/indian-express-gujarati/media/media_files/2026/02/04/brushing-at-night-heart-health-2026-02-04-16-18-29.jpg)
રાત્રે બ્રશ કરવાના ફાયદા મૌખિક સ્વચ્છતા ઓરલ હાઇજીન મહત્વ હાર્ટ હેલ્થ। Oral hygiene Importance Reasons for brushing at night heart health tips in gujarati Photograph: (રાત્રે બ્રશ નથી કરતા? તમારા હૃદયને જોખમ તો નથી ને?)
જીવનશૈલી | મૌખિક સ્વચ્છતા (Oral hygiene) એક નજીવી આદત લાગે છે, પરંતુ તેની અવગણના કરવાથી દાંતના સડો ઉપરાંત ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. સૂતા પહેલા બ્રશ ન કરવાથી તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે, એમ એનેસ્થેસિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ પેઇન મેડિસિનના ફિઝિશિયન ડૉ. કુણાલ સૂદે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સમજાવ્યું હતું.
ડૉ. સૂદે ચેતવણી આપી હતી કે "જો તમે રાત્રે સૂતા પહેલા દાંત સાફ ન કરો તો તમને હૃદય રોગનું જોખમ વધારે રહે છે. મૌખિક સ્વચ્છતા હૃદયના સ્વાસ્થ્ય માટે એક રક્ષણાત્મક પરિબળ છે. જો તમે રાત્રે દાંત સાફ કરવાનું છોડી દો છો, તો તમે દાંતના સડો કરતાં વધુ જોખમને આમંત્રણ આપી રહ્યા છો," તેમણે 2023ના એક અભ્યાસનો ઉલ્લેખ કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે નબળી મૌખિક સ્વચ્છતા હૃદયની બીમારી અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે, અને યોગ્ય સમયે દાંત સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રાત્રે બ્રશ ન કરવાથી હૃદયની સમસ્યા થઇ શકે?
ડૉ. સૂદ આ પાછળનું કારણ સમજાવે છે: “તેની પાછળનો સિદ્ધાંત એ છે કે મોંમાં રહેલા બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને સમય જતાં હૃદય પર અસર કરતી બળતરા પેદા કરે છે.” જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે બ્રશ ન કરવાથી સીધા હૃદય રોગ થતો નથી, પરંતુ ખરાબ દુર્ગંધ એ ઘણા પરિબળોમાંનું એક છે જે હૃદયની સમસ્યાઓ તરફ દોરી શકે છે.
તેમણે કહ્યું કે "ડૉ. સૂદના મતે જે લોકો વારંવાર દાંત સાફ કરે છે તેમનું હૃદય સ્વસ્થ રહેવાની શક્યતા વધુ હોય છે. હકીકતમાં દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત દાંત સાફ કરવા અને નિયમિત દાંતની તપાસ કરાવવાથી હાર્ટ અટેકનું જોખમ ઓછું થાય છે. તે પેઢાના રોગ અને દાંત ખરવા જેવી દાંતની સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. તમારા હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાની સૌથી સરળ રીતોમાંની એક સારી ઓરલ હાઇજીન છે.''
જગદીશ હિરેમતે ધ ઇન્ડિયન એક્સપ્રેસને સમજાવ્યું કે મોંમાં રહેલા બેક્ટેરિયા કેવી રીતે બળતરા પેદા કરે છે અને લાંબા ગાળે આ હૃદયને કેવી રીતે અસર કરી શકે છે. "જ્યારે તમે રાત્રે દાંત સાફ કરવાનું છોડી દો છો, ત્યારે મોઢામાં પ્લેક અને બેક્ટેરિયા એકઠા થાય છે. આ બેક્ટેરિયા દ્વારા છોડવામાં આવતા ઝેરી તત્વો લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને આખા શરીરમાં બળતરા પેદા કરે છે."
તેમણે કહ્યું કે "આ પ્રકારની સતત બળતરા રક્ત વાહિનીઓના આંતરિક અસ્તરને અસર કરી શકે છે. આનાથી ધમનીઓમાં ચરબી જમા થાય છે, જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે. નબળી મૌખિક સ્વચ્છતા ધરાવતા દરેક વ્યક્તિને હૃદય રોગ થતો નથી. જોકે મૌખિક સ્વાસ્થ્ય જાળવવું એ શરીરમાં બળતરા ઘટાડવા અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે.''
શું પપૈયા કબજિયાત માં રાહત આપે? એક્સપર્ટે જણાવ્યું
હાર્ટ હેલ્થ અને ઓરલ હાઇજીન વચ્ચેનો સંબંધ
ડૉ. હિરેમતએ જણાવ્યું હતું કે વ્યક્તિઓ તેમના બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર લેવલ, કૌટુંબિક ઇતિહાસ અને આહાર, કસરત અને સ્મોકિંગ જેવી લાઇફસ્ટાઇલના પરિબળોની તપાસ કરીને તેના હૃદયના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરી શકે છે. દાંતની સંભાળ પેઢાના રોગને રોકવા અને શરીરમાં બળતરા ઘટાડીને આ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
તેણે સમજાવ્યું કે "યોગ્ય બ્રશિંગ, ફ્લોસિંગ અને ડેન્ટલ ચેકઅપ હાર્ટની બીમારીના જોખમી પરિબળોને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. નિયમિત ડેન્ટલ ચેકઅપ, જેમાં નિયમિત ડેન્ટલ સફાઈ અને પેઢાના રોગની વહેલી તપાસ અને સારવારનો સમાવેશ થાય છે, તે ઓરલ હેલ્થ તેમજ હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરી શકે છે.''


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us