scorecardresearch

Health Tips : 151 ગ્રામ દ્રાક્ષમાં આટલા પોષકતત્વો હોય છે, ડાયાબિટીસના દર્દીઓએ કેટલું કરવું જોઈએ સેવન? જાણો અહીં

Health Tips : દ્રાક્ષ (Grapes) બેલેન્સ્ડ ડાયટ માટે ઉત્તમ ફળ (fruits) છે, પરંતુ તેનું સેવન ખાસ કરીને ડાયાબિટીસ (diabetes) વાળા લોકોએ પ્રમાણસર માત્રામાં કરવું જોઈએ.

Grapes are rich in antioxidants.
દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

મીઠી અને રસદાર એવી દ્રાક્ષ માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ તે પોષણથી ભરપૂર છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, દ્રાક્ષ, ઘણા પ્રકારે અવેલેબલ છે, તે બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે, અને તે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારવામાં, મગજના કાર્યને ટેકો આપવા અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જેમ કે, એ હકીકત છે કે તમારા ડાયટમાં દ્રાક્ષ સામેલ ખરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઇ શકે છે.

indianexpress.com સાથે વાત કરતાં, વરિષ્ઠ આહાર નિષ્ણાત અને ન્યુટ્રિશનિસ્ટ, કેર હોસ્પિટલ્સ, હાઇ-ટેક સિટી, હૈદરાબાદના સમીના અંસારીએ જણાવ્યું હતું કે, “ દ્રાક્ષ એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે , જે કેન્સર અને હૃદય રોગ જેવા ક્રોનિક રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. તેઓ પોલિફીનોલ્સમાં પણ સમૃદ્ધ છે, જેમાં બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોઈ શકે છે. વધુમાં, દ્રાક્ષ કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારવામાં, મગજના કાર્યને ટેકો આપવા અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.”

આ પણ વાંચો: Summer Special : ગરમીથી બચવા વરુણ ધવન આ હાઇડ્રેટિંગ ડ્રિન્ક લીધું, જાણો તે કેવી રીતે તે ગરમીને હરાવવામાં મદદ કરી શકે છે

એક કપ દ્રાક્ષમાં કેટલું હોય છે પોષણ?

અંસારી એક કપ દ્રાક્ષની પોષક રૂપરેખા શેર કરે છે, જે લગભગ 151 ગ્રામ છે:

  • કેલરી: 104
  • કાર્બોહાઈડ્રેટ્સ: 27.3 ગ્રામ
  • ફાઈબર: 1.4 ગ્રામ
  • પ્રોટીન: 1 ગ્રામ
  • ચરબી: 0.2 ગ્રામ
  • વિટામિન સી: દૈનિક મૂલ્યના 16.3% (DV)
  • વિટામિન K: DV ના 18.6%
  • થાઇમિન: 6.2 DV ના %
  • રિબોફ્લેવિન: DV ના 4.8%
  • વિટામિન B6: DV ના 5.6%
  • પોટેશિયમ: DV ના 8.6%
  • કોપર: DV ના 4%

શું ડાયાબિટીસના દર્દીઓ દ્રાક્ષનું સેવન કરી શકે છે?

અંસારીએ શેર કર્યું હતું કે, ડાયાબિટીસના દર્દીઓએ દ્રાક્ષનું સેવન સંપૂર્ણપણે છોડી દેવું જરૂરી નથી, પરંતુ તેઓએ દ્રાક્ષના પ્રમાણનું ધ્યાન રાખવું જોઈએ અને તેમના બ્લડ સુગરના સ્તરનું નિયમિતપણે નિરીક્ષણ કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ સંતુલિત આહારના ભાગરૂપે દ્રાક્ષનું સેવન કરી શકે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન ભલામણ કરે છે કે ડાયાબિટીસ ધરાવતા લોકો એક સમયે ફળમાંથી 15 ગ્રામથી વધુ કાર્બોહાઇડ્રેટ્સ ન લે, જે લગભગ ફળના એક નાના ટુકડા અથવા અડધા કપ દ્રાક્ષની સમકક્ષ હોય છે.”

આ પણ વાંચો: કોઈને બગાસું ખાતા જોઈ તમને પણ કેમ બગાસું આવે છે? શું તમને ખબર છે? જાણો રસપ્રદ કારણો

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

દ્રાક્ષનું સેવન કરતી વખતે તમારે નીચેની બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

  • મોટાભાગના લોકો માટે દ્રાક્ષ એ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે, પરંતુ તેમાં ખાંડ અને કેલરી પ્રમાણમાં વધારે હોય છે. તેથી, તેમને પ્રમાણસર લેવું મહત્વપૂર્ણ છે.
  • જે લોકો બ્લડ થિનર લે છે તેઓએ મોટી માત્રામાં દ્રાક્ષ અથવા દ્રાક્ષના રસનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે લોહીના ગંઠાઈ જવા સાથે દખલ કરી શકે છે.
  • કેટલાક લોકોને દ્રાક્ષની એલર્જી હોઈ શકે છે, તેથી તેને તમારા આહારમાં દાખલ કરતી વખતે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.

અંસારીએ નિષ્કર્ષ પર કહ્યું હતું કે, “દ્રાક્ષ એ સંતુલિત આહારમાં તંદુરસ્ત ઉમેરો હોઈ શકે છે, પરંતુ તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ, ખાસ કરીને ડાયાબિટીસવાળા લોકો માટે . એક વૈવિધ્યસભર આહાર જેમાં ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે તે એકંદર આરોગ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.”

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Grapes nutritional health benefits diabetes consumption balanced diet fruits calories awareness ayurvedic life style

Best of Express