રાત્રે સૂતા પહેલા આ રીતે પગની માલિશ કરો, આખા દિવસનો તણાવ અને થાક થશે દૂર

Foot massage points: પગની માલિશ કરવાથી થાક દૂર થાય છે. આનાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. રાત્રે સૂતા પહેલા તમે થોડા સમય માટે તમારા પગની માલિશ કરી શકો છો.

Foot massage points: પગની માલિશ કરવાથી થાક દૂર થાય છે. આનાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. રાત્રે સૂતા પહેલા તમે થોડા સમય માટે તમારા પગની માલિશ કરી શકો છો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
foot massage benefits for skin

સૂતા પહેલા કરો મગની માલિશ. (તસવીર: Pinterest)

Foot massage points: આજના તણાવપૂર્ણ અને ભાગદોડભર્યા જીવનમાં તણાવ અને થાક રહેવો સામાન્ય થઈ ગયું છે. દિવસભર કામના ભારણને કારણે ઘણી વખત રાત્રે ઊંઘ આવતી નથી. આવી સ્થિતિમાં લોકો શરીરને આરામ આપવા અને સારી ઊંઘ મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે. જો તમને પણ ઊંઘ ન આવે તો તમે પગની માલિશ કરી શકો છો.

Advertisment

પગની માલિશ કરવાથી થાક દૂર થાય છે. આનાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. રાત્રે સૂતા પહેલા તમે થોડા સમય માટે તમારા પગની માલિશ કરી શકો છો. આ કર્યા પછી તમે સારી એવી ઊંઘ લઈ શકો છો.

પગની માલિશ કરવાના ફાયદા

  • રોજ પગની માલિશ કરવાથી થાક દૂર થાય છે.
  • તણાવ ઘટાડે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે.
  • પગની માલિશ કરવાથી ચેતાઓમાં થાક ઓછો થાય છે અને આખા દિવસનો થાક દૂર થાય છે.
  • રાત્રે પગની માલિશ કરીને સૂવાથી, બીજો દિવસ તાજગી અને ઉર્જાથી ભરપૂર પસાર થાય છે.

આ પણ વાંચો: 30 વર્ષની ઉંમરના પુરુષોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, આ વસ્તુઓને તમારા આહારમાં કરો સામે

Advertisment

પગની માલિશ કેવી રીતે કરવી?

તમારા પગની માલિશ કરવા માટે પહેલા આરામદાયક જગ્યાએ બેસો. હવે થોડું હૂંફાળું તેલ લો. તમે નારિયેળ તેલ, સરસવનું તેલ અથવા ઓલિવ તેલ વાપરી શકો છો. હવે એડીથી પગના અંગૂઠા સુધી હળવા હાથે માલિશ કરવાનું શરૂ કરો. તમારા અંગૂઠાની મદદથી, હળવું દબાણ કરતી વખતે તળિયાને ગોળાકાર ગતિમાં માલિશ કરો. આનાથી રક્ત પ્રવાહ સુધરે છે અને તમને રાત્રે સારી ઊંઘ આવે છે.

જીવનશૈલી health tips