આ બ્લડ ગ્રૂપના લોકોમાં હાર્ટ અટેકનું જોખમ સૌથી વધુ, જાણો અહીં

home remedies to avoid heart attack : રિસર્ચમાં 400,000 થી વધારે લોકો પર પર અધ્યનમાં જોવા મળ્યું છે કે ટાઈપ A કે B Blood Group વાળા લોકોમાં હાર્ટ અટેક વધવાનું જોખમ O Blood Group વાળા લોકોની તુલનામાં 8% વધારે હોય છે.

home remedies to avoid heart attack : રિસર્ચમાં 400,000 થી વધારે લોકો પર પર અધ્યનમાં જોવા મળ્યું છે કે ટાઈપ A કે B Blood Group વાળા લોકોમાં હાર્ટ અટેક વધવાનું જોખમ O Blood Group વાળા લોકોની તુલનામાં 8% વધારે હોય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

Heart Attack Risk: હૃદય રોગ એક ગંભીર સમસ્યા છે. તેની અસર વર્તમાનમાં ઘણા લોકોમાં દેખાય છે. આ બીમારી ખરાબ જીવનશૈલી, તણાવ, ચિંતા અને અન્ય કારણોથી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, હૃદય રોગ પણ દુનિયાભરમાં મૃત્યુનું મુખ્ય કારણોમાંનું એક છે. જો તમારું બ્લડ ગ્રુપ નોન- ઓ છે તો તમારે વધારે સાવધાની રાખવાની જરૂર છે. તમારે હૃદય રોગનો ખતરો છે કે નથી આ જાણવું હોય તો જાણો અહીં શું કહે છે રિસર્ચ,

Advertisment
રિસર્ચ શું કહે છે:

એક રિસર્ચ અનુસાર, નોન-ઓ બ્લડ ગ્રુપ લોકોમાં હૃદય રોગનું જોખમ વધારે રહે છે. શોધકર્તાઓએ જાણવાયું હતું કે બ્લડ ગ્રુપ હાર્ટ અટેકનું જોખમ વધારે છે. રિસર્ચના નિષ્કર્ષ આર્ટેરીયોસ્ક્લેરોસિસ, થ્રોબોસિસ, વેસ્કુલર બાયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત થયા હતા. રિસર્ચમાં 400,000 થી વધારે લોકો પર પર અધ્યનમાં જોવા મળ્યું છે કે ટાઈપ A કે B Blood Group વાળા લોકોમાં હાર્ટ અટેક વધવાનું જોખમ O Blood Group વાળા લોકોની તુલનામાં 8% વધારે હોય છે.

આ પણ વાંચો: શું તમે પણ બ્રેકફાસ્ટ સ્કિપ કરો છો ?..તો તમે ગંભીર બીમારીને આવકારી રહ્યા છો, જાણો એક્સપર્ટ પાસેથી

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડીઓલોજી દ્વારા 2017 માં કરાયેલ એક રિસર્ચમાં 1.36 મિલિયનથી વધુ લોકોને શામેલ કર્યા હતા. રિસર્ચમાં આ પણ જાણવા મળ્યું હતું કે, ઓ બ્લડ ગ્રુપ વાળા સિવાય બાકી બધા બ્લડ ગ્રુપ વાળામાં કોરોનરી અને હૃદય સંબંધી જટિલતાઓનું જોખમ 9% વધારે હતા.

Advertisment
ક્યાં લોકોને જોખમ રહે છે?

શોધકર્તાઓ બ્લડ ગ્રુપ A અને બ્લડ ગ્રુપ B બંનેવની તુલનામાં તેમને જાણ્યું કે બ્લડ ગ્રુપ B વાળા લોકોમાં હૃદય રોગનું જોખમ વધારે હોય છે. રિસર્ચ અનુસાર, B બ્લડ ગ્રૂપવાળા લોકોમાં O બ્લડ ગ્રુપ વાળા લોકોની તુલનામાં માયોકાર્ડિયલ ઇન્ફેકશન( હાર્ટ અટેક)નું જોખમ વધારે રહે છે. બ્લડ ગ્રુપ A વાળા લોકોમાં બ્લડ ગ્રુપ O વાળા લોકોની તુલનામાં હૃદયની ગતિ રોકવાનું 11% જોખમ વધી જાય છે. હાર ફેલિયર અને હાર્ટ અટેક બંનેવ હૃદય સંબંધી બીમારીઓ છે.પરંતુ ફેલિયોર ધીમે-ધીમે વિકસિત થાય છે જયારે હાર્ટ અટેક અચાનક આવે છે. સમયની સાથે, હાર્ટ અટેક હૃદયની વિફલતાનું કારણ બને છે.

આ પણ વાંચો:મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપના કારણો ક્યાં હોઈ શકે?, જાણો અહીં

આવું કેમ થાય છે?

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડીયોલોજીના અનુસાર Non- O Blood Group ના બ્લડ ગ્રૂપનમાં હાર્ટ અટેક કે હાર્ટ ફેલિયરનું જોખમ કે પછી કોઈ અન્ય કારણ હોઈ શકે છે. આ બ્લડ ગ્રુપના લોકોમાં બ્લડ ક્લોટીંગની પ્રક્રિયા વધી જાય છે. 2017 ના એક રિસર્ચ અનુસાર, Non- O Blood Group વાળા લોકોમાં બિન-વિલબ્રાન્ડ્સ કારણો સ્તર વધારે હોય છે. તે થ્રોમ્બોટિક સમસ્યાઓ સાથે સંકળાયેલ લોહી ગંઠાઈ જતું પ્રોટીન છે.

ટાઈપ A અને ટાઈપ B બ્લડ ગ્રુપ વાળા લોકોમાં Blood Clotting ના ગંઠાઈ જવાનું કારણ Thrombosis નું જોખમ 44% વધારે હોય છે. હાર્ટ અટેક માટે લોહીનું ગંઠાઈ જવું જવાબદાર છે. આ કોરોનરી ધમનીને અટકાવે છે. જેનાથી હૃદયની માંસપેશીઓને ઓક્સિજન અને પોષક તત્વ મળતું નથી. અને હાર્ટ એટેકનું કારણ બને છે.

હાર્ટ એટેકનું કારણ શું છે:

જે લોકો દિવસના 24 કલાક બેસી રહે છે તેઓમાં શારીરિક રીતે સખત મહેનત કરતા લોકોની તુલનામાં હૃદય રોગ થવાની શક્યતા વધુ હોય છે. જે વ્યક્તિમાં કસરતનો અભાવ હોય છે, તેના શરીરની કાર્યક્ષમતા ઓછી હોય છે. કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન, આવા લોકોના હૃદયના ધબકારા વધી જાય છે અને આવા લોકો ખૂબ જ ઝડપથી થાકી જાય છે. તેમના લોહીમાં વધુ ચરબી હોય છે. તેથી તેઓ હૃદયને રક્ત પુરવઠામાં અવરોધ તેમજ લોહીના ગંઠાવા માટે વધુ સંવેદનશીલ હોય છે.

હાર્ટ એટેક કેવી રીતે ટાળી શકાય?

નિયમિત વ્યાયામ કે યોગ આ બધી આડ અસરોને અટકાવી શકે છે. ભૂલ્યા વગર નિયમિત વ્યાયામ કે યોગ ચોક્કસપણે ફાયદાકારક છે. હાર્ટ એટેકના લગભગ ત્રણ અઠવાડિયા પછી, કેટલી કસરત કરવી તે અંગે સલાહ મેળવવા માટે 'ટ્રેડમિલ ટેસ્ટ' કરાવવું શ્રેષ્ઠ છે. આ સિવાય તમાકુ અને દારૂનું સેવન ટાળવું જોઈએ. તણાવ ન લેવો જોઈએ. તેલયુક્ત અને બહારનો ખોરાક ઓછો લો. સ્વસ્થ ખાઓ અને સ્વસ્થ રહો.

health tips