વરસાદની સીઝનમાં IRCTC લાવ્યું શ્રેષ્ઠ પેકેજ, અયોધ્યા રામ મંદિરથી લઈ 30 થી વધુ પર્યટન સ્થળોએ ફરવાની તક

IRCTC Ramayana Yatra Package: જો તમે વરસાદમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો IRCTC તમને એક શાનદાર ઓફર આપી રહ્યું છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા 'શ્રી રામાયણ યાત્રા' શરૂ કરવામાં આવી રહી છે.

IRCTC Ramayana Yatra Package: જો તમે વરસાદમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો IRCTC તમને એક શાનદાર ઓફર આપી રહ્યું છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા 'શ્રી રામાયણ યાત્રા' શરૂ કરવામાં આવી રહી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
IRCTC tour packages list 2025 from Delhi

IRCTC રામાયણ યાત્રા પેકેજ, ટિકિટ ભાડુ અને તમામ માહિતી. (તસવીર: IRCTC/X)

જો તમે વરસાદમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો IRCTC તમને એક શાનદાર ઓફર આપી રહ્યું છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા 'શ્રી રામાયણ યાત્રા' શરૂ કરવામાં આવી રહી છે. આ પાંચમી વખત હશે જ્યારે IRCTC એ રામ ભક્તો માટે 'શ્રી રામાયણ યાત્રા' પેકેજ શરૂ કર્યું છે. આ ટ્રેન પ્રવાસ 17 દિવસનો હશે જેમાં તમને 30 પર્યટન સ્થળોએ લઈ જવામાં આવશે. શ્રી રામાયણ યાત્રા 25 જુલાઈ, 2025 થી શરૂ થશે. આ પ્રવાસ અયોધ્યાથી શરૂ થશે અને તમને નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને છેલ્લે દક્ષિણ ભારતમાં રામેશ્વરમ ટાપુ થઈને દિલ્હી પાછા લાવશે.

Advertisment

IRCTC અધિકારીઓએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટન પછી ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને ભારે વેગ મળ્યો છે. લોકો મોટી સંખ્યામાં રામ સાથે સંબંધિત આ સ્થળોની મુલાકાત લેવા માંગે છે. આ 5મી રામાયણ ટૂર છે.

રામાયણ ટૂર પ્રવાસ ભાડું

આ પ્રવાસની કિંમત 3 એસી માટે પ્રતિ વ્યક્તિ 1,17,975 રૂપિયા, 2 એસી માટે પ્રતિ વ્યક્તિ 1,40,120 રૂપિયા, 1 એસી ક્લાસ કેબિન માટે પ્રતિ વ્યક્તિ 1,66,380 રૂપિયા અને 1 એસી કૂપ માટે રૂ. 1,79,515નો ખર્ચ થશે. મુસાફરોને 3 સ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા, તમામ પ્રકારના શાકાહારી ભોજન, દર્શન સ્થળની મુસાફરી અને મુસાફરી વીમો મળશે.

Advertisment
https://www.instagram.com/p/DLhnt3rSkED

યાત્રા ક્યાંથી શરૂ થશે

આ યાત્રા 25 જુલાઈના રોજ દિલ્હી સફદરજંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થશે. આધુનિક સુવિધાઓથી સજ્જ ભારત ગૌરવ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનમાં 2 રેસ્ટોરન્ટ, 1 આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ, સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન, ફૂટ મસાજર સહિત ઘણી સુવિધાઓ હશે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને ગાર્ડ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

IRCTC Monsoon Travel, IRCTC Ramayana Yatra
ટ્રેન તેની યાત્રાના 17મા દિવસે દિલ્હી પરત ફરશે. (તસવીર: IRCTC/X)

આ તીર્થસ્થળો પર જાય છે ટ્રેન

યાત્રાનું પહેલું સ્ટોપ અયોધ્યા રામ મંદિર હશે, જ્યાં પ્રવાસીઓ શ્રી રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી અને રામ કી પૈડીની મુલાકાત લેશે. ત્યારબાદ નંદીગ્રામમાં ભારત મંદિર આવશે. આગળનું સ્થળ બિહારમાં સીતામઢી છે જ્યાં પ્રવાસીઓ સીતાજીના જન્મસ્થળ અને જનકપુરમાં રામ જાનકી મંદિરની મુલાકાત લેશે. અહીંથી રોડ માર્ગે લઈ જવાશે. સીતામઢી પછી, ટ્રેન બક્સર તરફ આગળ વધે છે જ્યાં તે રામરેખા ઘાટ અને રામેશ્વરનાથ મંદિર પહોંચે છે. આગળનું સ્ટોપ વારાણસી છે, અહીં કાશી વિશ્વનાથ મંદિર અને કોરિડોર, તુલસી મંદિર, સંકટ મોચન હનુમાન મંદિર દર્શન અને ગંગા આરતી કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગોવામાં આવેલા રોમાન્ટિક બીચ, જ્યાં તમે ગર્લફ્રેંડ કે પત્ની સાથે ફરી શકો છો

આ પછી આ રસ્તો તમને પ્રયાગ, શ્રૃંગાવરપુર અને ચિત્રકૂટ લઈ જશે, જ્યાં રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ચિત્રકૂટથી, ટ્રેન ત્ર્યંબકેશ્વર મંદિર અને પંચવટી વિસ્તારને આવરી લેશે અને આગામી સ્ટોપ મહારાષ્ટ્રના નાસિકમાં હશે. પ્રાચીન કૃષ્ણકિન્ધા શહેર માનવામાં આવતા હમ્પી આગામી સ્ટોપેજ હશે. અહીં ભગવાન હનુમાનનું જન્મસ્થળ માનવામાં આવતા અંજનેય ટેકરી, વિઠ્ઠલ અને વિરૂપાક્ષ મંદિર જેવા અન્ય વારસાગત સ્થળો સાથે આવરી લેવામાં આવશે. આ ટ્રેન યાત્રામાં આગળનું શહેર રામેશ્વરમ હશે. રામાનાથસ્વામી મંદિર અને ધનુષકોડી યાત્રાનો ભાગ છે. ટ્રેન તેની યાત્રાના 17મા દિવસે દિલ્હી પરત ફરે છે.

જીવનશૈલી પ્રવાસ રેલવે ધર્મ ભક્તિ