Ramadan 2026: રમઝાનમાં ખજૂર ખાઇને રોઝા કેમ ખોલવામાં આવે છે? નાનું ફળ શરીર પર કેવી અસર કરે છે? જાણો વૈજ્ઞાનિક કારણ

Why Ramadan Fast Break With Dates: રમઝાનમાં રોજા ખોલતી વખતે સૌથી પહેલા ખજૂર ખાવામાં આવે છે, તેની પાછળ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં વૈજ્ઞાનિક કારણ પણ છે. આયુર્વેદિક નિષ્ણાત ડો.રૂપાલી જૈને જણાવ્યું હતું કે ખજૂર દિવસની નબળાઈ દૂર કરે છે અને શરીરને તાકાત આપે છે.

Why Ramadan Fast Break With Dates: રમઝાનમાં રોજા ખોલતી વખતે સૌથી પહેલા ખજૂર ખાવામાં આવે છે, તેની પાછળ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં વૈજ્ઞાનિક કારણ પણ છે. આયુર્વેદિક નિષ્ણાત ડો.રૂપાલી જૈને જણાવ્યું હતું કે ખજૂર દિવસની નબળાઈ દૂર કરે છે અને શરીરને તાકાત આપે છે.

author-image
Ajay Saroya
New Update
Dates Benefits In Ramadan Fast

Dates Benefits In Ramadan Fast : રમઝાનમાં ખજૂર ખાઇને રોઝા ખોલવાની પરંપરા છે. Photograph: (Freepik)

Dates Health Benefits In Ramadan Fasting : રમઝાન મહિનો મુસલમાન લોકોનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. રમઝાનમાં રોજા એટલે કે ઉપવાસ રાખવામાં આવે છે, જેમા આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સાંજે રોજા ખોલવાના એટલે ભોજન કરવાનું હોય છે. રમઝાનના રોજા ખોલતી વખતે સૌથી પહેલા ખજૂર ખાવાની પરંપરા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ખજૂર ખાઇને રોજા ખોલવામાં આવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ વિજ્ઞાનનું એક ઊંડું રહસ્ય છે જે થોડી મિનિટોમાં તમારા શરીરને નવી ઊર્જાથી ભરી દે છે. 

Advertisment

રમઝાનમાં 12 થી 14 કલાક સુધી ઉપવાસ પછી, જ્યારે શરીરમાં એનર્જી લેવલ ઘટવા લાગે છે, ત્યારે ખજૂર સુપરફૂડની જેમ કામ કરે છે. આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી, આપણે ખજૂરના ગુણધર્મોની પ્રશંસા કરીએ છીએ. હવે સવાલ એ ઉભો થાય છે કે આખો દિવસ ભૂખ્યા રહ્યા બાદ ખજૂર ખાવાથી શરીર પર કેવી અસર થાય છે.

આયુર્વેદિક નિષ્ણાત ડો.રૂપાલી જૈને જણાવ્યું હતું કે ખજૂર દિવસભરની નબળાઈ દૂર કરે છે અને શરીરને તાકાત આપે છે. તેનું સેવન કરવાથી શરીરની ગરમી અને પિત્ત શાંત થાય છે. ચાલો જાણીએ કે ઇફ્તાર પ્લેટમાં સજાવવામાં આવેલા આ નાનકડા ફળમાં એવું શું છે જે દુનિયાભરના લોકો ઇફ્તારમાં ખાય છે.

મેડિકલ સાયન્સ ખજૂર વિશે શું કહે છે?

તબીબી વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી, ખજૂરને પોષક શક્તિ માનવામાં આવે છે. ઇફ્તાર સમયે ખજૂર ખાઇને રોજા તોડવો એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણ છે. ઉપવાસમાં 12 - 14 કલાક ભૂખ્યા તરસ્યા રહ્યા પછી, શરીરમાં ગ્લાઇકોઝન (સંગ્રહિત ઉર્જા) ગુમાવે છે, જે સુસ્તી અને માથાનો દુખાવો પેદા કરે છે. ખજૂરમાં કુદરતી રીતે નેચરલ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે. તે લોહી સાથે ભળી જાય છે અને 30 મિનિટની અંદર મગજ અને નસોને ઉર્જા પહોંચાડે છે. ખજૂર ખાવાથી શરીરને તરત જ ઉર્જા મળે છે.

Advertisment

ખજૂરમાં નેચરલ શુગર, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે, જે બ્લડ શુગર લેવલ વધારે છે. ઇફ્તારમાં બે ખજૂરનું સેવન કરવાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે, જે દિવસભરની નબળાઈ અને થાક દૂર કરે છે. ખજૂરનું સેવન કરવાથી મગજના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.

પાચનતંત્ર પર ખજૂરની અસર

ઇફ્તારમાં ખજૂરનું સેવન પાચનતંત્ર માટે રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કરે છે. રમઝાનમાં પાચન સમસ્યાઓને રોકવામાં ખજૂરનું સેવન ખૂબ અસરકારક સાબિત થાય છે. ખજૂરમાં ડાયેટરી ફાઇબર ભરપૂર હોય છે જે આંતરડાની હિલચાલમાં સુધારો કરે છે. તેનું સેવન કબજિયાત થતી અટકાવે છે અને આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે. 

ખજૂરમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે ઉપવાસ દરમિયાન શરીરમાં કાર્બોહાઇડ્રેટની અછતને પૂર્ણ કરે છે. તેનું સેવન કરવાથી મીઠી ચીજ ખાવાની તૃષ્ણા પર નિયંત્રણ રહે છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, ઇફ્તાર દરમિયાન ખજૂર ખાવાથી ભૂખ ઓછી થાય છે અને ઉપવાસ પછી વધુ પડતું ખાવાનું ટાળવામાં મદદ મળે છે, જે પાચક વિકાર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

આયુર્વેદમાં ખજૂર ખાવાના ફાયદા

આયુર્વેદિક નિષ્ણાત ડો.રૂપાલી જૈને જણાવ્યું હતું કે આયુર્વેદમાં ખજૂરને ભારે માનવામાં આવે છે. તે લુબ્રિકન્ટ છે. તે મીઠા રસ અને ઠંડી પ્રકૃત્તિનું ફળ કહેવાય છે. તે ખાસ કરીને વાત અને પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ખજૂર આયર્ન, કેલ્શિયમ, ખનિજો અને એન્ટીઓકિસડન્ટોનો સારો સ્રોત છે. તે રિફાઇન્ડ શુગરનો વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે અને જ્યારે સામાન્ય માત્રામાં લેવામાં આવે છે ત્યારે ચરબી અથવા કોલેસ્ટરોલમાં વધારો થતો નથી. આયુર્વેદમાં ખજૂરને વાત દોષનાશક અને મગજને મજબૂત બનાવનાર કહેવામાં આવે છે.

ખજૂર ચેતાતંત્રની નબળાઈને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં એકાગ્રતા વધે છે. ખજૂરનું સેવન વાત્ત દોષ સંબંધિત સમસ્યાઓ જેવી કે ચક્કર આવવા, એકાગ્રતામાં વધારો, સાયટિકા, સાંધા અને પીઠનો દુખાવો માટે ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર, ખજૂરમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદગાર છે. તેનું સેવન કરીને એનિમિયાની સારવાર થાય છે. આ ફળ નાકમાંથી લોહી નીકળવા અથવા બવાસીર જેવી સમસ્યાઓમાં મદદરૂપ છે.

આ પણ વાંચો | તમે ભેળસેળવાળી ખજૂર તો ખાતા નથીને, આ રીતે અસલી ખજૂરની ઓળખ કરો

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે, જે સામાન્ય ધારણાઓ પર આધારિત છે. આહારમાં ફેરફાર કે કોઇ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો સૌથી પહેલા ડોક્ટર અથવા હેલ્થ એક્સપર્ટ્સની સલાહ લેવી.

રમઝાન હેલ્થ જીવનશૈલી