/indian-express-gujarati/media/media_files/2026/01/22/water-2026-01-22-15-22-08.jpg)
આપણા શરીરમાં લગભગ 70 ટકા ભાગ પાણી છે, જે શરીરના દરેક ભાગ માટે જરૂરી છે. Photograph: (Freepik)
Health News Gujarati : આપણા શરીરમાં લગભગ 70 ટકા ભાગ પાણી છે, જે શરીરના દરેક ભાગ માટે જરૂરી છે. દરરોજ પૂરતું પાણી લેવાથી શરીરનું તાપમાન કંટ્રોલ કરે છે. સાંધાને લ્યુબ્રિકેટ કરે છે. તમામ કોષોમાં પોષક તત્વોનું પરિવહન કરે છે. પૂરતું પાણી પેશીઓનું રક્ષણ કરે છે, પરસેવા અને પેશાબ દ્વારા શરીરમાંથી ટોક્સિનને દૂર કરે છે. શરીરના આવશ્યક અંગોને ચલાવવામાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શરીર માટે જરૂરી 3 લિટર પાણીનું રોજ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર તેની શું અસર પડે છે.
ફિસિકો ડાયેટ એન્ડ એસ્થેટિક ક્લિનિકના સ્થાપક, ડાયેટિશિયન વિધિ ચાવલાએ જણાવ્યું હતું કે દરરોજ લગભગ ત્રણ લિટર પાણી પીવાથી ઘણા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે, ખાસ કરીને જેઓ ગરમ મોસમમાં રહે છે, ભારે શારીરિક કાર્ય કરે છે અથવા વધુ પરસેવો પાડે છે. જ્યારે દરરોજ ત્રણ લિટર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો કેટલાક લોકો માટે હાનિકારક પણ હોઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો એક મહિના સુધી દરરોજ 3 લિટર પાણી પીવામાં આવે છે, તો ત્વચા હાઇડ્રેટેડ રહે છે, માથાનો દુખાવો અટકાવે છે, પાચન સારું છે અને કબજિયાતમાં રાહત મળે છે. દરરોજ પૂરતું પાણી પીવાથી આંતરડાની ગતિ સરળ બને છે. પૂરતું પાણી પીવાથી કિડનીની પથરીનું જોખમ પણ ઓછું થાય છે.
પર્યાપ્ત પ્રવાહી મુત્રને પાતળું કરે છે અને તે ખનિજોને બહાર કાઢવામાં મદદ કરે છે જે આપણા શરીરમાં જમા થઈ શકે છે. નિષ્ણાતે કહ્યું કે દરરોજ ત્રણ લિટર પાણી પીવાથી દરેકના શરીર પર સમાન અસર થતી નથી. શરીરનું વજન, પ્રવૃત્તિનું સ્તર અને વાતાવરણને કારણે પીવાના પાણીની અસર દરેકના શરીર પર સમાન હોતી નથી.
ચાવલાના જણાવ્યા અનુસાર એક મહિના સુધી સતત અને પૂરતી માત્રામાં પાણી પીવાથી ઘણા લોકોની ત્વચાની નમી સુધરે છે, માથાનો દુખાવો ઓછો થાય છે અને પાચનમાં સુધારો થાય છે. દરરોજ પૂરતું પાણી આંતરડાની ગતિવિધિમાં સુધારો કરે છે અને કબજિયાતની સારવાર કરે છે.
ત્રણ લિટર પાણી સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે?
પાણી શરીરને હાઇડ્રેટ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ આટલું પાણી પીવાથી દરેકના સ્વાસ્થ્ય પર એક સરખી અસર થતી નથી. હળવા હવામાનમાં રહેતા લોકો અથવા જેમનું શરીર ઓછું સક્રિય હોય છે જો તેઓ દરરોજ 3 લિટર પાણી પીવે તો તે ખૂબ વધારે હોઈ શકે છે. વધુ પડતું પાણી પીવું, અથવા વધુ પડતું અને ખૂબ ઝડપથી પીવું હાનિકારક હોઈ શકે છે.
આ પણ વાંચો - ચહેરા પર ઘી લગાવવાની શું છે સાચી રીત? આ રીતે સ્કિનમાં આવશે કુદરતી ચમક
દરરોજ ત્રણ લિટર પાણી પીવાથી લોહીમાં સોડિયમ અને અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સનું સ્તર ઘટી શકે છે, જે હાયપોનેટ્રેમિયા તરફ દોરી શકે છે. જ્યારે સોડિયમનું સ્તર ખૂબ ઓછું થઈ જાય છે, ત્યારે કોષો ફૂલે છે જે મગજમાં ખતરનાક દબાણ પેદા કરી શકે છે, જે મૂંઝવણ, માથાનો દુખાવો, સ્નાયુઓની ખેંચાણ, ઉબકા અને ગંભીર કિસ્સાઓમાં, આંચકી અથવા બેભાન પણ થઈ શકે છે.
ત્રણ લિટર પાણી પીવાની આડઅસરો
જો તમે દરરોજ ત્રણ લિટરથી વધુ પાણી પીશો તો તમને પેશાબ વધુ આવશે અને તમારે ઝડપથી બાથરૂમ જવું પડશે. જે લોકોને પહેલાથી જ કિડની અને હાર્ટ સાથે જોડાયેલી બીમારી છે અથવા જેઓ કેટલીક દવાઓ લઈ રહ્યા છે, તબીબી સલાહ વિના વધુ પાણી પીવું હાનિકારક હોઈ શકે છે. વધુ પડતા પાણીનું સેવન પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવતા અવયવો પર દબાણ લાવી શકે છે.
દરરોજ ત્રણ લિટર પાણી પીવાના ફાયદા
30 દિવસ સુધી દરરોજ 3 લિટર પાણી પીવાથી તમે વધુ ઉર્જાવાન અનુભવી શકો છો. દરરોજ વધુ પાણી પીવાથી પાચન સારું થાય છે અને કિડની પોતાનું કામ વધુ સારી રીતે કરે છે. પાણીનું વધુ પડતું સેવન ત્વચાના રંગમાં સુધારો કરે છે. જો તમે નિયમિત કસરત કરો છો, ગરમ હવામાનમાં વધુ પરસેવો પાડો છો, તો દરરોજ 3 લિટર પાણીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ પાણી પીતી વખતે ધ્યાન રાખો કે એક સાથે બધુ પાણી પી ન જાઓ, પરંતુ તેને ધીમે ધીમે પીવો.
નિષ્ણાતની સલાહ અનુસાર સાચો રસ્તો શું છે?
જરૂરિયાત વિના અથવા ઉતાવળમાં ત્રણ લિટર પાણી પીવાથી પણ સ્વાસ્થ્ય પર આડઅસર પડે છે. આટલું પાણી ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનું કારણ બની શકે છે અને કિડની પર દબાણ લાવી શકે છે. ખાસ બાબત એ છે કે તમે તમારા શરીરની જરૂરિયાતોને સમજો.
જ્યારે તમને તરસ લાગે ત્યારે પાણી પીવો, નિર્ધારિત માત્રાના લક્ષ્ય મુજબ પાણીનું સેવન ન કરો. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે શરીરની ગતિવિધિ, હવામાન અને આરોગ્યની સ્થિતિને સમજીને પાણીનું સેવન કરવું ફાયદાકારક છે.
નિષ્કર્ષ
પાણી પીવું જરૂરી છે, પરંતુ વધુ પડતું પાણી પણ નુકસાન પહોંચાડી શકે છે. શરીરના સંકેતોને સમજવા એ સૌથી સલામત અને સૌથી યોગ્ય રીત છે.
ડિસ્ક્લેમર : આ વાર્તા સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારનું સ્વાસ્થ્ય પરિવર્તન અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us