/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/how-to-get-rid-of-bugs-from-rice.jpg)
ચોખાને જીવાતથી બચાવવાની શ્રેષ્ટ રીત. (તસવીર: સોશિયલ મીડિયા)
Kitchen Hacks: ચોખાને હંમેશા ઠંડી, સૂકી જગ્યાએ હવાચુસ્ત કન્ટેનરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જોકે આટલી બધી સાવચેતીઓ રાખવા છતાં તમે તેમાં જીવજંતુઓ અને જીવડા જોયા હશે, જેના કારણે તમે ચોખાને વારંવાર સાફ કરો છો જેથી તેમાંથી છુટકારો મેળવી શકો. આ સમસ્યાનો સામનો વરસાદની ઋતુમાં સૌથી વધુ થાય છે. આ ઋતુમાં, ભેજવાળા વાતાવરણને કારણે ખાદ્ય પદાર્થો ઝડપથી બગડવા લાગે છે. આવામાં ચોખામાં નાના ધનેરા (જીવાત) દેખાય છે. જેને જોઈને તમને ચોખા ખાવાનું પણ મન થતું નથી. એટલું જ નહીં આના કારણે તમે ઘણી ગંભીર બીમારીઓનો ભોગ પણ બની શકો છો. જો તમે ચોખામાંથી આ જંતુઓ દૂર કરવા માંગતા હોવ તો તમે સરળ ઉપાયો અપનાવી શકો છો.
તમાલપત્રના પાન
ચોખાને જીવાતથી બચાવવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. ચોખાના હવાચુસ્ત કન્ટેનરમાં તમાલપત્રના પાન રાખો. તમને આનાથી ફાયદો થશે.
લવિંગ
ચોખાને જંતુઓથી બચાવવા માટે તમે લવિંગની મદદ લઈ શકો છો. આ માટે ચોખાના ડબ્બામાં 10-15 લવિંગ મૂકો. આનાથી તમને બે ફાયદા થશે. પ્રથમ જો ચોખામાં જીવાત હશે તો તે ભાગી જશે અને જો ચોખામાં કોઈ જંતુઓ નહીં હોય તો તે તેનું રક્ષણ કરશે.
આ પણ વાંચો: શું તમે વજન ઓછો કરવો માંગો છો, તો દરરોજ રાત્રે સૂતા પહેલા આ મસાલાવાળું પાણી પીવો
ફુદીનાના પાન
ચોખાના ડબ્બામાં થોડા ફુદીનાના પાન મૂકો. તેની ગંધ જંતુઓને દૂર રાખશે.
લસણ
તમે ચોખાથી જીવાતને દૂર રાખવા માટે લસણનો પણ ઉપયોગ કરી શકો છો. તેની થોડી લવિંગ કન્ટેનરમાં મૂકો. જ્યારે લસણની કળી સુકાઈ જાય ત્યારે તેને કાઢી નાખો અને બીજી એક રાખો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us