હવે ચોખા અને લોટમાં નહીં પડે જંતુ અને કીડા, ફક્ત આ 4 વાતોનું ખાસ ધ્યાન રાખો

Kitchen Hack: રસોડામાં, ચોખા અને લોટ ઘણીવાર નાના-નાના જંતુઓ પડી જાય છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ખાસ ટિપ્સને અનુસરીને સરળતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો

Kitchen Hack: રસોડામાં, ચોખા અને લોટ ઘણીવાર નાના-નાના જંતુઓ પડી જાય છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ખાસ ટિપ્સને અનુસરીને સરળતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો

author-image
Ashish Goyal
New Update
remove bugs Tips

ચોખા અને લોટને સ્ટોર કરવા માટે યોગ્ય કન્ટેનર પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે Photograph: (પિન્ટરેસ્ટ)

Kitchen Hack: રસોડામાં, ચોખા અને લોટ ઘણીવાર નાના-નાના જંતુઓ પડી જાય છે. ભેજ, ખોટા કન્ટેનર અને સ્વચ્છતાના અભાવને કારણે જંતુઓ આવી જાય છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં આ સમસ્યા નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ખાસ ટિપ્સને અનુસરીને સરળતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો.

Advertisment

એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો

ચોખા અને લોટને સ્ટોર કરવા માટે યોગ્ય કન્ટેનર પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં અનાજને હંમેશા સારી ક્લોલિટીના એરટાઇટ કન્ટેનરમાં રાખો. જ્યારે ખુલ્લું પેકેટ અથવા ઢાંકણ ઢીલું હોય છે ત્યારે હવા અને ભેજ અંદર જાય છે, જેનાથી કીડા લાગવાનો ખતરો વધી જાય છે. ચોખા અને લોટને રાખવા માટે તમે મજબૂત પ્લાસ્ટિક, સ્ટીલ અથવા કાચના કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો.

તમાલપત્ર અથવા લીમડાના પાન રાખો

અનાજને જીવાતથી બચાવવા માટે તમાલપત્ર અથવા લીમડાના પાંદડાનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે અનાજને ડબ્બામાં રાખી રહ્યા છો તો તેમાં 2-3 તમાલપત્ર અથવા કેટલાક સૂકા લીમડાના પાન ઉમેરો. તેમની સુગંધ જંતુઓને દૂર રાખે છે અને અનાજ લાંબા સમય સુધી બગડતું નથી.

જૂના અને નવા અનાજને અલગ રાખો

ઘણા લોકો નવા અને જૂના અનાજને ભેળવી દે છે. આવી સ્થિતિમાં ઘણી વખત જૂના અનાજમાં રહેલા જંતુઓ પણ નવા અનાજમાં આવી જાય છે. તેથી જૂના અને નવા અનાજને મિક્સ કરવાનું હંમેશા ટાળવું જોઈએ. ડબ્બામાં જૂનો સ્ટોક પૂરો કર્યા પછી તેને થોડા સમય માટે તડકામાં સૂકવી લો અને તેમાં નવો સ્ટોક રાખો.

Advertisment

આ પણ વાંચો - દરરોજ જંક ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે ભારે અસર, એક્સપર્ટ પાસેથી જાણો શું છે નુકસાન

ભેજથી બચાવો

ઘણી વખત લોકો અનાજને યોગ્ય રીતે સંગ્રહિત કરે છે પરંતુ તેને ભીની જગ્યાએ રાખે છે. આ કિસ્સામાં ભેજને કારણે અનાજમાં જંતુઓની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. અનાજને ક્યારેય સિંકની નજીક અથવા ભીની જગ્યાએ રાખવું જોઈએ નહીં.

જીવનશૈલી