હાઈપોગ્લાયકેમિઆ શું છે? લોહીમાં બ્લડ સુગર લેવલ ઘટે છે? શરીરમાં શું ફેરફાર થાય છે?

લાઇફ સ્ટાઇલ | તમારામાંથી કોઈને ટાઈમે દવા, ખોરાક, કસરત કરવા છતાં આવા આવા અનુભવો થયા છે? ડૉ. ભટ્ટાચાર્યએ અહીં જણાવ્યું છે કે આ કયા કારણથી થાય છે?

લાઇફ સ્ટાઇલ | તમારામાંથી કોઈને ટાઈમે દવા, ખોરાક, કસરત કરવા છતાં આવા આવા અનુભવો થયા છે? ડૉ. ભટ્ટાચાર્યએ અહીં જણાવ્યું છે કે આ કયા કારણથી થાય છે?

author-image
shivani chauhan
New Update
what is hypoglycemia diabetes control blood sugar levels tips

હાઈપોગ્લાયકેમિઆ શું છે ડાયાબિટીસ બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવાની ટિપ્સ હેલ્થ ટિપ્સ। what is hypoglycemia diabetes control blood sugar levels tips in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | "હું દરરોજ 10,000 સ્ટેપ ચાલું છું. ડિનર પછી હું 500 મિલિગ્રામ મેટફોર્મિન લઉં છું. પરંતુ બપોરના ભોજન પહેલાં અને સાંજે, મને ખૂબ થાક લાગે છે અને બ્લડ સુગર ઓછી છે. આ શું સૂચવે છે?" નવી દિલ્હી સ્થિત ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના એન્ડોક્રિનોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. સપ્તર્ષિ ભટ્ટાચાર્યએ IndianExpress.com ને જણાવ્યું હતું.

Advertisment

તમારામાંથી કોઈને ટાઈમે દવા, ખોરાક, કસરત કરવા છતાં આવા આવા અનુભવો થયા છે? ડૉ. ભટ્ટાચાર્યએ કહ્યું કે આ લક્ષણો કસરત, આહાર અને દવા વચ્ચે અસંતુલનને કારણે થાય છે. આ સૂચવે છે કે તમારે તમારી હાલની આદતો બદલવાની જરૂર છે.

હાઈપોગ્લાયકેમિઆ શું છે?

આ એક એવી સ્થિતિ છે જેમાં લોહીમાં બ્લડ સુગર લેવલ 70 mg/dL થી નીચે આવી જાય છે. આ લક્ષણોમાં ધ્રુજારી, ચક્કર, વધુ પડતો પરસેવો, ભૂખ, મૂંઝવણ અને બેભાન થવું શામેલ છે.

સુગર ઘટવાની શક્યતા

દવાઓ: મેટફોર્મિન સામાન્ય રીતે લીવર દ્વારા ઉત્પાદિત સુગરનું પ્રમાણ ઘટાડે છે અને ઇન્સ્યુલિન કાર્યમાં સુધારો કરે છે. ફક્ત મેટફોર્મિનથી બ્લડ સુગર ખૂબ ઓછું થઈ જાય તેવું ખૂબ જ દુર્લભ છે. જો કે જે લોકો 'સલ્ફોનીલ્યુરિયા' દવાઓ અથવા ઇન્સ્યુલિન લઈ રહ્યા છે તેમને બ્લડ સુગરમાં અચાનક ઘટાડો થઈ શકે છે. તમે યોગ્ય દવા લઈ રહ્યા છો તેની ખાતરી કરવા માટે તમારા ડૉક્ટરને મળો.

Advertisment

જો તમે ડાયાબિટીસ માટે અન્ય દવાઓ સાથે ઘરેલું ઉપચાર અથવા અન્ય પૂરકનો ઉપયોગ કરી રહ્યા છો તો ખાસ કાળજી રાખો. કેટલાક કિસ્સાઓમાં આવા પૂરવણીઓમાં અવૈજ્ઞાનિક રીતે ઉમેરવામાં આવતી દવાઓ બ્લડ સુગરને ખતરનાક રીતે નીચે લાવી શકે છે.

રિએક્ટિવ હાઈપોગ્લાયકેમિઆ: આ એક એવી સ્થિતિ છે જેમાં ખાધા પછી 2-4 કલાક પછી બ્લડ સુગરનું સ્તર ઘટી જાય છે. ડાયાબિટીસના શરૂઆતના તબક્કામાં આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે શરીર કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક (ખાસ કરીને ઓછા ફાઇબર અને પ્રોસેસ્ડ ખોરાક) ખાતી વખતે ખૂબ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. જો તમે બપોરના ભોજન પહેલાં અથવા સાંજે સાદા કાર્બોહાઇડ્રેટ્સવાળા નાસ્તા ખાઓ છો, તો તમારા બ્લડ સુગરનું લેવલ ખૂબ નીચે જવાની શક્યતા છે.

ડાયટ અને ટાઈમ : સમયસર ન ખાવાથી અથવા કસરત અનુસાર તમારા આહારમાં ફેરફાર ન કરવાથી હાઈપોગ્લાયકેમિઆ થઈ શકે છે.

આ શું સૂચવે છે?

આ તમારા શરીરનો સંકેત છે કે તમારા વર્તમાન ડાયાબિટીસ મેનેજમેન્ટમાં કેટલાક ફેરફારોની જરૂર છે. તમારા ડૉક્ટર તમારી દવાના ડોઝનું ફરીથી મૂલ્યાંકન કરવા માંગી શકે છે. હાઈપોગ્લાયકેમિઆ એ મેટફોર્મિનની સામાન્ય આડઅસર નથી, અને કેટલીક દવાઓ જે કાર્બોહાઇડ્રેટ પાચનને ધીમું કરે છે તે આવી પરિસ્થિતિઓમાં મદદરૂપ થઈ શકે છે.

થોડું સંતુલિત ભોજન કરવાથી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને હેલ્ધી ફેટનો સમાવેશ થવો જોઈએ.નિયમિત અંતરાલે તમારા બ્લડ સુગરની તપાસ કરવી અને કસરત કરતા પહેલા અથવા જ્યારે તમને લાગે કે તમારી બ્લડ સુગર ઓછી છે ત્યારે નાસ્તો ખાવાથી હાઈપોગ્લાયકેમિઆ નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

રેકિટિવ હાઈપોગ્લાયકેમિઆનું મુખ્ય કારણ ઇન્સ્યુલિન પ્રતિકાર અને ભોજન પછી લોહીમાં શર્કરાનું સ્તર વધવાથી ઇન્સ્યુલિન ઉત્પાદનમાં વિલંબ છે. વજન ઘટાડવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં મદદ મળી શકે છે અને તેથી આવી પરિસ્થિતિઓ ટાળી શકાય છે.

હાઈપોગ્લાયકેમિઆ અટકાવવાના ઉપાયો

તમારા બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરો. નિયમિત ટેસ્ટ તમને ફેરફારો અને લક્ષણો ઓળખવામાં મદદ કરી શકે છે. જટિલ કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને સ્વસ્થ ચરબીથી ભરપૂર ખોરાક લો. દિવસભર પૂરતું પાણી પીવાની આદત બનાવો. લાંબા સમય સુધી કસરત કરતા પહેલા અથવા દરમિયાન નાસ્તો ખાઓ. અચાનક હાઈપોગ્લાયકેમિઆનો સામનો કરવા માટે ગ્લુકોઝ ટેબ્લેટ સાથે રાખવી એ સારો વિચાર છે.

જીવનશૈલી