Summer Special : ગરમીથી બચવા વરુણ ધવન આ હાઇડ્રેટિંગ ડ્રિન્ક લીધું, જાણો તે કેવી રીતે તે ગરમીને હરાવવામાં મદદ કરી શકે છે

Summer Special : પરંતુ માત્ર વરુણ ધવન( varun dhawan) જ નહીં, તમારે આ ઉનાળા (Summer) માં આ હાઇડ્રેટિંગ ડ્રિન્ક પીવું જોઈએ કારણ કે તે નેચરલ હાઇડ્રેટર (natural hydrators) છે અને તેમાં વિટામિન અને ખનિજો છે જે તંદુરસ્ત શરીરની જાળવણીમાં મદદ કરે છે.

Summer Special : પરંતુ માત્ર વરુણ ધવન( varun dhawan) જ નહીં, તમારે આ ઉનાળા (Summer) માં આ હાઇડ્રેટિંગ ડ્રિન્ક પીવું જોઈએ કારણ કે તે નેચરલ હાઇડ્રેટર (natural hydrators) છે અને તેમાં વિટામિન અને ખનિજો છે જે તંદુરસ્ત શરીરની જાળવણીમાં મદદ કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Varun Dhawan is making sure he's hydrated this summer!Source: Varun Dhawan/Instagram)

વરુણ ધવન ખાતરી કરી રહ્યો છે કે તે આ ઉનાળામાં હાઇડ્રેટેડ છે! Source: Varun Dhawan/Instagram)

ઉનાળોમાં હાઇડ્રેટેડ રહેવા, શરીરનું તાપમાન જાળવી રાખવા ,આવશ્યક ખનિજોની ભરપાઇ કરવા અને એકંદર સ્વાસ્થ્ય માટે તાજગી આપનારા ડ્રિન્ક પીવામાં આવે છે. તાપમાનમાં વધારો વ્યક્તિને ડીહાઇડ્રેશન અને થાકનો અનુભવ કરાવે છે, અને તેથી તમારે નિયમિતપણે બોડીને હાઈડ્રેટ કરવી જરૂરી છે તમારે નિયમિત પાણી સિવાય, તમારા આહારમાં તાજા રસ પીવોએ સ્વાદ અને આરોગ્યને સંતુલિત કરવાની એક અદ્ભુત રીત છે.

Advertisment

વરુણ ધવન કંઈક એવું જ માને છે કારણ કે તેણે તાજેતરમાં તરબૂચના રસના ગ્લાસની તસવીર શેર કરી હતી અને ઉલ્લેખ કરીને સાથે લખ્યું હતું કે. "40 ડિગ્રી,"

પરંતુ માત્ર વરુણ જ નહીં, તમારે આ ઉનાળામાં તરબૂચનો રસ તમારે પણ પીવો જોઈએ કારણ કે તે કુદરતી હાઇડ્રેટર છે અને તેમાં વિટામિન અને ખનિજો છે જે તંદુરસ્ત શરીરની જાળવણીમાં મદદ કરે છે, સ્વેતા બોઝ, ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ, કોલકાતાની આરએન ટાગોર હોસ્પિટલે જણાવ્યું હતું કે, "તેમાં એન્ટીઑકિસડન્ટો વધુ હોય છે , જે શરીરને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે અને ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે. તદુપરાંત, તે કેલરીમાં ઓછી અને ફાઇબરમાં વધુ છે, જે તેને ડાયેટર્સ માટે એક આદર્શ ઉનાળામાં પીણું બનાવે છે,"

publive-image
વરુણ એક ગ્લાસ તરબૂચના રસનો આનંદ લે છે (સ્રોત: વરુણ ધવન/ઈન્સ્ટાગ્રામ)

આ પણ વાંચો: Delicate Dumping : શું છે ડેલિકેટ ડમ્પિંગ? સોશિયલ મીડિયા પર આ છે નવો બ્રેકઅપ ટ્રેન્ડ

Advertisment

સહમત થતાં, કાર્યાત્મક પોષણવિદ્ મુગ્ધા પ્રધાન, CEO અને સ્થાપક, iThrive જણાવ્યું હતું કે વધતા તાપમાનને કારણે સુસ્તી અનુભવવી અને ગરમીથી કંટાળી જવું સરળ બને છે, પરંતુ તરબૂચના રસની સાથે, તમે સમગ્ર ઉનાળામાં તાજગી અને સક્રિય રહી શકો છો. તેમણે ઉનાળાના પીણાના કેટલાક નિર્ણાયક લાભો શેર કરતા કહ્યું હતું કે, "આ સ્વસ્થ અને સ્વાદિષ્ટ પીણું મહત્વપૂર્ણ પોષક તત્ત્વો અને એન્ટીઑકિસડન્ટોથી ભરેલું છે જે તમને ઉનાળાની ગરમીથી રાહત આપશે.''

હાઇડ્રેશન: તાજા તરબૂચના રસમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે શરીરને ઠંડકની અસર આપે છે, જે તમને ગરમીમાં પણ હાઇડ્રેટેડ અને રિલેક્સ રાખે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે: તરબૂચનો રસ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં લગભગ 90% પાણી હોય છે. તે આર્જિનિનનો સ્ત્રોત પણ છે, જે અનિચ્છનીય ચરબીને બાળવામાં મદદ કરે છે.

બળતરા સામે લડે છે: તરબૂચમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે શરીરમાં બળતરા સામે લડવામાં મદદ કરે છે, જે તમને સ્વસ્થ અને તાજગી આપે છે.

બોસે ઉમેર્યું હતું કે, “તે વિટામીન A, B6 અને B1 થી ભરપૂર છે દરેક પોતપોતાની રીતે ફાયદાકારક છે. તેમાં લાઇકોપીન નામનું ઘટક પણ છે જે બીટા-કેરોટીન સાથે મજબૂત અને સ્થિર હૃદયની ખાતરી આપે છે . તરબૂચનો રસ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.''

આ પણ વાંચો: Summer Special : કેરીની તમે આ કેટલીક રીતો દ્વારા કૃત્રિમ રીતે પાકેલી છે તે ઓળખી શકો છો, FSSAI શું કહે છે?

નિષ્ણાતે કહ્યું કે સવારે ખાલી પેટે સૌથી પહેલા તરબૂચનો રસ પીવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં તેમજ પાચનમાં મદદ કરે છે . જો કે, તે દિવસના કોઈપણ સમયે એક સુખદ પીણા તરીકે પી શકાય છે. પુખ્ત વ્યક્તિને દરરોજ માત્ર એક ગ્લાસ તરબૂચના રસની જરૂર હોય છે.

જ્યારે તરબૂચનો રસ અનેક ફાયદાઓથી ભરપૂર છે, ત્યારે પોષણ નિષ્ણાતોએ મધ્યમ વપરાશની સલાહ આપી છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને. પ્રધાને તારણ કાઢ્યું હતું કે, "ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તરબૂચનો રસ પીવાનું ટાળે, અથવા ખૂબ ઓછી માત્રામાં પીવા કારણ કે તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.''

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

હિટ વેવ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips