/indian-express-gujarati/media/media_files/2026/02/05/menstrual-cramps-home-remedies-in-gujarati-2026-02-05-11-43-52.jpg)
માસિક સ્રાવ દરમિયાન દુખાવાના ઘરેલુ ઉપચાર હેલ્થ ટિપ્સ। Menstrual cramps home remedies health tips in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | માસિક સ્રાવ (Menstrual cramps) દરમિયાન થતો દુખાવો ઘણી સ્ત્રીઓ માટે એક મોટો પડકાર છે, અને તેમને મહિનામાં એક વાર તેનો સામનો કરવો પડે છે. મોટાભાગની સ્ત્રીઓ આ પીડાને દૂર કરવા માટે પેઇનકિલર્સનો ઉપયોગ કરે છે, જે તેમના રોજિંદા જીવનને પણ અસર કરી શકે છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ કહે છે કે આ સમસ્યાનો કુદરતી ઉકેલ છે જેમાં કોઈ આડઅસર નથી.
ન્યુટ્રિશનિસ્ટ ખુશી છાબરા દ્વારા શેર કરાયેલી એક સરળ ટેકનિક હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. તે જણાવે છે કે અનાનસ અને તજનું મિશ્રણ, જે આપણા ઘરે સરળતાથી ઉપલબ્ધ છે, માસિક સ્રાવ દરમિયાન થતા દુખાવામાં મદદ કરી શકે છે.
માસિક સ્રાવ દરમિયાન દુખાવાના ઘરેલુ ઉપચાર
ખુશીએ સમજાવ્યું છે કે અનાનસ અને તજ શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે. અનાનસમાં રહેલું એન્ઝાઇમ 'બ્રોમેલેન' બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને ગર્ભાશયના સ્નાયુઓને આરામ આપે છે. આ માસિક ધર્મના દુખાવાની તીવ્રતા ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલું ઘટક 'સિનામાલ્ડીહાઇડ' શરીરમાં રક્ત પ્રવાહ સુધારે છે અને દુખાવામાં રાહત આપે છે.
ટોન 30 પિલેટ્સના ફિટનેસ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ આશ્લેષા જોશીએ માસિક સ્રાવ દરમિયાન બ્રોમેલેન કેટલું અસરકારક છે તેના સંશોધન ડેટા વિશે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી. જ્યારે અનેનાસમાં રહેલું બ્રોમેલેન પીડા ઘટાડવામાં મદદ કરી શકે છે, માસિક ખેંચાણના વિષય પર વધુ અભ્યાસની જરૂર છે. જો કે, એવા સ્પષ્ટ અભ્યાસો છે કે તજ માસિક સ્રાવ દરમિયાન ઘટાડવામાં મદદ કરી શકે છે. તે એમ પણ કહે છે કે માસિક સ્રાવના પહેલા થોડા દિવસોમાં દરરોજ 1 થી 3 ગ્રામ તજનું સેવન સલામત છે.
એક્સપર્ટ કહે છે કે માસિક સ્રાવ દરમિયાન મોટાભાગના લોકો માટે અનાનસ ખાવા માટે સલામત છે. જે લોકો લોહી પાતળું કરતી દવાઓ લે છે, રક્તસ્રાવની સમસ્યા ધરાવે છે, અથવા અનાનસથી એલર્જી ધરાવે છે તેઓએ બ્રોમેલેન સપ્લિમેન્ટ્સ ટાળવા જોઈએ, કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ પણ બ્રોમેલેન સપ્લિમેન્ટ્સ ટાળવા જોઈએ.
માસિક સ્રાવ દરમિયાન થતા દુખાવા માટે તજ કેવી રીતે અસરકારક?
તજ આજે વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે કારણ કે તેમાં સિનામાલ્ડીહાઇડ નામનું સંયોજન હોય છે, જે બળતરા ઘટાડવામાં અને બ્લડ ફ્લોને સુધારવામાં મદદ કરે છે. જોશીએ કહ્યું કે "ઘણા હાઈ ક્વોલિટી અભ્યાસોએ દર્શાવ્યું છે કે તજ માસિક સ્રાવના દુખાવામાં થોડો ઘટાડો કરી શકે છે, ખાસ કરીને પ્રાથમિક ડિસમેનોરિયા. જ્યારે તે સામાન્ય પીડાનાશક દવાઓ જેટલું મજબૂત નથી, તે કેટલાક લોકો માટે કુદરતી રાહત પૂરી પાડી શકે છે.''
તેણે સમજાવ્યું કે મોટાભાગના અભ્યાસોમાં માસિક ચક્રના પહેલા 2 થી 3 દિવસ માટે દરરોજ 1 થી 3 ગ્રામ તજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માત્રા સામાન્ય રીતે ટૂંકા ગાળા માટે વાપરવા માટે સલામત છે. જો કે કેશિયા તજનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. તેમાં રહેલું કમ્પાઉન્ડ કુમરિન જો દરરોજ મોટી માત્રામાં શરીરમાં પહોંચે તો તે લીવરને અસર કરી શકે છે.
રાત્રે બ્રશ નથી કરતા? તમારા હૃદયને જોખમ તો નથી ને?
જોશીએ નોંધ્યું કે "જે લોકો લીવરની બીમારીથી પીડાય છે, જેઓ ઘણી દવાઓ લેતા હોય છે, અથવા ડાયાબિટીસ ધરાવતા હોય તેઓએ તજ સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કે ચા, ગરમ દૂધ અથવા ખોરાકમાં થોડી માત્રામાં તજ ઉમેરવાથી સામાન્ય રીતે સલામત છે અને તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી નથી.''


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us