/indian-express-gujarati/media/media_files/2026/02/01/vitamin-b12-2026-02-01-18-35-52.jpg)
વિટામિન બી 12 ની ગોળી ક્યારે લેવી જોઈએ Photograph: (પિક્સાબે)
Health News Gujarati : આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો ઘણીવાર નાસ્તો છોડી દે છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાનું ભૂલતા નહીં. ખાસ કરીને વિટામિન બી 12, જે સામાન્ય રીતે થાક દૂર કરવા, નસોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને તેની ઉણપ સાથે સંકળાયેલી સમસ્યાઓ માટે લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં ઘણીવાર સવાલ ઉઠે છે કે શું ખાલી પેટ પર વિટામિન બી 12 લેવી સલામત છે? આ પ્રશ્નનો જવાબ ડો.અરવિંદ એસ.એન., લીડ કન્સલ્ટન્ટ - ઇન્ટરનલ મેડિસિન, એસ્ટર આરવી હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યો છે.
વિટામિન બી 12 અને ભોજન વચ્ચે શું કનેક્શન છે?
ડો.અરવિંદાના જણાવ્યા અનુસાર વિટામિન બી 12 એ એવા કેટલાક સપ્લીમેંટ્સમાંથી એક છે જે ખોરાક સાથે અથવા ખાધા વિના બંને રીતે લઈ શકાય છે. તેમનું કહેવું છે કે વિટામિન બી 12 નું શોષણ ખોરાકની હાજરી અથવા ગેરહાજરીથી વધુ પ્રભાવિત થતું નથી. તે પાણીમાં દ્રાવ્ય વિટામિન હોવાથી, તેને પચાવવા માટે ચરબી અથવા કોઈ ખાસ પોષક તત્વોની જરૂર નથી. આ જ કારણ છે કે ખાલી પેટ પર લેવામાં આવે ત્યારે પણ શરીર તેને સારી રીતે શોષી લે છે.
જ્યારે તમે ખાલી પેટ પર વિટામિન બી 12 લો છો ત્યારે શું થાય છે?
કેટલાક કિસ્સાઓમાં ખાલી પેટ પર વિટામિન બી 12 લેવાથી તેની અસર થોડી મજબૂત લાગે છે, ખાસ કરીને જ્યારે તમે ચ્યુએબલ અથવા સબલિંગ્યુઅલ (જીભની નીચે રાખનાર )ગોળીઓ લો છો. ડો. અરવિંદા સમજાવે છે કે તેને ખાલી પેટ પર લેવાથી પાચન દરમિયાન અન્ય પોષક તત્વો સાથે કોઈ સ્પર્ધા નથી, જે તેની અસર ઝડપી થઇ શકે છે. એટલે કે જો તમને ઝડપથી એનર્જીની જરૂર હોય અથવા ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી હોય તો પછી ખાલી પેટ પર બી 12 લેવું હાનિકારક નથી.
શું તેને ખાલી પેટે લેવાથી કોઈ આડઅસર થઈ શકે છે?
ડોક્ટરના જણાવ્યા અનુસાર કેટલાક લોકોને ખાલી પેટ પર વિટામિન બી 12 લેવાથી હળવી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ઉબકા, પેટમાં બળતરા, ગેસ અથવા પેટનું ફૂલવું, મોં માં અજીબ મેટેલિક સ્વાદ આવવો. જોકે આ લક્ષણો સામાન્ય રીતે હળવા અને અસ્થાયી હોય છે અને થોડા સમયમાં તે ઠીક થઈ જાય છે.
કયા લોકોએ ખાલી પેટે બી 12 લેવાનું ટાળવું જોઈએ?
ડો.અરવિંદાના જણાવ્યા અનુસાર કેટલાક લોકો માટે ખાધા પછી વિટામિન બી 12 લેવું વધુ સારું છે, જેમ કે જેમને એસિડ રિફ્લક્સની સમસ્યા છે, ગેસ્ટ્રાઇટિસ અથવા પેટના અલ્સર (પેપ્ટિક અલ્સર) થી પરેશાન લોકો, જેમનું પેટ ખૂબ જ સંવેદનશીલ રહે છે, સગર્ભા સ્ત્રીઓ, જેઓ એક સાથે ઘણી દવાઓ અથવા સપ્લીમેંટ્સ લે છે. આવા કિસ્સાઓમાં પેટ પર બી 12 લેવાથી પેટમાં બળતરા અથવા એસિડિટી વધી શકે છે.
આ પણ વાંચો - નાની ઉંમરે જ પરેશાન કરવા લાગ્યો છે કમરનો દુખાવો? ડોક્ટરે જણાવ્યા કારણો અને રાહત મેળવવાના ઉપાય
શું વિટામિન બી 12 ઓવરડોઝનો ખતરો છે?
આ અંગે ડો.અરવિંદા કહે છે કે વિટામિન બી 12 થી ઓવરડોઝનું જોખમ ખૂબ ઓછું છે. કારણ કે તે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, શરીર જરૂરિયાત કરતા વધુ માત્રાને પેશાબ દ્વારા બહાર કાઢે છે. ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં કેટલાક લોકો માથાનો દુખાવો અથવા ચક્કર આવવાની ફરિયાદ કરી શકે છે, પરંતુ આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ છે.
વિટામિન બી 12 લેવાની સાચી રીત શું છે?
ડોકટરોના જણાવ્યા અનુસાર, વિટામિન બી 12 એક સુરક્ષિત સપ્લીમેંટ્સ છે. તેને લેવાનો યોગ્ય સમય વ્યક્તિની પાચન ક્ષમતા અને શરીરની પ્રતિક્રિયા પર નિર્ભર છે. જો તમારું પેટ ઠીક છે, તો તમે તેને ખાલી પેટ પર પણ લઈ શકો છો. જો પેટ સંવેદનશીલ હોય, તો તેને જમ્યા પછી લેવું વધુ સારું છે. જો તમને બી12 લીધા પછી સતત કોઈ પરેશાની લાગે છે, તો જાતે નિર્ણય લેવાને બદલે ડૉક્ટરની સલાહ લો.
નિષ્કર્ષ
ખાલી પેટ પર વિટામિન બી 12 લેવું સામાન્ય રીતે સલામત છે અને ઘણા લોકો માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. જોકે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. તેથી તમારા શરીરના સંકેતોને સમજવા અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
ડિસ્ક્લેમર - આ સ્ટોરી સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારના આરોગ્યમાં ફેરફાર અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા, તમારા ડૉક્ટર અથવા લાયકાત ધરાવતા આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us