/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/What-is-Kawasaki-Disease.jpg)
કાવાસાકી એક દુર્લભ રોગ છે. (તસવીર : સોશિયલ મીડિયા)
What is Kawasaki Disease: સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારકીએ તાજેતરમાં જ પોતાના દીકરાન બીમારી વિશે વાત કરી હતી. તેણે તાજેતરમાં જ યુટ્યૂબના એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, તેના પુત્રને કાવાસાકી બીમારી હતી. આ બીમારી એટલી ખતરનાક છે કે તેનું એક ઈન્જેક્શન 25 હજાર રૂપિયામાં આવે છે. આખરે આ બીમારી શું છે અને તેના લક્ષણો અને સારવારમાં શું છે. ચલો અમે તમને જણાવીએ.
કાવાસાકી જેવી બીમારીનું નામ લોકો માટે નવું અને થોડું અનોખું છે. તમને જણાવી દઈએ કે આ એક તાવની બીમારી છે, જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને થાય છે. જો કાળજી લેવામાં ન આવે તો તેની સૌથી પહેલા હૃદય પર અસર થાય છે. ચાલો જાણીએ શું છે કાવાસાકી રોગ, તેના લક્ષણો અને નિવારણ વિશે.
કાવાસાકી રોગ શું છે?
આ એક દુર્લભ રોગ છે. આમાં શિયાળામાં બાળકોની રક્ત વાહિનીઓમાં સોજો આવે છે, જેને વાસ્ક્યુલાઇટિસ કહેવામાં આવે છે. જો આવું થાય તો તેમના ફાટવાનું જોખમ રહેલું છે. આમાં શરીરમાં લોહીની ઉણપ થાય છે, જેના કારણે તમામ અંગોને જરૂરી પોષણ મળતું નથી. 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોમાં આ રોગનું જોખમ વધારે છે. અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન અનુસાર, આ રોગ સૌથી વધુ નાની ધમનીઓને અસર કરે છે, જેના કારણે બાળકોને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
કાવાસાકી રોગના લક્ષણો શું છે?
આ જીવલેણ રોગના લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં પાંચ દિવસ સુધી તાવ, આંખોમાં લાલાશ અથવા ગુલાબીપણું, પેટમાં અસ્વસ્થતા અથવા પેટમાં દુખાવો, બાળકોના હોઠ અથવા જીભ લાલાશનો સમાવેશ થાય છે. લક્ષણોમાં હાથ અને પગમાં સોજો, મોઢામાં ચાંદા, ચામડી નિકળી જવા જેવા લક્ષણો સામેલ છે.
આ પણ વાંચો: શિયાળામાં હોઠને સાચવવા ઘરે જ બનાવો લિપ બામ
કાવાસાકી રોગનું કારણ તો અત્યાર સુધીમાં જણવા મળ્યું નથી પરંતુ ઠંઢી અને વસંદ ઋતુમાં તેના કેસ સૌથી વધુ જોવા મળે છે. આ બીમારી ખતરનાક છે પરંતુ સંક્રામક નથી. આ એક વ્યક્તિછી બીજા વ્યક્તિમાં ફેલાતી નથી.
કાવાસાકીમાં IVIG ની ભૂમિકા
આઈવીઆઈજી એ જૈવિક એજન્ટ છે જે કાવાસાકી રોગની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ એક સુરક્ષિત સારવાર છે. IVIG માનવ સીરમમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે લોકોના લોહીનો એક ભાગ અલગ કરવામાં આવે છે, જે ઘણી બીમારીઓ સામે લડી શકે છે. હકીકતમાં 20 ટકા દર્દીઓ કોરોનરી ધમનીમાં સોજોથી પીડાય છે, જે લોહીના ગંઠાવાને કારણે મૃત્યુ તરફ દોરી જાય છે. આને ટાળવા માટે જ IVIG નો ઉપયોગ કરવામાં આવે છે. તેનું ઈન્જેક્શન ઘણું મોંઘું હોય છે. આ ઈન્જેક્શનની કિંમત બાળકના વજનના આધારે નક્કી કરવામાં આવે છે. નાના બાળકોનું વજન ઓછું હોય છે, તેથી ઈન્જેક્શન સસ્તા હોય છે. જ્યારે મોટા બાળકો માટે આ દવા મોંઘી હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us