યોગ દર્શન : સપ્ત વર્જાસન કબજીયાત અને થાઇરોઇડની બીમારીમાં અસરકારક

Yoga darshan supta vajrasana : યોગ દર્શનમાં આજે આપણે સુપ્ત વર્જાસન વિશે વાતી કરીશું. સુપ્ત વર્જાસન કરવાની રીત અને અને તેના ફાયદાઓ જાણો

Yoga darshan supta vajrasana : યોગ દર્શનમાં આજે આપણે સુપ્ત વર્જાસન વિશે વાતી કરીશું. સુપ્ત વર્જાસન કરવાની રીત અને અને તેના ફાયદાઓ જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yoga darshan supta vajrasana

યોગ દર્શનઃ સુપ્ત વર્જાસન કરવાની રીત અને તેના ફાયદાઓ

Yoga darshan supta vajrasana Steps and Benefits : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘સુપ્ત વજ્રાસન’ (supta vajrasana) વિશે જાણકારી મેળવીશું. ‘સુપ્ત વર્જાસન’નો અભ્યાસ કરવાથી આંતરડાની શુદ્ધી થાય છે અને કબજીયાતની બીમારી દૂર થાય છે. તેમજ આ આસન કરવાથી ધ્યાનયોગ માટેની સ્થિતિ માટે વ્યક્તિ થાય છે. તો ચાલો જાણીયે ‘સુપ્ત વર્જાસન’ ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…

Advertisment

આસન પરિયય - સુપ્ત વજ્રાસન

સુપ્ત વજ્રાસન કરવાની રીત

સુપ્ત વજ્રાસનનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ મેટ પર વજ્રાસનની અવસ્થામાં સીધા બેસવું. બંને પગની વચ્ચે થોડુંક અતર રાખીને કમરનો ભાગ જમીન પર મૂકવો. ત્યારબાદ બંને કોણીનો સપોર્ટ લઇ પીઠનો ભાગ પાછળની બાજુ જમીન તરફ લઇ જવો. હવે ખભા અને માથાનો ભાગ જમનીન પર એક લાઇનમાં રાખવા. બંને પગ ભેગા અને જમીન પર લગાવીને રાખવા. બંને હાથ જાંઘની ઉપર અથવા માથાના પાછળના ભાગમાં લગાવી શકાય છે.

સુપ્ત વજ્રાસન ક્યારે કેટલી વાર અભ્યાસ કરવો

આ આસનનો સવાર કે સાંજે ખાલી પેટે અભ્યાસ કરવો.

સુપ્ત વજ્રાસનની શ્વસનવિધિ

શરૂઆતમાં શ્વાસ લેવો અને પાછા આવતી વખતે શ્વાસ ખાલી કરતા મૂળ સ્થિતિમાં પરત આવવું

Advertisment

સુપ્ત વજ્રાસન કરવાના ફાયદાઃ-

  • જાંઘને મજબૂત બનાવે છે
  • પેટના આંતરડા શુદ્ધ કરે છે
  • કબજીયાતની બીમારી મટાડે
  • થાઇરોઇડની ગ્રંથીને લાભ પહોંચાડે છે
  • ફેફસાને વધુ ખોલે છે
  • ધ્યાનની સ્થિતિ માટે તૈયાર કરે છે

આસન કોણે ન કરવું :-

સાઇટિકા, કમરનો દુખાવો, ઘુંટણનો દુખાવો જેવી સમસ્યા ધરાવતા લોકોએ આ આસનનો અભ્યાસ કરવો નહીં.

યોગ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips knowledge