પેટની ગેસ પણ વધારે છે વજન, લાગે છે ખરાબ, આ 5 યોગાસનથી કરો ચરબી અને પાચનની સારવાર

Health News Gujarati : આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે જો તમે તમારા સ્થૂળતાથી પરેશાન છો અને પાચન સુધારવા માંગો છો, તો દરરોજ આ 5 યોગ આસન કરો. યોગ આસન પેટની ચરબી ઘટાડે છે, પાચનતંત્રમાં પણ સુધારો કરે છે

Health News Gujarati : આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે જો તમે તમારા સ્થૂળતાથી પરેશાન છો અને પાચન સુધારવા માંગો છો, તો દરરોજ આ 5 યોગ આસન કરો. યોગ આસન પેટની ચરબી ઘટાડે છે, પાચનતંત્રમાં પણ સુધારો કરે છે

author-image
Ashish Goyal
New Update
yoga for weight loss

બાબા રામદેવ દ્વારા કહેવામાં આવેલા આ યોગ આસનો પેટની ચરબી ઘટાડે છે Photograph: (પિન્ટરેસ્ટ)

Health News Gujarati : પેટ પર વધુ પડતી ચરબી તમારા વ્યક્તિત્વને બગાડે છે. આ સિવાય તે હૃદય રોગ, ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર અને હોર્મોનલ અસંતુલન જેવા રોગોનું મુખ્ય કારણ પણ બની જાય છે. શરીરમાં ફેટ વધવા માટે ફક્ત ખોટી ડાયેટ ડ જવાબદાર નથી, પરંતુ શારીરિક પ્રવૃત્તિનો અભાવ, લાંબા સમય સુધી બેસી રહેવું, તણાવ અને ઊંઘની કમી પણ સ્થૂળતાને વધારે છે. 

Advertisment

ઘણી વખત નબળું પાચન અને ગેસની સમસ્યાઓ પણ વજન વધારવાનું જડ હોય છે. જ્યારે પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે શરીરમાં ટોક્સિન જમા થવા લાગે છે અને બ્લોટિંગ અથવા સુજનની સ્થિતિ બને છે, જેના કારણે પેટ પર ચરબીમાં વધારો થાય છે. વજન ઘટાડવા માટે માત્ર ડાયેટને કંટ્રોલ કરવો જ નહીં, પરંતુ પાચનને મજબૂત બનાવવા, શરીરને સક્રિય રાખવા અને તણાવને મેનેજ કરવો પણ જરુરી છે.

આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે જો તમે તમારા સ્થૂળતાથી પરેશાન છો અને પાચન સુધારવા માંગો છો, તો દરરોજ આ 5 યોગ આસન કરો. યોગ આસન પેટની ચરબી ઘટાડે છે, પાચનતંત્રમાં પણ સુધારો કરે છે અને શરીરમાં ઉર્જા પ્રવાહને સંતુલિત રાખે છે. 

જો તમે પણ જીમમાં ગયા વિના વજન ઘટાડવા માંગો છો તો દરરોજ માત્ર 15 મિનિટ માટે આ 5 યોગ આસનોનો અભ્યાસ કરો. બાબા રામદેવ દ્વારા કહેવામાં આવેલા આ યોગ આસનો પેટની ચરબી ઘટાડે છે તેમજ પાચન અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ચાલો જાણીએ કે કયા યોગ આસન તમને મદદ કરી શકે છે.

Advertisment

પવનમુક્તાસન - ગેસ અને પેટની ચરબી પર નિયંત્રણ રહેશે

આ આસનમાં ઘૂંટણને છાતીની નજીક રાખીને પગને પકડીને શરીરને કડક બનાવવામાં આવે છે. આ પેટના સ્નાયુઓ પર સીધું દબાણ લાવે છે જે ગેસ, એસિડિટી અને પેટની બળતરાને દૂર કરે છે. દરરોજ 30 સેકન્ડ માટે પવનમુક્તાસન કરવાથી બ્લોટિંગ ઓછી થાય છે અને પાચનમાં સુધારો થાય છે, જે ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

ઉત્તાનપાદાસન - પેટના સ્નાયુઓને ટોન કરશે

પીઠ પર સૂઈ જવું અને બંને પગને 30 ડિગ્રી સુધી ઊંચો કરવા એ આ આસનનો મુખ્ય ભાગ છે. આ પેટ, જાંઘ અને જંઘાના સ્નાયુઓમાં ખેંચાણનું કારણ બને છે. જો સતત કરવામાં આવે તો પેટની ચરબી ઓછી થાય છે અને નાભિને લગતી સમસ્યાઓ પણ મટી જાય છે. શરૂઆતમાં 15 સેકન્ડથી શરૂ થાય છે અને ધીમે ધીમે 1 મિનિટ સુધી વધારો.

આ પણ વાંચો - ઠંડીની સિઝનમાં નબળી ઇમ્યૂનિટી બની શકે છે બીમારીનું કારણ, આ 6 યોગાસનોથી વધારો શરીરની રોગપ્રતિકારક શક્તિ

નૌકાસન - શરીરને સંતુલિત રાખશે અને વજન ઘટાડશે

આ મુદ્રામાં શરીરને હોડીની મુદ્રામાં ઉઠાવવામાં આવે છે, જે પેટ અને જાંઘના સ્નાયુઓ પર જબરદસ્ત દબાણ લાવે છે. આ આસન કોર સ્ટ્રેન્થમાં વધારો કરે છે, ચરબીને ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને મેટાબોલિઝમને વેગ આપે છે. પેટની ચરબી ઘટાડવા માટે અડધી મિનિટ સુધી આ મુદ્રામાં રહેવું ખૂબ અસરકારક છે.

કંધરાસન - પેટ અને કમર બંને માટે ફાયદાકારક 

આ આસનમાં પીઠ પર સૂઈ ગઈને ઘૂંટણને વાળો અને કમરને ઊંચી કરો. આ આસન પેટના સ્નાયુઓને ખેંચે છે તેમજ કરોડરજ્જુને મજબૂત બનાવે છે. આ રક્ત પરિભ્રમણમાં વધારો કરે છે અને ઝડપથી વજન ઘટે છે.

પાદાંગુષ્ઠાસન - આખા શરીરને ફ્લેક્સિબલ બનાવશે

ઉભા રહીને પગના અંગૂઠાને પકડતા આગળ ઝૂકવાની આ મુદ્રા પેટ અને પીઠ માટે ખૂબ અસરકારક છે. આ આસન મેટાબોલિઝમને વેગ આપે છે, જેના કારણે શરીર ચરબી ઝડપથી બર્ન કરે છે. તે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે, જે સ્થૂળતાનું મુખ્ય કારણ છે.

જીવનશૈલી health tips