જીવલેણ હૃદય સંબંધી રોગોનું જોખમ ઘટાડે છે આ એક ફળ, ઘણા લોકો માને છે સુપરફૂડ

ઘણા લોકો બ્લુબેરીને સુપરફૂડ માને છે. તેમાં હાજર એન્થોસાયનિન નામના એન્ટીઑકિસડન્ટને કારણે તેનો રંગ વાદળી છે. આ એન્ટીઑકિસડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Written by Rakesh Parmar
September 11, 2025 19:08 IST
જીવલેણ હૃદય સંબંધી રોગોનું જોખમ ઘટાડે છે આ એક ફળ, ઘણા લોકો માને છે સુપરફૂડ
આહારમાં બ્લુબેરીનો સમાવેશ હૃદયના સ્વાસ્થ્ય માટે એક સારું પગલું હોઈ શકે છે. (તસવીર: Canva)

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મુઠ્ઠીભર ફળો તમારા હૃદયને રોગોથી બચાવી શકે છે? ‘ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન’ માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત લોકો જો દરરોજ એક કપ બ્લુબેરી ખાય છે તો તેમના હૃદયના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે. મેટાબોલિક સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે જેમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ સુગર અને પેટની આસપાસ વધારાની ચરબી હોય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ, વિશ્વભરના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 80% મૃત્યુ હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે થાય છે. આ સંશોધનમાં 138 પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંશોધનથી સાબિત થયું છે કે બ્લુબેરીમાં હાજર એન્ટીઑકિસડન્ટ્સ અને અન્ય પોષક તત્વો રક્ત વાહિનીઓના કાર્યમાં સુધારો કરે છે અને ધમનીઓની જડતા ઘટાડે છે.

બ્લુબેરીમાં હાજર એન્ટીઑકિસડન્ટ્સ

ઘણા લોકો બ્લુબેરીને સુપરફૂડ માને છે. તેમાં હાજર એન્થોસાયનિન નામના એન્ટીઑકિસડન્ટને કારણે તેનો રંગ વાદળી છે. આ એન્ટીઑકિસડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત બ્લૂબેરી વિટામિન સી, વિટામિન કે, ફાઇબર અને મેંગેનીઝ જેવા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે.

સંશોધનમાં શું બહાર આવ્યું?

સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકો દરરોજ એક કપ બ્લુબેરી ખાતા હતા તેમની રક્ત વાહિનીઓમાં લવચીકતા વધી હતી. આનો અર્થ એ થયો કે રક્ત વાહિનીઓ ઘણી સારી રીતે કામ કરી રહી હતી. આ ઉપરાંત ધમનીઓની જડતામાં ઘટાડો પણ જોવા મળ્યો, જે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: લાલ, પીળા કે લીલા સફરજનમાં શું ફરક છે? જાણો સ્વાસ્થ્ય માટે કયું સૌથી વધુ ફાયદાકારક

બ્લુબેરી કેવી રીતે કામ કરે છે?

બ્લુબેરીમાં હાજર એન્થોસાયનિન શરીરમાં નાઈટ્રિક ઑક્સાઇડનું ઉત્પાદન વધારે છે. નાઈટ્રિક ઑક્સાઇડ રક્ત વાહિનીઓને પહોળી કરવામાં મદદ કરે છે, જેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. તે બળતરા પણ ઘટાડે છે, જે હૃદય સંબંધિત રોગોનું મુખ્ય કારણ છે.

નિષ્ણાતોની સલાહ

આ સંશોધન સૂચવે છે કે તમારા આહારમાં બ્લુબેરીનો સમાવેશ હૃદયના સ્વાસ્થ્ય માટે એક સારું પગલું હોઈ શકે છે. જે લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું છે તેઓ તાજા બ્લુબેરીનું સેવન કરતા હતા, તેથી તમારે તાજા બ્લુબેરીને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. તમે તેને નાસ્તા, સ્મૂધી અથવા સલાડમાં પણ સામેલ કરી શકો છો. જોકે જો તમારી સ્વાસ્થ્ય સમસ્યા ગંભીર હોય તો ફક્ત ફળો પર આધાર રાખવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: દરરોજ એક ચપટી હળદરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા

નોંધ: આ લેખ તબીબી અહેવાલોમાંથી એકત્રિત માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ લેખમાં આપેલી માહિતી માટે કોઈ દાવો કરતું નથી. ઉપરોક્ત લેખમાં ઉલ્લેખિત સંબંધિત રોગ વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ