ્રદૂષણથી બચવાનો પ્રયાસ કરો

દિવાળી દરમિયાન અને પછી ફટાકડાનો ધુમાડો ફેફસામાં બળતરા અને અસ્થમાના હુમલાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ વધુ પડતું બહાર જવાનું ટાળવું જોઈએ. જો તમારે બહાર જવું જરૂરી હોય તો ચોક્કસથી માસ્ક પહેરવાનું રાખો.

તમારા આહાર પર ધ્યાન આપો

અસ્થમાના દર્દીઓએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ. દિવાળી પર તળેલા ખોરાક ખાવાનું ટાળો. વધુ પડતો તેલવાળો અને મસાલેદાર ખોરાક ખાવાથી એસિડિટી વધી શકે છે, જે અસ્થમાના દર્દીઓ માટે સ્વાસ્થ્યપ્રદ નથી. બને તેટલા તાજા ફળો, શાકભાજી અને પાણીનું સેવન કરો, જેથી તમે હાઈડ્રેટેડ અને સ્વસ્થ રહી શકો.

ઘરે હર્બલ ડેકોરેશન બનાવો

દિવાળીની સજાવટ માટે માત્ર હર્બલ અને કુદરતી સજાવટનો જ ઉપયોગ કરો. કારણ કે ધૂપ, અગરબત્તી અને કેમિકલની ગંધવાળી વસ્તુઓ અસ્થમાના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ વસ્તુઓને બદલે, ફૂલો અને કુદરતી સુગંધનો ઉપયોગ કરો.

Disclaimer: ઉપર આપવામાં આવેલી જાણકારી પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લેવી. Gujarati Indian Express આ જાણકારીનું દાવો કરતુ નથી.

diwali health tips જીવનશૈલી