Yoga darshan hasta padangusthasana Steps and Benefits : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘હસ્ત પાદ અંગુઠાસન ’ (hasta padangusthasana) વિશે જાણકારી મેળવીશું. ‘હસ્ત પાદ અંગુઠાસન’નો અભ્યાસ કરવાથી પગના દુખાવામાં રાહત મળશે અને ચાલવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. તો ચાલો જાણીયે ‘હસ્ત પાદ અંગુઠાસન’ ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – હસ્ત પાદ અંગુઠાસન
હસ્ત પાદ અંગુઠાસનનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ જમીન પર નેટ પર એક પડખે સૂવાનું, જેમાં શરીરનો જમણો ભાગ તરફ નીચે અને ડાબો ભાગ ઉપરની તરફ ઉપર આવે એવી રીતે સુવો. બંને પગ અને બંને હાથને એક લાઈનમાં શરીર એકદમ સીધા રાખવા. હવે ડાબો પગ ધીરે ધીરે આકાશ તરફ લઇ જવો. ત્યારબાદ ડાબા હાથથી ડાબા પગના અંગૂઠાને પકડવીને સીધો રાખવો. પોતાની ક્ષમતા અનુસાર હાથ વડે પગના અંગુઠાને પકડી રાખીને પગને ઉપરની તરફ રોકી રાખવો. હવે આવી જ રીતે જમણા પગના અંગુઠાને ડાબા હાથ વડે પકડીને આ અભ્યાસનું પુનરાવર્તન કરવું.
આ આસન ક્યારે કેટલી વાર અભ્યાસ કરવો
આ આસનનો અભ્યાસ સવારે કે સાંજે ખાલી પેટે અભ્યાસ કરવો. શરૂઆતમાં એક પગે પાંચ વાર આ આસનનો અભ્યાસ કરવો. ત્યારબાદ અભ્યાસનો અનુભવ થતા ક્ષમતા અનુસાર આસનનો સમય પણ વધારી શકાય છે…. એ પણ ત્રણ વાર 10 સેકન્ડ.
શ્વસનવિધિ
હસ્ત પાદ અંગુઠાસનનો અભ્યાસ કરવામાં પગ આકાશ તરફ ઉપર ઉઠાવતી વખતે શ્વાસ ભરવો અને નીચે મૂળ સ્થિતિમાં પાછળ આવતી વખતે શ્વાસ ખાલી કરવો…
‘હસ્ત પાદ અંગુઠાસન’ કરવાના ફાયદાઃ-
- આ યોગાસન પગના સ્નાયુઓમાં સરસ ખેંચાણ પેદા થાય છે
- પગ અને સાંધના દુખાવામાં રાહત મળે છે
- બંને ઘૂંટણની તંદુરસ્તીમાં વધારો કરે છે
- ગધાત્મક અભ્યાસ કરવાથી જાંઘની ચરબી ઓછી થાય છે
- કમરના સ્નાયુને મજબૂત બનાવે છે
- અભ્યાસથી ચાલવાની સ્થિતિમાં સુધારો આવે છે અને ક્ષમતા વધે છે
આ પણ વાંચો- યોગ દર્શન : સપ્ત વર્જાસન કબજીયાત અને થાઇરોઇડની બીમારીમાં અસરકારક
આસન કોણે ન કરવું :-
જે લોકોને સાઇટીકાનો દુખાવો હોય તેવા લોકોએ આ આસનનો અભ્યાસ કરવો નહીં. પગની સર્જરી કે કમરના નીચેના ભાગમાં કોઈ ઓપરેશન કરાવ્યું હોય તેવા લોકોએ આ આસન ન કરવું. હરનીયા તથા બીપી પ્રોબ્લેમ (hbp) તેવા લોકોએ એ આ આસન કરવાનું ટાળવું.





