Chair Yoga Tips: ઓફિસમાં ખુરશી પર બેસીને પણ કરી શકો છો યોગાસન, ઘણો આરામ મળશે

International Yoga Day 2025: ઘણી વખત ઓફિસમાં કામ પર તણાવ રહે છે, જેને તમે ચેર યોગની મદદથી દૂર કરી શકો છો. ખુરશી પર બેસીને તમે ચેર યોગ કરી શકો છો. આવામાં ખુરશીના સાથથી યોગ બને છે. ઓફિસમાં પણ તમે તેને ખૂબ આરામથી કરી શકો છો.

International Yoga Day 2025: ઘણી વખત ઓફિસમાં કામ પર તણાવ રહે છે, જેને તમે ચેર યોગની મદદથી દૂર કરી શકો છો. ખુરશી પર બેસીને તમે ચેર યોગ કરી શકો છો. આવામાં ખુરશીના સાથથી યોગ બને છે. ઓફિસમાં પણ તમે તેને ખૂબ આરામથી કરી શકો છો.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Office Yoga, International Yoga Day 2025

ઓફિસમાં પણ તમે ખૂબ આરામથી યોગ કરી શકો છો (તસવીર - ફ્રીપિક)

International Yoga Day 2025: આજની ભાગદોડભર્યા જીવન અને બદલાતી લાઈફસ્ટાઈલના કારણે લોકો પોતાના માટે સમય કાઢી શકતા નથી. આજના સમયમાં લોકો ઓફિસમાં જ વધારે સમય પસાર કરે છે, જેના કારણે તેઓ યોગ કે અન્ય કોઈ કસરત કરી શકતા નથી. જોકે હવે તમે ઓફિસમાં જ યોગાભ્યાસ કરી શકો છો.

Advertisment

ઘણી વખત ઓફિસમાં કામ પર તણાવ રહે છે, જેને તમે ચેર યોગની મદદથી દૂર કરી શકો છો. ખુરશી પર બેસીને તમે ચેર યોગ કરી શકો છો. આવામાં ખુરશીના સાથથી યોગ બને છે. ઓફિસમાં પણ તમે તેને ખૂબ આરામથી કરી શકો છો.

નેક રોટેશન

લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરવાથી ગરદનમાં અક્કડપણું, દુખાવો અને તણાવ થાય છે. આવી સ્થિતિમાં તમે નેક રોટેશનથી રાહત મેળવી શકો છો. ખુરશી પર બેસીને પણ તમે ઓફિસમાં આરામથી આ આસન કરી શકો છો. આમ કરવા માટે તમે પહેલા સીધી ખુરશી પર આરામથી બેસો. કરોડરજ્જુ સીધી રાખો અને ખભાને ઢીલા છોડી દો. હવે ધીમે ધીમે ગરદનને જમણી તરફ ફેરવો, જાણે કે પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પછી ધીમે ધીમે ગરદનને ડાબી બાજુ ફેરવો. હવે ગરદનને ગોળ ગોળ ગોળ ફેરવો. આ રીતે તમને ઘણી રાહત મળશે.

આર્મ સ્ટ્રેચ

ખુરશી પર બેસીને તમે તમારા હાથને પણ સ્ટ્રેચ કરી શકો છો. આ ખભા અને હાથની જડતાને દૂર કરે છે. ટટ્ટાર બેસો અને એક હાથ ઉપર ઉઠાવો અને બીજા હાથથી કોણી પકડીને હળવેથી ખેંચો. થોડી સેકંડ માટે હોલ્ડ કરો અને પછી બદલો. આ કસરત હાથની જડતાને દૂર કરે છે.

Advertisment

આ પણ વાંચો - મેન્ટલ હેલ્થ માટે બેસ્ટ છે આ 4 યોગાસન, રોજ કરવાથી સ્વાસ્થ્યને મળશે જોરદાર ફાયદા

એંકલ સર્કલ્સ

એંકલ સર્કલ્સ માટે તમે સૌ પ્રથમ એક પગને સહેજ ઊંચો કરો અને ઘૂંટણને ગોળાકારમાં ફેરવો. બંને પગ માટે આ જ રીતે પુનરાવર્તન કરો. આનાથી પગના જડતા અને સોજામાં રાહત મળે છે. આમ કરવાથી થાક અને તણાવ દૂર થશે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

યોગ જીવનશૈલી