/indian-express-gujarati/media/media_files/2026/02/16/what-foods-to-avoid-to-keep-the-liver-healthy-2026-02-16-07-56-53.jpg)
લીવર સ્વસ્થ રાખવા કયો ખોરાક ટાળવો હેલ્થ ટિપ્સ। What foods to avoid to keep the liver healthy AIIMS Doctor Suggestions Photograph: (Freepik)
જીવનશૈલી | લીવર (liver) આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે. તે ઝેરી તત્વોને દૂર કરવામાં અને પાચનમાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જોકે, ઘણીવાર આપણને ખ્યાલ પણ ન આવે કે આપણી ખાવાની આદતો લીવરની કામગીરીને નુકસાન પહોંચાડી શકે છે.
તાજતેરમાં એક્સપર્ટ અને એઈમ્સ અને હાર્વર્ડમાં ટ્રેનિંગ પામેલા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠીએ લીવર (યકૃત) ના સ્વાસ્થ્ય માટે શું ટાળવું જોઈએ તેના વિશે ચેતવણી આપી છે.
લીવર સ્વસ્થ રાખવા કયો ખોરાક ટાળવો
આલ્કોહોલ : આલ્કોહોલ એ સૌથી મોટું પરિબળ છે જે લીવરને સીધી અસર કરે છે. સતત દારૂ પીવાથી સિરોસિસ જેવા જીવલેણ રોગો થાય છે. આનાથી લીવરના કોષો મૃત્યુ પામે છે અને ત્યાં ડાઘ પેશી બને છે.
આર્ટિફિશ્યલ સ્વીટનર ડ્રિંક્સ : આપણે નિયમિતપણે જે સોડા, એનર્જી ડ્રિંક્સ અને ફળોના રસનું સેવન કરીએ છીએ તે લીવરના મુખ્ય દુશ્મનો છે. લીવર આમાં રહેલા ફ્રુક્ટોઝની વધુ પડતી માત્રાને સહન કરી શકતું નથી. આનાથી ધીમે ધીમે લીવર ફૂલી જાય છે અને સોજો આવે છે. ડૉક્ટર આપણને યાદ અપાવે છે કે ખાંડનું વધુ પડતું સેવન લીવર માટે દારૂ જેટલું જ નુકસાનકારક છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ : પેકેજ્ડ નાસ્તા, તળેલા નાસ્તા અને તૈયાર ખોરાક આ કેટેગરીમાં આવે છે. તેમાં રહેલા ખરાબ ચરબી અને કેમિકલ લીવરના કોષોને ખૂબ નુકસાન પહોંચાડે છે. આવા ખોરાકના નિયમિત સેવનથી લીવર ફેલ પણ થઈ શકે છે.
ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, માત્ર એક્સપર્ટએ સૂચવેલ આ સરળ વાત અનુસરો
લીવરનું રક્ષણ કેવી રીતે કરવું?
ડો. સેઠી કહે છે કે તમે તમારા આહારમાં નાના ફેરફારો કરીને તમારા યકૃતને સુરક્ષિત રાખી શકો છો. તમારા આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. ઉપરાંત, પૂરતું પાણી પીવાથી અને નિયમિત કસરત કરવાથી લીવરના સ્વાસ્થ્યને રીસ્ટોર કરવામાં મદદ મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us