Winter Skin Care Tips: શિયાળામાં મુલતાની માટી ચહેરા પર કેવી રીતે લગાવવી? જાણો ફેસ પેક બનાવવાની સાચી રીત

Multani Mitti Face Pack Benefits : ચહેરા પર ફેસ માસ્ક લગાવવું જરૂરી છે. બજારમાં ઉપલબ્ધ ફેસ માસ્કને બદલે તમે ઘરે મુલતાની માટીમાં અમુક નેચરલ ચીજ મિક્સ કરીને નેચરલ ફેસ પેક બનાવી શકો છો.

Multani Mitti Face Pack Benefits : ચહેરા પર ફેસ માસ્ક લગાવવું જરૂરી છે. બજારમાં ઉપલબ્ધ ફેસ માસ્કને બદલે તમે ઘરે મુલતાની માટીમાં અમુક નેચરલ ચીજ મિક્સ કરીને નેચરલ ફેસ પેક બનાવી શકો છો.

author-image
Ajay Saroya
New Update
Multani Mitti Face Pack | Winter Skin Care Tips | winter beauty tips

Multani Mitti Face Pack : મુલતાની માટી ફેસ પેક. Photograph: (Freepik)

Multani Mitti Face Pack Benefits : મુલતાની માટી ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે, આ વાત મોટાભાગના લોકો જાણે છે. આ સિવાય ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે શિયાળામાં મુલતાની માટી ચહેરા પર લગાવવી જોઈએ કે નહીં? ઠંડીમાં મુલતાની માટી લગાવવાની સાચી રીત શું છે? મુલતાની માટીમાં લગાવવાથી ચહેરાને વધુ ફાયદો શું મળે છે? જો તમે પણ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે છે. અહીં અમે તમને મુલતાની માટી લગાવવાની સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisment

આ વસ્તુઓની જરૂર પડશે

મુલતાની માટી - 1 મોટી ચમચી
ટમેટાનો પલ્પ - 1 ચમચી
ગુલાબજળ - 2 ચમચી

મુલતાની માટી ચહેરા પર કેવી રીતે લગાવવી?

શિયાળામાં પણ તમે મુલતાની માટીનો ફેસ પેક લગાવી શકો છો. તેનાથી ત્વચાને ઘણો ફાયદો થાય છે. ફેસ પેક લગાવતા પહેલા ચહેરો સાફ કરો. ટુવાલની મદદથી સૂકવી લો. તે પછી, બાઉલમાં ઉપર જણાવેલી સામગ્રી મિક્સ કરો. ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તે એકદમ પેસ્ટ ન બને ત્યાં સુધી તેને મિક્સ કરો. હવે તૈયાર પેકને ચહેરા પર લગાવો. તેને ચહેરા પર લગભગ 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ ચહેરો સાદા પાણીથી ધોઈ લો.

મુલતાની માટી સાથે આ સામગ્રી મિક્સ કરી લગાવો

ગુલાબ જળ

શિયાળામાં તમે મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવી શકો છો. જ્યારે ગુલાબજળ મુલતાની માટી સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે છે, ત્યારે તે ત્વચાને સાફ કરે છે. ચહેરાની ત્વચા પરના ખુલ્લા છિદ્રોની સમસ્યા ઓછી થાય છે. આ સાથે જ ચહેરો નિખરે છે.

એલોવેરા જેલ

ઠંડીમાં તમે મુલતાની માટીમાં એલોવેરા જેલ પણ ઉમેરી શકો છો. તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને લગાવવાથી ત્વચા હાઇડ્રેટેડ રહે છે. આટલું જ નહીં, એલોવેરા જેલમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ખીલ ઘટાડે છે.

Advertisment

આ પણ વાંચો | Healt Tips: રાતે 11 વાગ્યા પછી ઊંઘવાથી શરીર પર કેવી અસર થાય છે? જાણો ડોક્ટર પાસેથી

Disclaimer: આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય તો નિષ્ણાતની સલાહ લેવી.

beauty tips લાઇફસ્ટાઇલ