વજન ઘટાડવા માટે રાતનું ખાવાનું છોડી દેવું યોગ્ય છે કે નહીં? જાણો તેની આડઅસરો

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ઘણા લોકો રાત્રે ખાવાનું છોડી દે છે. તેઓ માને છે કે કેલરીનું સેવન ઓછું કરવાથી વજન ઝડપથી ઘટશે. જોકે આના કારણે ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

Written by Rakesh Parmar
February 24, 2025 18:49 IST
વજન ઘટાડવા માટે રાતનું ખાવાનું છોડી દેવું યોગ્ય છે કે નહીં? જાણો તેની આડઅસરો
શું વજન ઘટાડવા માટે રાત્રિ ભોજન છોડવું સ્વાસ્થ્યપ્રદ છે? (તસવીર: Freepik)

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ઘણા લોકો રાત્રે ખાવાનું છોડી દે છે. તેઓ માને છે કે કેલરીનું સેવન ઓછું કરવાથી વજન ઝડપથી ઘટશે. જોકે આના કારણે ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ત્યાં જ ખોરાકમાં કેલરી ઘટાડવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ભોજન છોડી દેવાથી ખાસ કરીને રાત્રિ ભોજન અણધારી અસરો કરી શકે છે. રાતનું ભોજન એ એક આવશ્યક ભોજન છે જે લાંબા દિવસ પછી શરીરને ફરીથી ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે અને તમને સારી ઊંઘ પણ અપાવી શકે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને રાત્રે ખાવાનું નથી ખાતા તો તેનાથી ઘણી આડઅસરો થઈ શકે છે.

મેટાબોલિઝમ પર પડે છે અસર

રાત્રિ ભોજન છોડવાથી શરીરના મેટાબોલિઝમ (ચયાપચય)માં વિક્ષેપ પડી શકે છે, જેના કારણે ઉર્જાનો અનિયમિત ખર્ચ અને પોષક તત્વોનો ઉપયોગ થાય છે. સાંજે સતત ભોજન છોડી દેવાથી તમારા ચયાપચયમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી કેલરી બર્ન કરવી અને વજન નિયંત્રિત કરવું મુશ્કેલ બને છે. આ વજન ઘટાડવાના પ્રયાસોમાં અવરોધ લાવી શકે છે અને શરીર પર નકારાત્મક અસરો પણ કરી શકે છે.

ઊંઘમાં ખલેલ પડી શકે છે

રાત્ર ન ખાવાથી તમારી ઊંઘ પર અસર પડી શકે છે. ઊંઘનો અભાવ વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં નબળી રોગપ્રતિકારક શક્તિ, મૂડ ખરાબ થવું, ઉર્જા સ્તરમાં ઘટાડો અને સુસ્ત ચયાપચયનો સમાવેશ થાય છે. સ્વસ્થ ઊંઘ જાળવવા માટે પોષણ અને ખાસ કરીને રાતનું ખાવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી ફીટ રહેવા માટે શું ખાય છે? આ રહ્યો તેનો ડાયટ પ્લાન

બ્લડ સુગરમાં વધારો

રાત્રે સ્વસ્થ આહાર લેવાથી તમારું બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે અને આની મદદથી તમે તમારા વજનને પણ યોગ્ય રીતે નિયંત્રિત કરી શકો છો. આવામાં જો તમે રાત્રિ ભોજન ન કરો તો આ સંતુલન ખોરવાઈ શકે છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધી શકે છે. આનાથી ડાયાબિટીસ અને ચયાપચય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી પર કાર્ય કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતોની સલાહ લો. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ માહિતીનો દાવો કરવામાં આવી રહ્યો નથી)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ