/indian-express-gujarati/media/media_files/2026/01/20/stomach-pain-gas-burning-reasons-treatment-2026-01-20-13-59-39.jpg)
Stomach Pain, Gas, Burning Reasons And Treatment: પેટમાં દુખાવો, ગેસ અને બળતરા થવાના કારણ જાણી સમયસર સારવાર કરાવવી જરૂરી છે. Photograph: (Freepik)
Stomach Pain And Gas Reasons Treatment : પેટમાં ગેસ થવી સામાન્ય બાબત છે. મોટાભાગના લોકો પેટમાં દુખાવો, ગેસ અથવા બળતરા થવાની સંવેદનાને રોજિંદા સમસ્યા તરીકે અવગણે છે. કેટલીકવાર આપણે ઘરેલું ઉપચાર અજમાવીએ છીએ અને કેટલીકવાર આપણે ડોક્ટરની સલાહ લીધા વિના દવા લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વારંવાર પેટની સમસ્યાઓ પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે?
ઇન્ટરનેશનલ કેન્સર રિસર્ચ એજન્સી (IARC) ના 2025 ના અહેવાલ મુજબ, જો પેટની સમસ્યાઓના કારણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો ગેસ્ટ્રિક કેન્સર અને ગંભીર પાચક રોગોનું જોખમ ઘટાડી શકાય છે. યશોદા હોસ્પિટલ, હૈદરાબાદના વરિષ્ઠ સલાહકાર ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.કે.એસ. સોમશેખર રાવ સમજાવે છે કે પેટમાં દુખાવો, ગેસ અને બળતરા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ ડો.કે.એસ.સોમશેખર રાવ પાસેથી પેટમાં દુખાવો, બળતરા અને ગેસ થવાના કારણો અને ઉપાય વિશે.
અપચો અને ચેપ
અપચો એ પેટની સમસ્યાઓનું સૌથી સામાન્ય કારણ છે. વધુ પડતા મસાલેદાર, તળેલા અને ચરબીયુક્ત ખોરાક, કેફીનનું વધુ પડતું સેવન અથવા વધુ પડતું ખાવાથી અપચો થાય છે. આ ઉપરાંત, વાયરલ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ જેવા ચેપ પણ પેટમાં ખેંચાણનો દુખાવો પેદા કરે છે, જે ઝાડા અને નબળાઈ સાથે હોઈ શકે છે. જો આ લક્ષણો થોડા દિવસોમાં દૂર થઈ જાય છે, તો ચિંતા કરવાની બહુ જરૂર નથી, પરંતુ જો વારંવાર કોઈ સમસ્યા આવે છે, તો તેને હળવાશથી ન લેવું જોઈએ.
પિત્તાશયની પથ્થરી અને IBS
જો પેટમાં દુખાવો સાથે બળતરાની સંવેદના અથવા ગેસ સતત રહે છે, તો પિતાશયની પથરી પણ તેનું કારણ હોઈ શકે છે. જ્યારે પિત્તાશયની પથરી હોય છે, ત્યારે નળીઓ અવરોધિત થાય છે, જે તીવ્ર પીડા પેદા કરે છે, ખાસ કરીને ચરબીયુક્ત ખોરાક ખાધા પછી. તે જ સમયે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આઇબીએસ પણ પેટમાં દુખાવો અને ગેસનું એક મોટું કારણ છે. તેને પેટમાં સોજો, ધીમે ધીમે ખેંચાણ અને ક્યારેક કબજિયાત અને ક્યારેક ઝાડાની સમસ્યા હોય છે. આઇબીએસ ઘણીવાર તણાવ અને માનસિક દબાણ સાથે સંકળાયેલ છે.
અનિયમિત આહાર અને તણાવ
આજના ઝડપી જીવનમાં, અનિયમિત ખોરાક, તણાવ અને કસરતનો અભાવ સામાન્ય બની ગયો છે. ડો.રાવના જણાવ્યા અનુસાર, પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. જે લોકો ઝડપથી ખાય છે, યોગ્ય રીતે ચાવતા નથી અથવા વધુ કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવે છે, તેમને ગેસ અને બળતરા ની સમસ્યા વધુ જોવા મળે છે. લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી પાચનતંત્ર પણ નબળું પડે છે.
GERD : છાતીમાં બળતરાનું કારણ
જો તમને વારંવાર છાતીમાં બળતરા થાય છો, તો તે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડિસીઝ (જીઇઆરડી) ની નિશાની હોઈ શકે છે. આ રોગમાં, પેટનું એસિડ અન્નનળીમાં પાછું જાય છે, જેનાથી બળતરા થાય છે અને ખાટા ઓડકાર આવે છે. સ્થૂળતા, ગર્ભાવસ્થા, હર્નિયા, ધૂમ્રપાન, આલ્કોહોલ, ચોકલેટ અને ટામેટાં જેવી વસ્તુઓનું વધુ પડતું સેવન કરવાથી જીઇઆરડી વધી શકે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
તપાસ શા માટે જરૂરી છે?
ડો.કે.એસ.સોમશેખર રાવ સમજાવે છે કે જો પેટમાં દુખાવો લાંબા સમય સુધી બળતરા અને ગેસની સાથે રહે છે, તો ચોક્કસ કારણ શોધવા માટે અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી અથવા શ્વાસ પરીક્ષણ કરવું જોઈએ. ઘણી વખત આ લક્ષણો એપેન્ડિસાઇટિસ, સ્વાદુપિંડનો સોજો અથવા કેન્સર જેવા ગંભીર રોગો તરફ નિર્દેશ કરે છે. સમયસર નિદાન રોગની વહેલી તપાસ અને સરળ સારવાર તરફ દોરી જાય છે.
ઉપચાર અને યોગ્ય આહાર
પેટમાં દુખાવો અને બળતરાને દૂર કરવા માટે, ડોકટરો ઘણીવાર એન્ટાસિડની દવાઓ લેવાની ભલામણ કરે છે, જે પેટના એસિડને ઘટાડે છે. આ સાથે જ ડાયેટમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. તમારા આહારમાં પ્રોબાયોટિક્સ શામેલ કરો, જેમ કે દહીં અને છાશ. ભારે ભોજનને નાના ભોજન સાથે બદલો. જમ્યા પછી તરત જ સૂવાનું ટાળો અને બદલાતા લક્ષણો પર ધ્યાન આપો. જો કોઈ અસામાન્ય લક્ષણો અનુભવાય છે, તો તરત જ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટનો સંપર્ક કરો.
નિષ્કર્ષ
પેટમાં દુખાવો, બળતરા અને ગેસની સમસ્યાને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે પિત્તાશયની પથરી, આઇબીએસ, જીઇઆરડી, અનિયમિત આહાર, તણાવ અને કસરતનો અભાવ. જો આ સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહે તો ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ હોઈ શકે છે.
આ પણ વાંચો | શિયાળામાં કેળા કેમ ખાવા જોઇએ? હાડકાં અને હૃદય પર કેવી અસર થાય છે? મેડિકલ રિસર્ચમાં ખુલાસો
Disclaimer : આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારના આરોગ્ય કે આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા હેલ્થ એક્સપર્ટ્સની સલાહ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us