/indian-express-gujarati/media/media_files/2026/01/15/boiled-food-2026-01-15-22-57-21.jpg)
એક વર્ષ સુધી માત્ર બાફેલો ખોરાક ખાવાથી શરીર પર ઘણી અસર થઈ શકે છે Photograph: (freepik.)
Boiled Food Benefits: જો તમે ખાવાના શોખીન છો અને તમારે એક વર્ષ સુધી માત્ર બાફેલા ખોરાક જ ખાવાના હોય તો તે ખૂબ જ પરેશાન કરી શકે છે. જો રોજ એક જ પ્રકારનો બાફેલો ખોરાક ખાવામાં આવે તો ન તો તે સ્વાદિષ્ટ લાગશે કે ન તો તેનાથી પેટ ભરાશે. જો આવો ખોરાક રોજ ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? ટીવી અભિનેતા ગુરમીત ચૌધરીએ ભારતી સિંહ સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તેણે આખા દોઢ વર્ષ સુધી બાફેલા ભાત અને સૂકી રોટલી ખાધી છે.
અભિનેતાએ કહ્યું કે આવા આહારનું સેવન કરવું બહુ સહેલું નથી, પરંતુ તમારે કોઈ પણ કામ માટે પોતાને માનસિક રીતે તૈયાર કરવા પડે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે જો એક વર્ષ સુધી માત્ર બાફેલો ખોરાક જ ખાવામાં આવે તો તેની આરોગ્ય પર કેવી અસર પડે છે?
બેંગલુરુની એસ્ટર વ્હાઇટફિલ્ડ હોસ્પિટલના ચીફ ક્લિનિકલ ડાયેટિશિયન વીણા વીએ જણાવ્યું હતું કે એક વર્ષ સુધી માત્ર બાફેલો ખોરાક ખાવાથી શરીર પર ઘણી અસર થઈ શકે છે, જે આહારમાં વિવિધતા અને સંતુલન પર આધારિત છે. દરરોજ બાફેલા ખોરાક ખાવાથી આરોગ્ય પર સકારાત્મક અને નકારાત્મક બંને અસરો થઈ શકે છે.
બાફેલા આહારની હકારાત્મક અસરો
રોજ બાફેલો ખોરાક ખાવાથી થતી હકારાત્મક અસરોની વાત કરીએ તો આવો ખોરાક ખાવાથી શરીરમાં ચરબી ઘટે છે. બાફેલો ખોરાક પાચનમાં સુધારો કરે છે. ખોરાકમાં તેલને નિયંત્રિત કરીને વજનને નિયંત્રિત કરવું સરળ છે. બાફેલો ખોરાક સરળતાથી પચી જાય છે.
શરીરમાંથી ટોક્સિન બહાર નીકાળે છે
એક મહિના સુધી રોજ બાફેલો ખોરાક ખાવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે. બાફવાથી ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, પરજીવી અને અન્ય ઝેરી પદાર્થોનો નાશ થાય છે, જેનાથી ખોરાકજન્ય બીમારીનું જોખમ ઘટે છે.
આ પણ વાંચો - ચોખામાં શું નાખવાથી જીવાત અને કીડા પડતા નથી? વર્ષો સુધી સ્ટોર કરવા માટે આ 4 રીતો અપનાવો
વજન નિયંત્રિત રહે છે
રોજ બાફેલો ખોરાક ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. શાકભાજી અને ઓછી ચરબીવાળા પ્રોટીન ખોરાકમાં કેલરી ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
હૃદય તંદુરસ્ત રહે છે
ઓછી ચરબીવાળો ખોરાક લેવાથી હૃદયની બીમારીઓ સામે રક્ષણ મળે છે. બાફેલો ખોરાક ખાવાથી શરીરને ઓછી કેલરી મળે છે, જે હૃદય માટે ઉપયોગી છે.
પાચનમાં સુધારો કરે છે
બાફેલ ખોરાક ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. બાફેલો ખોરાક નરમ હોય છે, તેથી તેને પચવામાં સરળતા રહે છે. તે સંવેદનશીલ પાચક તંત્રવાળા લોકો માટે યોગ્ય ખોરાક છે.
બાફેલા આહારની નકારાત્મક અસરો
જો કોઈ વ્યક્તિ રોજ બાફેલો ખોરાક ખાય છે, તો તેના શરીરમાં પોષક તત્વોની કમી થવા લાગે છે. દરરોજ બાફેલો ખોરાક ખાવાથી શરીરમાં પાણીમાં બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી જેવા વિટામિન્સ જે પાણીમાં દ્રાવ્ય થાય તે ઓછા થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us