scorecardresearch

તમારું મનપસંદ મીલ: ‘રાજમા ચાવલ’, વજન ઘટાડવામાં છે મદદગાર

Rajma chawal : રાજમા (Rajma) બનાવવો એ કેટલાક લોકો માટે ચેલેંજિંગ હોઈ શકે છે, પરંતુ તેને સફળતાપૂર્વક તૈયાર કરવાની ચાવી યોગ્ય રીતે પલાળવાની અને બનાવની પ્રક્રિયામાં રહેલી છે.

Your favourite Rajma Chawal is packed with health benefits. (Pic source: Pexels)
તમારા મનપસંદ રાજમા ચાવલ સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. (તસવીર સ્ત્રોત: પેક્સેલ્સ)

‘રાજમા ચાવલ’ મોટાભાગના લોકોની મનપસંદ વાનગીઓની યાદીમાં આવે છે. શું તેનો અર્થ એ કે જેઓ ડાયટિંગ પર છે તેઓએ તેને છોડી દેવાની જરૂર છે? બિલકુલ નહીં! એક તારણ મુજબ , આ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન સ્વાદનો ખજાનો હોવાની સાથે પુષ્કળ સ્વાસ્થ્ય લાભોથી ભરેલું છે. જાણો નિષ્ણાત શું કહે છે?

મેક સિંઘ, એક ડાયેટિશિયન છે જેમને, તાજેતરમાં Instagram પર જણાવ્યું હતું કે,રાજમા ચાવલને એક ઈમોશન ગણાવ્યું હતું અને કહ્યું કે તે “વજન ઘટાડવા અને એકંદર આરોગ્ય માટે શ્રેષ્ઠ ભોજન છે”. તેમણે આગળ આ ભોજનના ઘણા અદ્ભુત ફાયદાઓની યાદી આપી હતી.

1) રાજમા ચાવલ ડાયેટરી ફાઇબરથી ભરપૂર છે, જે સોલ્યુબલ ફાઇબર છે જે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.

આ પણ વાંચો: મસૂર માત્ર પૌષ્ટિક જ નથી, તે ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે પણ જોડાયેલી છે, અહીં જાણો હેલ્થ ટિપ્સ

2) રાજમા પ્રોટીનનો સારો સ્ત્રોત છે, અને પ્રોટીન સંપૂર્ણતા માટે પણ જવાબદાર છે. તેને દહીં સાથે જોડવાથી તેની અસરકારકતામાં સુધારો થશે. રાજમા અને ચોખા એકસાથે નવ આવશ્યક એમિનો એસિડ ધરાવે છે!

3) રાજમાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું છે એટલે કે માત્ર 24. અને 4નો ગ્લાયકેમિક લોડ. સફેદ ચોખાનું GI ઊંચું હોવા છતાં, સંશોધનમાં જાણવા મળ્યું છે કે નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકને હાઈ મીડીયમ સાથે જોડીને વજન ઘટાડવા અને એકંદર આરોગ્યને પ્રોત્સાહન મળે છે.

4) રાજમા પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, જેમાં માત્ર 100 ગ્રામ 405 મિલિગ્રામ પ્રદાન કરે છે. તેથી, ભોજન તરીકે રાજમા ચાવલ શરીરમાંથી પાણીના વજનને દૂર કરવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે પણ સારું છે.

View this post on Instagram

A post shared by Mac Singh | FOUNDER @ FITELO (@dietitianmac)

5) મોટા ભાગના ભારતીયો માટે રાજમા ચોખએ કમ્ફર્ટ ફૂડ છે, અને જ્યારે પણ તમે તમારી ગમતી વસ્તુ ખાઓ છો, ત્યારે સુખી હોર્મોન્સના પ્રકાશનને કારણે તમારું વજન ઘટાડવાની તકો ખૂબ જ વધી જાય છે.

6) રાજમા મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મોલિબડેનમમાં પણ સમૃદ્ધ છે, જે ખોરાકમાં ભાગ્યે જ જોવા મળે છે. આ બધા હાડકાંને મજબૂત કરવા માટે ઉત્તમ છે.

સુમૈયા એ, ક્લિનિકલ ડાયેટિશિયન, ફોર્ટિસ હોસ્પિટલ, કલ્યાણ, સંમત થયા અને કહ્યું હતું કે , “રાજમા, ઉચ્ચ ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, બી વિટામિન, આયર્ન, કોપર, મેગ્નેશિયમ, જસત અને ફોસ્ફરસ પ્રદાન કરે છે. તે કુદરતી રીતે ઓછી ચરબી ધરાવે છે અને સંતૃપ્ત ચરબીથી મુક્ત છે, કારણ કે પ્લાન્ટ બેસ્ડ છે, અને તેમાં કોલેસ્ટ્રોલ પણ ઓછું છે. તે નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) પણ ધરાવે છે”.

“રાજમાના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભો છે કારણ કે તે પોષણયુક્ત ખોરાક છે. ચોખાના મિશ્રણ સાથેનું રાજમા શરીર માટે આરોગ્યપ્રદ ભોજન છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે રાજમા પ્રોટીન, ડાયેટરી ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે અને તેમાં GI વધારે છે. તે આંતરડાને પણ ફાયદો કરે છે કારણ કે ધીમે ધીમે પચવામાં આવતા કાર્બોહાઇડ્રેટ્સ સંતૃપ્તિમાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: Kidney Stone: કિડનીમાં પથરીની સમસ્યા જીવલેણ બની શકે છે, આ ફૂડ્સના સેવનથી દૂર રહેવું

રાજમા ચાવલ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

મેકના મતે બપોરના ભોજનનો સમય શ્રેષ્ઠ છે કારણ કે રાજમાને પચવામાં થોડો વધુ સમય લાગે છે.

જો રાજમા ગેસ કરાવી શકે?

કેટલાક લોકો રાજમાનું સેવન કર્યા પછી ફૂલેલા અનુભવની ફરિયાદ કરે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, Macએ કેટલાક ઉપયોગી સૂચનો શેર કર્યા છે.

1) રાજમાને હંમેશા એક રાત પહેલા પલાળી રાખો. ખાતરી કરો કે તમે તેની અતિશય એસિડિક સામગ્રીને ઘટાડવા માટે એક ચપટી મીઠું ઉમેરો. બીજા દિવસે સવારે, પોષક તત્ત્વોના શોષણને અવરોધે છે તે ફાયટોન્યુટ્રિઅન્ટ- હેમેગ્ગ્લુટીનિનને દૂર કરવા માટે તેને યોગ્ય રીતે ધોઈ લો.

2) તેને બનાવતી વખતે આદુ, હલ્દી, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો.

3) રાજમાને યોગ્ય રીતે ઉકાળવું જરૂરી છે.

4) તેની એસિડ સામગ્રી ઘટાડવા માટે તેને દહીં અને ફુદીનાની ચટણી સાથે ખાઓ.

રાજમા બનાવવો એ કેટલાક લોકો માટે ચેલેંજિંગ હોઈ શકે છે, પરંતુ તેને સફળતાપૂર્વક તૈયાર કરવાની ચાવી યોગ્ય રીતે પલાળવાની અને બનાવની પ્રક્રિયામાં રહેલી છે.

સુમૈયાએ indianexpress.com ને કહ્યું કે, “રાજમા બેસ્ટ બનાવવા માટે, બનાવતા પહેલા રાજમાને ઠંડા પાણીમાં આખી રાત પલાળી રાખવાની ભલામણ કરવામાં આવે છે, રાજમા ચાવલ ખાતી વખતે કોઈપણ પેટનું ફૂલવું અથવા અપચો ટાળવા માટે શાકભાજી, કચુંબર, દહીં અથવા છાશનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.”

Web Title: Rajma chawal kidney beans health benefits tips awareness ayurvedic life style