scorecardresearch

દેબીના બોનરજીએ ઈન્ફ્લુએન્ઝા બી વાયરસના નિદાન વિશે કર્યો ખુલાસો

Influenza B virus: Oseltamivir (Tamiflu) અને zanamivir (Relenza) એ દવાઓ છે જેનો ઉપયોગ ડોકટરો ઈન્ફલ્યુએન્ઝા B વાયરસ (Influenza B virus0 ની સારવાર ( treatment) માટે કરી શકે છે.

Debina Bonnerjee is suffering from persistent fever and cough (Source: Debina Bonnerjee/Instagram)
દેબીના બોનરજી સતત તાવ અને ઉધરસથી પીડિત છે (સ્રોતઃ દેબીના બોનર્જી/ઇન્સ્ટાગ્રામ)

દેબીના બોનરજી, જે છેલ્લા કેટલાક દિવસોથી સતત તાવ અને ઉધરસ સહિત તેમના ખરાબ સ્વાસ્થ્ય અંગે નિયમિત અપડેટ્સ શેર કરી રહી છે, તાજેતરમાં તેણે જાહેર કર્યું છે કે તેને ઈન્ફલ્યુએન્ઝા બી વાયરસ હોવાનું નિદાન થયું છે. દેબીનાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના ચાહકો અને ફોલોવર્સને અપડેટ આપી હતી.

દેબીનાએ લખ્યું હતું કે, “તેને ઈન્ફ્લુએન્ઝા બી વાયરસથી બીમારી પડી હતી. સારું, મમ્મા અટકી જાઓ! હવે મારા બાળકોથી દૂર રહું છું…માતૃત્વ કંઈપણ કહો પણ સરળ છે, ” તેણે ટેસ્ટ રિપોર્ટની એક નકલ પણ શેર કરી હતી, તેણીના લક્ષણો તાવ અને ઉધરસ છે.

અગાઉ, અભિનેત્રી -વ્લૉગરે શેર કર્યું હતું કે તેના ડૉક્ટરની સલાહ પર, તેણે તાવનો સામનો કરવા માટે ઠંડા પાણીથી નહિ હતી,આ ઉપરાંત મલ્ટિવિટામિન ટીપાં પણ લીધાં હતા.

ઈન્ફલ્યુએન્ઝા બી વાયરસ શું છે?

ઈન્ફલ્યુએન્ઝા, જે સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખાય છે એ ફ્લૂના વાયરસને કારણે થતો શ્વસન ચેપ છે. ઈન્ફલ્યુએન્ઝાના મુખ્ય ત્રણ પ્રકાર છે: A, B અને C. પ્રકાર A અને B સમાન છે, પરંતુ ઈન્ફલ્યુએન્ઝા B માત્ર માણસમાંથી માણસમાં જ પસાર થઈ શકે છે. શારદા હોસ્પિટલના MD (આંતરિક દવા) ડૉ. શ્રેય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,“ઈન્ફ્લુએન્ઝા બી પણ અત્યંત ચેપી છે અને વધુ ગંભીર કિસ્સાઓમાં તમારા સ્વાસ્થ્ય પર જોખમી અસરો કરી શકે છે. પ્રકાર B ઈન્ફલ્યુએન્ઝા મોસમી હોઈ શકે છે અને તે આખા વર્ષ દરમિયાન ટ્રાન્સફર થઈ શકે છે.”

આ પણ વાંચો: અલ્ઝાઈમર રોગ:માત્ર 19 વર્ષની ઉંમરે યુવાનને થયો આ રોગ ડિટેકટ

લક્ષણો

ડૉ. શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ફ્લૂના લક્ષણો અચાનક દેખાય છે. તેમાં લક્ષણો નીચે પ્રમાણે છે,

  • હાઈ ગ્રેડ તાવ > 102F
  • અસ્વસ્થ હોવાની સામાન્ય લાગણી
  • ઉધરસ, જે સૂકી હોય છે
  • વહેતું નાક
  • ગળું છોલાવવું
  • સ્નાયુમાં દુખાવો
  • શરીરમાં દુખાવો
  • માથાનો દુખાવો
  • થાક

ડૉ. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,”જો સારવાર ન કરવામાં આવે, અથવા વધુ ગંભીર કિસ્સાઓમાં, ઈન્ફલ્યુએન્ઝા B ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ, શ્વસન નિષ્ફળતા, કિડનીની નિષ્ફળતા, મ્યોકાર્ડિટિસ અથવા હૃદયની બળતરા સેપ્સિસનું કારણ બની શકે છે.”

ઈન્ફલ્યુએન્ઝા બી શ્વસન લક્ષણો ઉપરાંત ઝાડા જેવા વધુ લક્ષણોનું કારણ બની શકે છે. ફોર્ટિસ હોસ્પિટલ મુલુંડ અને કલ્યાણના ચેપી રોગ નિષ્ણાત ડૉ કીર્તિ સબનીસે જણાવ્યું હતું કે, “જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેઓમાં ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.”

વધારે જોખમ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે તેમાં,

  • 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ખાસ કરીને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો
  • 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો
  • સગર્ભા સ્ત્રીઓ
  • નબળી રોગપ્રતિકારક શક્તિ અથવા અમુક ક્રોનિક પરિસ્થિતિઓ ધરાવતા લોકો

સારવાર

મોટા ભાગના લોકોમાં, ફ્લૂ બે અઠવાડિયામાં તેની જાતે જ મટી થઈ જાય છે. ડો. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “સ્વસ્થ થવા દરમિયાન, ફ્લૂથી પીડિત વ્યક્તિએ ઘરે જ રહેવું જોઈએ, અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો જોઈએ, પુષ્કળ પાણી પીવું જોઈએ અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણોને હળવા કરવા માટે ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લેવી જોઈએ.”

આ પણ વાંચો: જીભ સફેદ થવીએ આ વિટામિનની ઉણપની નિશાની હોઈ શકે, જાણો અહીં

ગંભીર કિસ્સાઓમાં, ડૉક્ટર એન્ટિવાયરલ દવાઓનો કોર્સ લખી શકે છે. Oseltamivir (Tamiflu) અને zanamivir (Relenza) એ દવાઓ છે જેનો ઉપયોગ ડોકટરો ઈન્ફલ્યુએન્ઝા B વાયરસની સારવાર માટે કરી શકે છે. ત્યાં ઘણા એન્ટિવાયરલ ઉપલબ્ધ છે, જો કે, બીમારીમાં શક્ય તેટલી વહેલી તકે એન્ટિવાયરલ શરૂ કરવી જોઈએ, ડૉ. સબનીસે જણાવ્યું હતું. “બીમારીના પછીના ભાગમાં, વાયરલ પ્રતિકૃતિ શરીરમાં નીચે આવે છે, અને તે અસરકારક રીતે કામ કરી શકશે નહીં. કેટલીક દવાઓ છે જે ઇન્હેલર દ્વારા પણ લઈ શકાય છે અને કેટલીક દવાઓ છે જે ટેબ્લેટ તરીકે લઈ શકાય છે. આ દવાઓ માત્ર ત્યારે જ અસરકારક છે જો ડોઝ વહેલી શરૂ કરવામાં આવે.

નિવારણ

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ભલામણ કરે છે કે છ મહિના કે તેથી વધુ ઉંમરના કોઈપણને થોડા અપવાદો સિવાય દર વર્ષે ઈન્ફલ્યુએન્ઝા રસી મળે.

સીડીસી ભારપૂર્વક જણાવે છે કે રસી મેળવવી તે ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેમને ફ્લૂ થવાનું જોખમ હોય. રસીની અસરકારકતાની માન્યતા એક વર્ષ માટે છે કારણ કે ઈન્ફલ્યુએન્ઝા ખૂબ જ ઝડપથી તેનો આકાર બદલી નાખે છે, ડૉ. સબનીસે ઉલ્લેખ કર્યો છે કે વૃદ્ધ અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓએ તેમના ચિકિત્સકો પાસે તપાસ કરવી જોઈએ કે તેઓએ રસી લેવી જોઈએ કે નહીં.

WHO માટે વાર્ષિક રસીકરણની ભલામણ કરે છે

સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થાના કોઈપણ તબક્કે
6 મહિનાથી 5 વર્ષની વયના બાળકો

વૃદ્ધ વ્યક્તિઓ (65 વર્ષથી વધુ ઉંમરના)

ક્રોનિક તબીબી સ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓ

હેલ્થકેર વર્કર્સ.

ફરીદાબાદની ફોર્ટિસ હોસ્પિટલના ડાયરેક્ટર અને હેડ, પલ્મોનોલોજી, ડોક્ટર રવિ શેખર ઝા,એ જણાવ્યું હતું કે લક્ષણો લાંબા સમય સુધી રહે છે, સામાન્ય કોવિડ-19 યોગ્ય વર્તન રાખવાથી આપણને ઈન્ફલ્યુએન્ઝા બી ફેલાતા સામે રક્ષણ મળે છે જેમાં હાથ ધોવા, ઉધરસના શિષ્ટાચાર વગેરેનો સમાવેશ થાય છે. .

Web Title: Debina bonnerjee influenza b virus symptoms causes treatment health tips awareness ayurvedic life style celebrity updates

Best of Express