/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/snake-eating-habits.jpg)
સાપ વિશે ખાસ માહિતી. (તસવીર: Freepik)
Snake Habits: શું તમે જાણો છો કે કેટલાક સાપ એટલા ખતરનાક હોય છે કે તેઓ પોતાના માથા કરતા 10 ગણા મોટા શિકારને ગળી શકે છે? નાના ડુક્કર કે હરણને ગળી જવું પણ તેમના માટે કોઈ મોટી વાત નથી! આજે આપણે જાણીશું કે સાપ કેવી રીતે ખાય છે, તેઓ શું ખાય છે અને આ પ્રાણીઓની ખાવાની આદતો શા માટે અદ્ભુત છે.
શું સાપ ફક્ત જંતુઓ જ ખાય છે?
જો તમે એવું સમજતા હોવ કે સાપ ખાલી જીવડા કે જંતુઓને જ ખાય છે તો તમે ખોટા છો. ઘણા લોકો ભૂલથી માને છે કે સાપ ફક્ત નાના જંતુઓ ખાય છે. પરંતુ ખરેખરમાં તેમના આહારમાં જંતુઓ, દેડકો, પક્ષી, કાચબો, ઉંદર, કાગડો શામેલ છે.
બીજા સાપ પણ!
અજગર કે કોબ્રા જેવા મોટા સાપ ક્યારેક હરણ, ડુક્કર અને નાના મગરને પણ ગળી જાય છે.
સાપની મુખ્ય શિકાર કરવાની રીત
સાપ તેમના શિકારને પકડવા માટે બે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે:
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/facts-about-snakes.jpg)
- ઝેર: વાઇપર, કોબ્રા અને ક્રેટ જેવા સાપ તેમના શિકારને લકવાગ્રસ્ત કરવા માટે ઝેરનો ઉપયોગ કરે છે.
- સંકોચાઈને: અજગર અને બોઆસ તેમના શિકારને વિંટાઈને દબાવી દે છે, જેનાથી તેમને ગૂંગળામણ થાય અને શ્વાસ લઈ શકે નહીં. આ દરમિયાન શિકારના હાડકા પણ તોડી નાંખે છે.
કેટલાક સાપ બીજા સાપને કેમ ખાય છે?
કિંગ કોબ્રા, બેન્ડેડ ક્રેટ્સ અને ઈન્ડિગો સાપ કેટલાક પ્રખ્યાત સાપ ખાનારા સાપ છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે કેટલાક સાપ તણાવમાં હોય ત્યારે પોતાની પ્રજાતિને પણ ખાઈ શકે છે. આ એક પ્રકારનું પ્રતિક્રિયાશીલ ખાવાનું વર્તન છે.
આ પણ વાંચો: દુનિયાનું એવું જાવનર, જેની પાસે છે કુદરતી બુલેટપ્રુફ જેકેટ
શું સાપ ડાયનાસોરને ખાતા હતા?
ભારતમાં મળેલા અવશેષો દર્શાવે છે કે કેટલાક સાપ એક સમયે ડાયનાસોરના બાળકો ખાતા હતા, જે તેમની પ્રાચીન આહારની આદતો અને અનુકૂલનક્ષમતાનો પુરાવો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/snake-hunting-habits.jpg)
શિકાર કરવાની ટેકનિક
સાપ શિકારને પકડવા માટે માત્ર ઝેર જ નહીં પણ યુક્તિઓનો પણ ઉપયોગ કરે છે:
- પૂંછડીથી લલચાવવું: કેટલાક સાપ ગરોળી અથવા પક્ષીઓને તેમની પૂંછડીઓ હલાવીને આકર્ષે છે.
- ગરમી-સંવેદનશીલ: વાઇપર અને બોઆસ જેવા સાપ રાત્રે પણ શિકાર શોધી શકે છે.
- જેકબસનનું અંગ: સાપ તેમની કાંટાવાળી જીભ દ્વારા શિકારને સૂંઘે છે અને ઓળખે છે.
સાપ ખાધા વગર કેટલો સમય રહી શકે છે?
કેટલાક સાપ, જેમ કે અજગર, મોટા પ્રમાણમાં ભોજન કર્યા પછી પણ મહિનાઓથી વર્ષો સુધી ખાધા વિના જીવિત રહી શકે છે. તેમની ઠંડા લોહીવાળા અને ધીમી ચયાપચય ઊર્જા બચાવવાની એક ખાસ રીત છે.
શું આપણે સાપને લઈ ગેરસમજ કરીએ છીએ?
સાપ સામાન્ય રીતે શરમાળ અને સ્વ-રક્ષક પ્રાણી છે. તેઓ કારણ વગર કોઈ પર હુમલો કરતા નથી. તેના બદલે ખોરાક એકત્રિત કરતી વખતે તેમની સાચી ક્રૂરતા પ્રગટ થાય છે. સાપ માત્ર ઝેરી જ નથી તેઓ કુદરતના શ્રેષ્ઠ શિકારીઓમાંના એક પણ છે. તેમનો ખોરાક ફક્ત વૈવિધ્યસભર જ નથી, પરંતુ ક્યારેક ભયાનક રીતે રસપ્રદ પણ હોય છે. એટલા માટે લોકો સાપ વિશે જાણવામાં ખૂબ રસ ધરાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us