Panchamrit: પંચામૃતથી કરો ભગવાન શિવનો અભિષેક, તેને બનાવવાની સાચી રીત નોંધી લો

પંચામૃત શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અર્પણ કરવામાં આવતો સૌથી પવિત્ર ભોગ છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તમે ઉપવાસ દરમિયાન પણ તેનું સેવન કરી શકો છો.

પંચામૃત શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અર્પણ કરવામાં આવતો સૌથી પવિત્ર ભોગ છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તમે ઉપવાસ દરમિયાન પણ તેનું સેવન કરી શકો છો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Shravan panchamrit recipe

પંચામૃત શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અર્પણ કરવામાં આવતો સૌથી પવિત્ર ભોગ છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Panchamrit Recipe: પંચામૃત એ હિન્દુ અને જૈન ધર્મોમાં પૂજા અને અભિષેક દરમિયાન વપરાતો પવિત્ર પ્રસાદ છે. તે પાંચ અમૃત તત્વોથી બનેલ છે. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ. તે ઘણીવાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પછી ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

Advertisment

ભોલે બાબાને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસની શરૂઆતથી જ મંદિરોમાં ભોલે બાબાના ભક્તોની ભીડ જોવા મળે છે. ભોળાનાથ ખૂબ જ સરળ અને ભક્તોની પોકાર ખુબ જ જલ્દી સાંભળી લે છે. જો આપણે ભોળાનાથના પ્રિય ભોગ વિશે વાત કરીએ તો પંચામૃતનું નામ સૌથી પહેલા આવે છે. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ જેવી પાંચ વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. પંચામૃત શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અર્પણ કરવામાં આવતો સૌથી પવિત્ર ભોગ છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને તમે ઉપવાસ દરમિયાન પણ તેનું સેવન કરી શકો છો. ચાલો જાણીએ કે પંચામૃત બનાવવાની સાચી રીત શું છે.

પંચામૃત બનાવવા માટેની સામગ્રી

  • અડધો લિટર ગાયનું દૂધ (ઉકાળો નહીં)
  • 200 ગ્રામ દહીં
  • 3 ચમચી મધ
  • 10-12 તુલસીના પાન
  • 1 ચમચી ઘી
  • 10-12 મખાના
  • 1 ચમચી ચિરોંજી
  • 1 ચમચી સમારેલી બદામ
  • 1 ચમચી સમારેલા કાજુ
  • 1 ચમચી છીણેલું સૂકું નારિયેળ
  • 1 ચમચી સમારેલી કિસમિસ
  • 1 ચમચી ગંગાજળ

પંચામૃત બનાવવાની રીત

પંચામૃત બનાવવા માટે સૌ પ્રથમ બધી વસ્તુઓને એક મોટા બાઉલમાં મૂકો અને તેને સારી રીતે મિક્સ કરો. પંચામૃત શિવલિંગ પર અભિષેક કરવા માટે તૈયાર છે. તેને પ્રસાદ તરીકે વહેંચતા પહેલા 2 કલાક માટે ફ્રીજમાં રાખો. ત્યારબાદ તેને ગ્લાસમાં રેડો અને ઠંડુ પીરસો.

Advertisment
જીવનશૈલી ધર્મ ભક્તિ શ્રાવણ