નારંગીની છાલ કચરો નથી, કામની વસ્તુ છે, છોડ માટે ઘરે આવી રીતે બનાવો કુદરતી ખાતર

orange peel fertilizer : નારંગીની છાલમાં ઘણા આવશ્યક પોષક તત્વો જોવા મળે છે, જે તમારા બગીચા માટે શ્રેષ્ઠ કુદરતી ખાતર બની શકે છે. નારંગીની છાલમાંથી તૈયાર કરેલું ખાતર જમીનની ગુણવત્તા તેમજ છોડની વૃદ્ધિ અને હરિયાળીમાં મદદરૂપ થઈ શકે છે

orange peel fertilizer : નારંગીની છાલમાં ઘણા આવશ્યક પોષક તત્વો જોવા મળે છે, જે તમારા બગીચા માટે શ્રેષ્ઠ કુદરતી ખાતર બની શકે છે. નારંગીની છાલમાંથી તૈયાર કરેલું ખાતર જમીનની ગુણવત્તા તેમજ છોડની વૃદ્ધિ અને હરિયાળીમાં મદદરૂપ થઈ શકે છે

author-image
Ashish Goyal
New Update
orange peel fertilizer

નારંગીની છાલમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો હોય છે Photograph: (Pinterest)

orange peel fertilizer : નારંગી ખાધા પછી મોટાભાગના લોકો તેમની છાલને નકામી માનીને કચરામાં ફેંકી દે છે. નારંગીની છાલમાં ઘણા આવશ્યક પોષક તત્વો જોવા મળે છે, જે તમારા બગીચા માટે શ્રેષ્ઠ કુદરતી ખાતર બની શકે છે. નારંગીની છાલમાંથી તૈયાર કરેલું ખાતર જમીનની ગુણવત્તા તેમજ છોડની વૃદ્ધિ અને હરિયાળીમાં મદદરૂપ થઈ શકે છે.

Advertisment

નારંગીની છાલમાં સૂક્ષ્મ પોષક તત્વો હોય છે

નારંગીની છાલમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિવિધ સૂક્ષ્મ પોષક તત્વો હોય છે, જે છોડના મૂળને મજબૂત બનાવવામાં અને પાંદડાઓની લીલોતરી વધારવામાં મદદ કરે છે. તેને છોડમાં ઉમેરવાથી જંતુઓ પણ દૂર રહે છે.

પાવડર બનાવો અને તેનો ઉપયોગ કરો

તમે નારંગીની છાલમાંથી કુદરતી ખાતર બનાવી શકો છો. તેનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. તેનો ઉપયોગ પાવડર સ્વરૂપમાં પણ થઈ શકે છે. આ માટે નારંગીની છાલને તડકામાં સારી રીતે સૂકવી લો. જ્યારે તે સંપૂર્ણપણે સૂકાઈ જાય, ત્યારે પાવડર તૈયાર કરવા માટે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. આ પાવડરને જમીનમાં ઉમેરો અથવા છોડના મૂળ નજીક રાખી દો. ધીમે ધીમે તે જમીનમાં ઓગળશે અને છોડને પોષણ આપશે.

પ્રવાહી ખાતર

નારંગીની છાલમાંથી તમે પ્રવાહી ખાતર પણ તૈયાર કરી શકો છો. આ માટે છાલને નાના નાના ટુકડા કરીને પાણીમાં બે દિવસ સુધી પલાળી રાખો. હવે છાલને પાણીમાંથી બહાર કાઢો અને તે પાણીને છોડમાં રેડો. આ દ્રાવણ છોડને પોષણ આપે છે.

Advertisment

આ પણ વાંચો - જો તમે એક મહિના સુધી ખાંડ ખાવાનું બંધ કરો તો શરીર પર શું અસર પડે, એક્સપર્ટ પાસેથી જાણીએ

સીધું જમીનમાં નાખો

તમે નારંગીની છાલનો ઉપયોગ સીધા જમીનમાં પણ કરી શકો છો. આ માટે નારંગીની છાલને નાના નાના ટુકડાઓમાં કાપી સીધી જમીનની નીચે દબાવી લો. તે થોડા દિવસોમાં ઓગળી જશે અને ખાતર બની જશે. નારંગીના ખાતરનો ઉપયોગ છોડમાં મર્યાદિત માત્રામાં જ થવો જોઈએ. વધુ પડતી માત્રામાં જમીનની એસિડિટી વધી શકે છે.

જીવનશૈલી